BMC Election: ઠાકરે બંધુઓ કે ભાજપ-શિંદે ગઠબંધન, BMCમાં કોણ સરકાર બનાવશે? એક્ઝિટ પોલમાં મોટો ખુલાસો

  • India
  • January 15, 2026
  • 0 Comments

BMC Election: મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન પૂર્ણ થયું છે હવે બધાની નજર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની મહત્વપૂર્ણ ચૂંટણીઓ પર છે અહીં, ભાજપ અને એકનાથ શિંદેએ સાથે ચૂંટણી લડી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ સાથે મળી ચૂંટણી લડી છે.

BMC ચૂંટણી કોણ જીતશે તે તા. 16 જાન્યુઆરીએ જાહેર થઈ જશે પરંતુ તે પહેલાં, એક્ઝિટ પોલના ડેટામાં ચોંકાવનારો ખુલાસો થયો છે.મહત્વનું છે કે BMC માં કુલ 227 વોર્ડ છે અને શિવસેના અને NCP ના વિભાજન પછી આ પહેલી વાર મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાઈ છે.

● ડીવી રિસર્ચ એક્ઝિટ પોલ

ડીવી રિસર્ચના એક્ઝિટ પોલ મુજબ, ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ (મહાગઠબંધન) 107 થી 122 બેઠકો જીતવાનો અંદાજ છે,જ્યારે ઠાકરે બંધુઓના જોડાણને 68 થી 83 બેઠકો મળવાનો અંદાજ લગાવાયો છે.

કોંગ્રેસ અને વંચિત બહુજન આઘાડી (VBA) ને 18 થી 25 બેઠકો અને એનસીપી તથા અજિત પવારને 2 થી 4 બેઠકો મળવાનો અંદાજ છે જ્યારે અન્યને 8 થી 15 બેઠકો મળવાનો અંદાજ છે.

● ડીવી રિસર્ચમાં વોટ શેર

ભાજપની આગેવાની હેઠળની મહાયુતિને 41 ટકા મત જ્યારે ઠાકરે બધુંઓના જોડાણને 33 ટકા, કોંગ્રેસ અને વંચિત બહુજન આઘાડીને 13 ટકા, એનસીપી અને અજિત પવારને 3 ટકા અને અન્યને 10 ટકા મત મળવાનો અંદાજ લગાવાયો છે.

● AXIS માય ઇન્ડિયા એક્ઝિટ પોલ

એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ મુજબ, ભાજપ ગઠબંધનને 44 ટકા મહિલા અને 40 ટકા પુરુષ મત મળવાનો અંદાજ છે જ્યારે ઠાકરે ગઠબંધનને 31 ટકા મહિલા અને 33 ટકા પુરુષ મત મળવાની ધારણા છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને 13 ટકા મહિલા અને 13 ટકા પુરુષ મત મળવાની ધારણા છે. અન્ય પક્ષોને 12 ટકા મહિલા અને 14 ટકા પુરુષ મત મળવાની ધારણા છે.

એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ મુજબ, ભાજપ+ 131 થી 151 બેઠકો જીતવાની ધારણા છે. શિવસેના UBT+ 58-68 બેઠકો જીતવાની ધારણા છે. કોંગ્રેસ+ 12-16 બેઠકો જીતવાની ધારણા છે. અન્ય પક્ષોને 6-12 બેઠકો મળવાની ધારણા છે.

●JVC એક્ઝિટ પોલમાં વોટ શેર

JVC એક્ઝિટ પોલ મુજબ, મહાયુતિ (મહાયુતિ) ને 42 થી 45 ટકા મત મળવાની ધારણા છે. ઠાકરે ભાઈઓ અને શરદ પવારને 34 થી 37 ટકા મત મળવાની ધારણા છે. કોંગ્રેસ-VBA ગઠબંધનને 13 થી 15 ટકા અને અન્યને 6 થી 8 ટકા મત મળવાની ધારણા છે.

●JVC એક્ઝિટ પોલમાં બેઠકો

ભાજપ ગઠબંધનને 138, ઉદ્ધવ ઠાકરે ગઠબંધનને 59, કોંગ્રેસ ગઠબંધનને 23 અને અન્યને 7 બેઠકો મળવાની ધારણા છે.

●મુંબઈમાં કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી ?

મુંબઈમાં અંતિમ બેઠકોની વહેંચણી મુજબ, ભાજપ 137 બેઠકો પર અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના 90 બેઠકો પર NCP 94 બેઠકો પર અલગથી ચૂંટણી લડી છે. શિવસેના (UBT) એ 163 ઉમેદવારો, MNS 52, કોંગ્રેસ 143 અને VBA 46 ઉમેદવારો ઉભા રાખ્યા હતા હવે આવનારા પરિણામો ઉપર સૌની નજર મંડાયેલી છે.

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બે દાયકા પછી એક થયા છે ત્યારે BMCની ચૂંટણીઓ દરમિયાન બંને ભાઈઓના ગઠબંધનથી શુ અસર પડશે તે શુક્રવારે સ્પષ્ટ થઈ જવાનું છે,મરાઠી ભાષાજ બોલવાની અને મહારાષ્ટ્ર સિવાય અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો વિરુદ્ધ માહોલ બનાવવાનો જાદુ હવે બદલાયેલા યુગમાં કેટલો સફળ રહેશે તેપણ પાણી મપાઈ જવાનું છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ
  • August 1, 2026

Chandranath Rath Murder Case: પશ્ચિમ બંગાળના ચર્ચિત ચંદ્રનાથ રથ હત્યા કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ને મહત્વપૂર્ણ સફળતા મળી છે. એજન્સીએ આ હત્યાના કથિત મુખ્ય ષડયંત્રકાર ગણાતા બે આરોપીઓની ધરપકડ કરી…

Continue reading
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા
  • August 1, 2026

Food Adulteration India: ભારતમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દેશભરના ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ કુલ 8.86 લાખથી વધુ ખાદ્ય નમૂનાઓની તપાસ કરી હતી. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 2 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 2 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 7 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 11 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

  • July 31, 2026
  • 12 views
Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

  • July 31, 2026
  • 6 views
AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ