BMC Election: ઠાકરે બંધુઓ કે ભાજપ-શિંદે ગઠબંધન, BMCમાં કોણ સરકાર બનાવશે? એક્ઝિટ પોલમાં મોટો ખુલાસો

  • India
  • January 15, 2026
  • 0 Comments

BMC Election: મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન પૂર્ણ થયું છે હવે બધાની નજર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની મહત્વપૂર્ણ ચૂંટણીઓ પર છે અહીં, ભાજપ અને એકનાથ શિંદેએ સાથે ચૂંટણી લડી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ સાથે મળી ચૂંટણી લડી છે.

BMC ચૂંટણી કોણ જીતશે તે તા. 16 જાન્યુઆરીએ જાહેર થઈ જશે પરંતુ તે પહેલાં, એક્ઝિટ પોલના ડેટામાં ચોંકાવનારો ખુલાસો થયો છે.મહત્વનું છે કે BMC માં કુલ 227 વોર્ડ છે અને શિવસેના અને NCP ના વિભાજન પછી આ પહેલી વાર મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાઈ છે.

● ડીવી રિસર્ચ એક્ઝિટ પોલ

ડીવી રિસર્ચના એક્ઝિટ પોલ મુજબ, ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ (મહાગઠબંધન) 107 થી 122 બેઠકો જીતવાનો અંદાજ છે,જ્યારે ઠાકરે બંધુઓના જોડાણને 68 થી 83 બેઠકો મળવાનો અંદાજ લગાવાયો છે.

કોંગ્રેસ અને વંચિત બહુજન આઘાડી (VBA) ને 18 થી 25 બેઠકો અને એનસીપી તથા અજિત પવારને 2 થી 4 બેઠકો મળવાનો અંદાજ છે જ્યારે અન્યને 8 થી 15 બેઠકો મળવાનો અંદાજ છે.

● ડીવી રિસર્ચમાં વોટ શેર

ભાજપની આગેવાની હેઠળની મહાયુતિને 41 ટકા મત જ્યારે ઠાકરે બધુંઓના જોડાણને 33 ટકા, કોંગ્રેસ અને વંચિત બહુજન આઘાડીને 13 ટકા, એનસીપી અને અજિત પવારને 3 ટકા અને અન્યને 10 ટકા મત મળવાનો અંદાજ લગાવાયો છે.

● AXIS માય ઇન્ડિયા એક્ઝિટ પોલ

એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ મુજબ, ભાજપ ગઠબંધનને 44 ટકા મહિલા અને 40 ટકા પુરુષ મત મળવાનો અંદાજ છે જ્યારે ઠાકરે ગઠબંધનને 31 ટકા મહિલા અને 33 ટકા પુરુષ મત મળવાની ધારણા છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને 13 ટકા મહિલા અને 13 ટકા પુરુષ મત મળવાની ધારણા છે. અન્ય પક્ષોને 12 ટકા મહિલા અને 14 ટકા પુરુષ મત મળવાની ધારણા છે.

એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ મુજબ, ભાજપ+ 131 થી 151 બેઠકો જીતવાની ધારણા છે. શિવસેના UBT+ 58-68 બેઠકો જીતવાની ધારણા છે. કોંગ્રેસ+ 12-16 બેઠકો જીતવાની ધારણા છે. અન્ય પક્ષોને 6-12 બેઠકો મળવાની ધારણા છે.

●JVC એક્ઝિટ પોલમાં વોટ શેર

JVC એક્ઝિટ પોલ મુજબ, મહાયુતિ (મહાયુતિ) ને 42 થી 45 ટકા મત મળવાની ધારણા છે. ઠાકરે ભાઈઓ અને શરદ પવારને 34 થી 37 ટકા મત મળવાની ધારણા છે. કોંગ્રેસ-VBA ગઠબંધનને 13 થી 15 ટકા અને અન્યને 6 થી 8 ટકા મત મળવાની ધારણા છે.

●JVC એક્ઝિટ પોલમાં બેઠકો

ભાજપ ગઠબંધનને 138, ઉદ્ધવ ઠાકરે ગઠબંધનને 59, કોંગ્રેસ ગઠબંધનને 23 અને અન્યને 7 બેઠકો મળવાની ધારણા છે.

●મુંબઈમાં કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી ?

મુંબઈમાં અંતિમ બેઠકોની વહેંચણી મુજબ, ભાજપ 137 બેઠકો પર અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના 90 બેઠકો પર NCP 94 બેઠકો પર અલગથી ચૂંટણી લડી છે. શિવસેના (UBT) એ 163 ઉમેદવારો, MNS 52, કોંગ્રેસ 143 અને VBA 46 ઉમેદવારો ઉભા રાખ્યા હતા હવે આવનારા પરિણામો ઉપર સૌની નજર મંડાયેલી છે.

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બે દાયકા પછી એક થયા છે ત્યારે BMCની ચૂંટણીઓ દરમિયાન બંને ભાઈઓના ગઠબંધનથી શુ અસર પડશે તે શુક્રવારે સ્પષ્ટ થઈ જવાનું છે,મરાઠી ભાષાજ બોલવાની અને મહારાષ્ટ્ર સિવાય અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો વિરુદ્ધ માહોલ બનાવવાનો જાદુ હવે બદલાયેલા યુગમાં કેટલો સફળ રહેશે તેપણ પાણી મપાઈ જવાનું છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Yogi Adityanath: બધાજ શંકરાચાર્ય ન બની શકે! યોગી આદિત્યનાથનું નિવેદન, બેઉ “ભગવા” બાથે વળગ્યા! હિન્દુત્વનો ફુગ્ગો ફૂટી ગયો!!
  • February 14, 2026

Yogi Adityanath: ભાજપ હંમેશા હિન્દુત્વનો ઝંડો લઈ આગળ આવ્યું છે અને સાધુ, સંત ,ગાય ,ભગવા આ બધું ઓળખ બનું ગયું હતું પણ પ્રયાગરાજમાં શંકરાચાર્ય વાળો મુદ્દો જ્યારથી ઉઠ્યો ત્યારથી અને…

Continue reading
Mahashivratri: આ મહાશિવરાત્રી પર સતત 12 કલાક રહેશે ભદ્રાનો પડછાયો ! કેવી રીતે અને ક્યારે પૂજા કરવી,જાણો
  • February 10, 2026

Mahashivratri : મહાશિવરાત્રી ૨૦૨૬નું પર્વ તા. ૧૫ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ વખતે ભદ્રાનો અશુભ યોગ આ દિવસે બની રહ્યો હોય ભક્તોમાં જલાભિષેક અને પૂજાના સમય વિશે મુંઝવણ ઉભી થઈ છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Yogi Adityanath: બધાજ શંકરાચાર્ય ન બની શકે! યોગી આદિત્યનાથનું નિવેદન, બેઉ “ભગવા” બાથે વળગ્યા! હિન્દુત્વનો ફુગ્ગો ફૂટી ગયો!!

  • February 14, 2026
  • 3 views
Yogi Adityanath: બધાજ શંકરાચાર્ય ન બની શકે!  યોગી આદિત્યનાથનું નિવેદન, બેઉ “ભગવા” બાથે વળગ્યા! હિન્દુત્વનો ફુગ્ગો ફૂટી ગયો!!

Surendranagar: સુરેન્દ્રનગરમાં મતદારોના નામો કમી કરવા મામલે જોરદાર વિરોધ, જુઓ ખાસ ચર્ચા

  • February 13, 2026
  • 3 views
Surendranagar: સુરેન્દ્રનગરમાં મતદારોના નામો કમી કરવા મામલે જોરદાર વિરોધ, જુઓ ખાસ ચર્ચા

Kutch: વિકાસ ગૌચર ગળી જશે! ગાય માતાના મોઢાનો કોળિયો છીનવી ન લેવા ચારણ સમાજની બહેનોએ મોદીને પત્ર લખ્યો!

  • February 13, 2026
  • 3 views
Kutch: વિકાસ ગૌચર ગળી જશે! ગાય માતાના મોઢાનો કોળિયો છીનવી ન લેવા ચારણ સમાજની બહેનોએ મોદીને પત્ર લખ્યો!

India: અમેરિકા-યુરોપ અને ભારતની ટ્રેડ ડીલથી નરેન્દ્ર મોદી સામે કેમ આંગળીઓ ઉઠી રહી છે? જુઓ વિસ્તૃત વિશ્લેષણ

  • February 12, 2026
  • 6 views
India: અમેરિકા-યુરોપ અને ભારતની ટ્રેડ ડીલથી નરેન્દ્ર મોદી સામે કેમ આંગળીઓ ઉઠી રહી છે? જુઓ વિસ્તૃત વિશ્લેષણ

Banas Dairy: બનાસ ડેરીમાં ₹ 121 કરોડનુ કૌભાંડ! જાગૃત નાગરિકે તપાસની માંગ સાથે શરૂ કર્યું ઉપવાસ આંદોલન

  • February 12, 2026
  • 4 views
Banas Dairy: બનાસ ડેરીમાં ₹ 121 કરોડનુ કૌભાંડ! જાગૃત નાગરિકે તપાસની માંગ સાથે શરૂ કર્યું ઉપવાસ આંદોલન

Donald Trump: મોદી સાહેબના પર્સનલ મિત્રો વિશે જાણો, ડોનાલ્ટ ટ્રમ્પ વિશે શું કહો છો?

  • February 11, 2026
  • 6 views
Donald Trump: મોદી સાહેબના પર્સનલ મિત્રો વિશે જાણો, ડોનાલ્ટ ટ્રમ્પ વિશે શું કહો છો?