Shiv Sena: ફૂંફાડા મારતા રાજ ઠાકરેની ‘આબરૂ’ ધૂળધાણી થઈ ગઈ! ઉદ્ધવ-રાજ એક થયા પણ મોડું થઈ ગયું! બાળ ઠાકરેની નકલ કેમ કામ ન લાગી? વાંચો ખાસ અહેવાલ

  • India
  • January 16, 2026
  • 0 Comments

Shiv Sena: મુંબઈમાં એક સમયે બાળા સાહેબ ઠાકરેનું વર્ચસ્વ હતું અને તેઓની અહીં ભક્તિ ચાલતી હતી અહીં તેઓની પાર્ટી શિવસેનાનો જોરદાર દબદબો હતો પણ કહેવાય છેને કે ‘ઘર ફૂટે ઘર જાય’ રાજનીતિની કૂટનીતિમાં શિવસેનામાં ભાગલા પડ્યા અને બાળ ઠાકરેના ભત્રીજાએ બળવો કર્યો અને મનસે (મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના)ની રચના કરી જુસ્સો બતાવ્યો ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાની કમાન સંભાળી અને સમય વ્યતીત થતો ગયો અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના લઈને શિંદે અલગ થયા અને સિમ્બોલ પણ લઈ ગયા હવે ઉદ્ધવ ઠાકરે પાસે કેટલાક બચ્યા તે લઈ માંડ ગાડું ગબડાવવા લાગ્યા પણ સમય જતાં ઉદ્ધવ અને રાજ ઠાકરે બન્નેની રાજકીય કારકિર્દી ખતમ થવા માંડી અને હવે ફરી ભેગા થયા અને ઠાકરે બંધુઓએ આ ચૂંટણીઓમાં મોટા હુંકાર કર્યા અને બાળા સાહેબ વાળી ગર્જનાઓ કરી અને ‘મરાઠાવાદ’નો મુદ્દો લઈ “ભાઈલોગ” જેવી સ્ટાઇલમાં મુંબઈમાં માત્ર મરાઠી બોલવું, મરાઠીમાં દુકાનોના બોર્ડ મારવા વગરે મુદા ઉભા કરી અનેક લોકોને તેઓની પાર્ટીના કાર્યકરો દ્વારા દાદાગીરી કરવામાં આવી તેના વિડીયો વાયરલ થયા આ જોઈ રાજ ઠાકરેને એવું લાગતું હતું કે હવે જોઈએ કોણ ઊંચો થાય છે હવે અમારું રાજ ચાલશે અને ઠાકરે બંદુઓનો ફરી દબદબો ચાલશે પણ એવું થયું નહિ કારણ કે આજની પેઢી કોઈથી ગભરાતી નથી એકજ દેશમાં દેશનો નાગરિક પોતાની રીતે બોલવાનો કે રહેવાનો અધિકાર ધરાવે છે આ સ્વતંત્ર ભારત છે એની સમજ આવી ગઈ છે તેથી આજના બદલાયેલા સમયમાં કોઈ દાદાગીરીની ભાષામાં વાત કરેતો તેને ‘સારો’ માણસ ગણવામાં આવતો નથી, કારણ કે સમય બદલાઈ ચુક્યો છે અને તેના પરિણામો જોઈ શકાય છે.

મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો અને વલણોએ તે સ્પષ્ટ કરી દીધું છે.મુંબઈ (BMC) સહિત રાજ્યની 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં BJPઅને એકનાથ શિંદેની શિવસેનાનું ગઠબંધન આગળ છે, અહીં ઉદ્ધવ ઠાકરે કે રાજ ઠાકરેનું પાણી મપાઈ ગયું છે અને કહી શકાય કે જૂની પેઢીનું અસ્તિત્વ અહીં ખતમ થઈ ચૂક્યું છે.

● મુંબઈમાં ઠાકરે બંધુઓની ગેમ ઓવર!!

બાળ ઠાકરે સ્ટાઇલમાં ‘ઠાકરે બ્રધર્સ’ (ઉદ્ધવ અને રાજ ઠાકરે)અચાનક ભેગા થઈ ગયા અને માત્ર “મરાઠા સિવાય કોઈ નહિ” મુદ્દા ઉપર ગર્જનાઓ કરી અને ગઠબંધન કરી ચૂંટણી લડવાનો રણ ટંકાર કર્યો પણ પરિણામો જોતા લાગવા માંડ્યું કે બોસ હવે જુનું નહિ ચાલે કઈક નવું લાવો.

મરાઠી માણસના મુદ્દે સાથે લડેલા ઉદ્ધવ ઠાકરેની શિવસેના(UBT) અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના ગઠબંધનને મતદારોએ જે રીતે નકારી દીધા તે જોતા હવે ઠાકરે પરિવારે મનોમંથન કરવું રહ્યું.મુંબઈમાં રાજ ઠાકરેની પાર્ટી માત્ર 8 બેઠકો પર સીમિત રહી ગઈ છે, જ્યારે પુણે જેવા શહેરમાં તેમનું ખાતું પણ ખૂલ્યું નથી તે ચોંકાવનારું છે મુંબઈમાં ગુજરાતીઓ સહિત અન્ય રાજ્યોના લોકોને પસંદ નહિ કરનાર રાજ ઠાકરેની મનસે 22 શહેરોમાં ‘ઝીરો’ સાબિત થઈ ગઈ છે જે તેઓને મતદારોએ આપેલો જવાબ છે.

એટલુંજ જ નહીં પણ રાજ ઠાકરેનો ગઢ ગણાતા નાસિકમાં પણ મનસેનું અચ્યુતમ થઈ ગયુ છે અને અહીં જ્યાં તેમની એક સમયે સત્તા હતી ત્યાં પાર્ટી માત્ર 2 બેઠકો પરજ સીમિત રહી ગઈ છે.રાજ ઠાકરેને પુણે, નાગપુર, સંભાજીનગર, કોલ્હાપુર, સોલાપુર અને અમરાવતી જેવા મુખ્ય કેન્દ્રો સહિત કુલ 22 શહેરોમાં મનસેને એક પણ બેઠક મળી નથી.

આ સિવાય થાણે, નવી મુંબઈ અને ઉલ્હાસનગર જેવા શહેરોમાં પણ પાર્ટી માત્ર 1-1 બેઠક સાથે માંડ સિંગલ ડિજિટ સુધી પહોંચી શકી છે.આમ, મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં રાજ ઠાકરેનું અસ્તિત્વ ખતમ થઈ ચૂક્યું છે.આમ,સમય બદલાય છે તેમ તેની સાથે બધું બદલાઈ જતું હોય છે નવી પેઢી નવો દાવ નવા વિચારો ચાલતું રહે છે જે સમય સાથે બદલાય છે તેજ માર્કેટમાં ચાલે છે,આમ ઠાકરે બંધુઓએ ભેગા થઈ લડવાનો અને ગુમાવેલો રુવાબ પાછો મેળવવા અજમાવેલો દાવ ચાલ્યો નથી જે ઘણું બધું કહી જાય છે.

રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ “મરાઠી માનુષ” અને “અન્ય રાજ્યોના લોકો ઘૂસીને મુંબઈ તોડવાના કાવતરા” જેવા પરંપરાગત મુદ્દાઓ રિપીટ કર્યા ઉપરાંત અગાઉ જાહેરમાં મરાઠી નહિ બોલનારા ઉપર દાદાગીરી, મારપીટ અને વેપારીઓની દુકાનમાં ઘૂસી તેઓનું અપરાધી હોય તેમ ઇન્સલ્ટ કરવું વગરે આજના મોબાઇલ યુગમાં વાયરલ દ્રશ્યોથી નવી પેઢીના મુંબઈગરાઓમાં છબી ખરડાઈ અને ખ્યાલ આવ્યો કે આ મુદ્દાઓનો ઉપયોગ ફક્ત રાજકીય લાભ માટે થઈ રહ્યો છે અને ખરેખર મરાઠી લોકોને પણ કોઈ ફાયદો થયો નથી તે વાત સૌ સમજી ગયા હોય લોકો દૂર થઈ ગયાનું ચિત્ર સપાટી ઉપર આવ્યું છે,અગાઉ માહોલ જુદો હતો અને આજે સ્થિતિ બદલાઈ ગઈ છે જે પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ
  • May 2, 2026

Kamlesh Parekh Extradition: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને આર્થિક ગુનાખોરી વિરુદ્ધની લડાઈમાં એક મોટી સફળતા મળી છે. વર્ષોથી ફરાર અને કરોડો રૂપિયાના બેંક કૌભાંડમાં સંડોવાયેલા આરોપી કમલેશ પારેખને સંયુક્ત…

Continue reading
Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી
  • May 2, 2026

Kapil Sibal: રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી અંગે મહત્વની સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે મતોની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

  • May 2, 2026
  • 3 views
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

  • May 2, 2026
  • 3 views
Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

  • May 2, 2026
  • 8 views
Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

Pawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત

  • May 2, 2026
  • 10 views
Pawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત

Banni Cheetah Project Gujarat: બન્નીના રણમાં ચિત્તાનું આગમન થશે, કરોડોનો ખર્ચ, પણ શું સુરક્ષા અને સફળતાની ગેરંટી છે?

  • May 2, 2026
  • 9 views
Banni Cheetah Project Gujarat: બન્નીના રણમાં ચિત્તાનું આગમન થશે, કરોડોનો ખર્ચ, પણ શું સુરક્ષા અને સફળતાની ગેરંટી છે?

All India Chemists Strike: ઓનલાઇન દવાઓના વેચાણ સામે 20મીએ દેશવ્યાપી કેમિસ્ટ્સ બંધ, 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ

  • May 2, 2026
  • 10 views
All India Chemists Strike: ઓનલાઇન દવાઓના વેચાણ સામે 20મીએ દેશવ્યાપી કેમિસ્ટ્સ બંધ, 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ