BMC Election: ઠાકરે બંધુઓ કે ભાજપ-શિંદે ગઠબંધન, BMCમાં કોણ સરકાર બનાવશે? એક્ઝિટ પોલમાં મોટો ખુલાસો

  • India
  • January 15, 2026
  • 0 Comments

BMC Election: મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન પૂર્ણ થયું છે હવે બધાની નજર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની મહત્વપૂર્ણ ચૂંટણીઓ પર છે અહીં, ભાજપ અને એકનાથ શિંદેએ સાથે ચૂંટણી લડી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ સાથે મળી ચૂંટણી લડી છે.

BMC ચૂંટણી કોણ જીતશે તે તા. 16 જાન્યુઆરીએ જાહેર થઈ જશે પરંતુ તે પહેલાં, એક્ઝિટ પોલના ડેટામાં ચોંકાવનારો ખુલાસો થયો છે.મહત્વનું છે કે BMC માં કુલ 227 વોર્ડ છે અને શિવસેના અને NCP ના વિભાજન પછી આ પહેલી વાર મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાઈ છે.

● ડીવી રિસર્ચ એક્ઝિટ પોલ

ડીવી રિસર્ચના એક્ઝિટ પોલ મુજબ, ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ (મહાગઠબંધન) 107 થી 122 બેઠકો જીતવાનો અંદાજ છે,જ્યારે ઠાકરે બંધુઓના જોડાણને 68 થી 83 બેઠકો મળવાનો અંદાજ લગાવાયો છે.

કોંગ્રેસ અને વંચિત બહુજન આઘાડી (VBA) ને 18 થી 25 બેઠકો અને એનસીપી તથા અજિત પવારને 2 થી 4 બેઠકો મળવાનો અંદાજ છે જ્યારે અન્યને 8 થી 15 બેઠકો મળવાનો અંદાજ છે.

● ડીવી રિસર્ચમાં વોટ શેર

ભાજપની આગેવાની હેઠળની મહાયુતિને 41 ટકા મત જ્યારે ઠાકરે બધુંઓના જોડાણને 33 ટકા, કોંગ્રેસ અને વંચિત બહુજન આઘાડીને 13 ટકા, એનસીપી અને અજિત પવારને 3 ટકા અને અન્યને 10 ટકા મત મળવાનો અંદાજ લગાવાયો છે.

● AXIS માય ઇન્ડિયા એક્ઝિટ પોલ

એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ મુજબ, ભાજપ ગઠબંધનને 44 ટકા મહિલા અને 40 ટકા પુરુષ મત મળવાનો અંદાજ છે જ્યારે ઠાકરે ગઠબંધનને 31 ટકા મહિલા અને 33 ટકા પુરુષ મત મળવાની ધારણા છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને 13 ટકા મહિલા અને 13 ટકા પુરુષ મત મળવાની ધારણા છે. અન્ય પક્ષોને 12 ટકા મહિલા અને 14 ટકા પુરુષ મત મળવાની ધારણા છે.

એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ મુજબ, ભાજપ+ 131 થી 151 બેઠકો જીતવાની ધારણા છે. શિવસેના UBT+ 58-68 બેઠકો જીતવાની ધારણા છે. કોંગ્રેસ+ 12-16 બેઠકો જીતવાની ધારણા છે. અન્ય પક્ષોને 6-12 બેઠકો મળવાની ધારણા છે.

●JVC એક્ઝિટ પોલમાં વોટ શેર

JVC એક્ઝિટ પોલ મુજબ, મહાયુતિ (મહાયુતિ) ને 42 થી 45 ટકા મત મળવાની ધારણા છે. ઠાકરે ભાઈઓ અને શરદ પવારને 34 થી 37 ટકા મત મળવાની ધારણા છે. કોંગ્રેસ-VBA ગઠબંધનને 13 થી 15 ટકા અને અન્યને 6 થી 8 ટકા મત મળવાની ધારણા છે.

●JVC એક્ઝિટ પોલમાં બેઠકો

ભાજપ ગઠબંધનને 138, ઉદ્ધવ ઠાકરે ગઠબંધનને 59, કોંગ્રેસ ગઠબંધનને 23 અને અન્યને 7 બેઠકો મળવાની ધારણા છે.

●મુંબઈમાં કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી ?

મુંબઈમાં અંતિમ બેઠકોની વહેંચણી મુજબ, ભાજપ 137 બેઠકો પર અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના 90 બેઠકો પર NCP 94 બેઠકો પર અલગથી ચૂંટણી લડી છે. શિવસેના (UBT) એ 163 ઉમેદવારો, MNS 52, કોંગ્રેસ 143 અને VBA 46 ઉમેદવારો ઉભા રાખ્યા હતા હવે આવનારા પરિણામો ઉપર સૌની નજર મંડાયેલી છે.

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બે દાયકા પછી એક થયા છે ત્યારે BMCની ચૂંટણીઓ દરમિયાન બંને ભાઈઓના ગઠબંધનથી શુ અસર પડશે તે શુક્રવારે સ્પષ્ટ થઈ જવાનું છે,મરાઠી ભાષાજ બોલવાની અને મહારાષ્ટ્ર સિવાય અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો વિરુદ્ધ માહોલ બનાવવાનો જાદુ હવે બદલાયેલા યુગમાં કેટલો સફળ રહેશે તેપણ પાણી મપાઈ જવાનું છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Telangana Heatwave Deaths: તેલંગાણામાં હીટવેવનો કહેર: સાત જિલ્લાઓમાં ૧૬ મોત, સરકારે ₹૪ લાખ સહાય જાહેર કરી
  • May 25, 2026

Telangana Heatwave Deaths: સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતની સાથે હવે દક્ષિણ ભારતમાં પણ સૂર્યદેવ આકરા પાણીએ થયા છે. તેલંગાણા રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય કાળઝાળ ગરમી અને તીવ્ર…

Continue reading
Udhayanidhi Stalin: ‘કોંગ્રેસે પીઠમાં છરો ભોંક્યો, હવે ક્યારેય ભરોસો ન કરવો’ – ઉધયનિધિ સ્ટાલિન
  • May 25, 2026

Udhayanidhi Stalin: તમિલનાડુના રાજકારણમાં વર્ષો જૂના પક્ષીય સમીકરણો અચાનક બદલાઈ ગયા છે અને સાથી પક્ષો વચ્ચે ભયાનક વૈચારિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) ના વરિષ્ઠ નેતા,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Telangana Heatwave Deaths: તેલંગાણામાં હીટવેવનો કહેર: સાત જિલ્લાઓમાં ૧૬ મોત, સરકારે ₹૪ લાખ સહાય જાહેર કરી

  • May 25, 2026
  • 4 views
Telangana Heatwave Deaths: તેલંગાણામાં હીટવેવનો કહેર: સાત જિલ્લાઓમાં ૧૬ મોત, સરકારે ₹૪ લાખ સહાય જાહેર કરી

Udhayanidhi Stalin: ‘કોંગ્રેસે પીઠમાં છરો ભોંક્યો, હવે ક્યારેય ભરોસો ન કરવો’ – ઉધયનિધિ સ્ટાલિન

  • May 25, 2026
  • 5 views
Udhayanidhi Stalin: ‘કોંગ્રેસે પીઠમાં છરો ભોંક્યો, હવે ક્યારેય ભરોસો ન કરવો’ – ઉધયનિધિ સ્ટાલિન

Minister Keerthana Clarification: કોઈમ્બતુર બાળકી બળાત્કાર-હત્યા કેસમાં મંત્રીના હાસ્ય પર મચ્યો ભારે હોબાળો, વિપક્ષના પ્રહારો સામે મંત્રી કીર્તનાએ આપી સ્પષ્ટતા

  • May 25, 2026
  • 6 views
Minister Keerthana Clarification: કોઈમ્બતુર બાળકી બળાત્કાર-હત્યા કેસમાં મંત્રીના હાસ્ય પર મચ્યો ભારે હોબાળો, વિપક્ષના પ્રહારો સામે મંત્રી કીર્તનાએ આપી સ્પષ્ટતા

Kondh Village Farmers Protest: 800 પોલીસ મોકલી અટકાયત કરી, કોંઢ ગામની ઘટના, મુખ્ય પ્રધાને ચર્ચા કરી અને ફરી ગયા

  • May 25, 2026
  • 6 views
Kondh Village Farmers Protest: 800 પોલીસ મોકલી અટકાયત કરી, કોંઢ ગામની ઘટના, મુખ્ય પ્રધાને ચર્ચા કરી અને ફરી ગયા

CJP Digital Movement Censorship: ડિજિટલ યુગમાં સેન્સરશીપ સામે અસંમતિનો અવાજ, કોકરોચ જનતા પાર્ટીના ઉદયે સત્તા સામે સર્જ્યો મોટો બંધારણીય પડકાર

  • May 25, 2026
  • 6 views
CJP Digital Movement Censorship: ડિજિટલ યુગમાં સેન્સરશીપ સામે અસંમતિનો અવાજ, કોકરોચ જનતા પાર્ટીના ઉદયે સત્તા સામે સર્જ્યો મોટો બંધારણીય પડકાર

Prof K Nageshwar FIR: પ્રો. કે નાગેશ્વર વિરુદ્ધ FIR બાદ રાજકીય તોફાન, ભાજપથી લઈને બીઆરએસ સુધી અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ

  • May 25, 2026
  • 11 views
Prof K Nageshwar FIR: પ્રો. કે નાગેશ્વર વિરુદ્ધ FIR બાદ રાજકીય તોફાન, ભાજપથી લઈને બીઆરએસ સુધી અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ