Congress MLA: SC-ST વર્ગની બાળકીઓ ઉપર રેપ કરવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે! MLA ફૂલ સિંહ બરૈયાનું નિવેદન

  • India
  • January 18, 2026
  • 0 Comments

Congress MLA: મધ્યપ્રદેશના દતિયા જિલ્લાની ભાંડર બેઠકના ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનથી ભારે હોબાળો મચી ગયો છે તેઓએ કહ્યુ હતું કે ધર્મગ્રંથોમાં લખ્યું છે કે “જો કોઈ તીર્થયાત્રા કરી શકતો ન હોય તો તે જો દલિત કે આદિવાસી વર્ગની મહિલા અથવા બાળકી ઉપર બળાત્કાર કરેતો તેને તીર્થયાત્રા કર્યા જેટલું ફળ પ્રાપ્ત થાય છે!”

બરૈયાનું કહેવું છે કે ભારતમાં આજ કારણથી સૌથી વધુ બળાત્કાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મોસ્ટ ઓબીસી વર્ગની મહિલાઓ યુવતીઓ કે બાળકીઓ સાથે થાય છે.

બળાત્કારની થિયરી એ છે કે કોઈ અતિ સુંદર છોકરી જો દેખાઈ તો માણસનું મગજ વિચલિત થઈ શકે છે અને બળાત્કાર થઈ શકે છે પણ SC-ST વર્ગ એટલે કે આદિવાસીઓ,એસસી, ઓબીસીમાં મહિલાઓ સુંદર દેખાતી હોતી નથી? છતાં કેમ વધુ બળાત્કાર થાય છે ? તેનું કારણ એ છે કે તેમના ધર્મગ્રંથોમાં આવા નિર્દેશો આપવામાં આવ્યા છે કે આ વર્ગની બાળકીઓ અથવા મહિલાઓ પર બળાત્કાર કરવાથી તીર્થયાત્રા કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

બરૈયાને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું આ હિંદુ ધર્મગ્રંથોમાં લખેલું છે? તો તેઓ કહે છે કે હવે તેઓ હિંદુ છે કે નહીં, તેના પર મારે કંઈ કહેવું નથી, પરંતુ મારો કહેવાનો અર્થ એ છે કે ધર્મગ્રંથોમાં લખેલું છે કે (બરૈયા કેટલાક જાતિસૂચક નામોનો ઉલ્લેખ કરે છે) આ જાતિઓ સાથે સહવાસ કરવાથી આ તીર્થનું ફળ મળશે. બરૈયાએ આ વાતો સોશિયલ મીડિયા પર આપેલા ઇન્ટરવ્યુમાં કહી છે.બરૈયા જણાવે છે કે જે લોકો તીર્થ કરવા ન જઈ શકતા હોય તેવા માટે આ વિકલ્પ આપવામાં આવ્યો છે કે આ વર્ગોની યુવતી,બાળકીને ઘરબેઠા પકડીને સહવાસ કરી દો તો તીર્થયાત્રા કર્યાનું ફળ મળી જશે.

તેમણે તર્ક રજૂ કરતા ઉમેર્યુ કે, “4 વર્ષની બાળકી પર બળાત્કાર કેમ થાય છે? કારણ કે ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે અમુક જાતિની મહિલાઓ કે બાળકીઓ સાથે સંબંધ બાંધવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે આ અંધશ્રદ્ધા રાખીને પુણ્ય કમાવવાના ચક્કરમાં SC, ST અને OBC સમાજની સ્ત્રીઓ અને બાળકીઓ પર રેપ વધુ થાય છે”

મધ્યપ્રદેશના દતિયા જિલ્લાની ભાંડર બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયાના આ નિવેદનથી રાજકારણ ગરમાયુ છે અને વિરોધ શરૂ થયો છે,આ નિવેદન બાદ ઈન્દોર એરપોર્ટ પર મીડિયાએ તેમને કરેલા સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું. જોકે, તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “હું મારા નિવેદન માટે માફી નહીં માંગું. હું મહિલાઓનું સન્માન કરું છું.” તેમણે કહ્યુંકે કોંગ્રેસ પાર્ટીને તેમના આ વ્યક્તિગત વિચાર સાથે કોઈ લેવાદેવા નથી.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ
  • May 2, 2026

Kamlesh Parekh Extradition: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને આર્થિક ગુનાખોરી વિરુદ્ધની લડાઈમાં એક મોટી સફળતા મળી છે. વર્ષોથી ફરાર અને કરોડો રૂપિયાના બેંક કૌભાંડમાં સંડોવાયેલા આરોપી કમલેશ પારેખને સંયુક્ત…

Continue reading
Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી
  • May 2, 2026

Kapil Sibal: રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી અંગે મહત્વની સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે મતોની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

  • May 2, 2026
  • 4 views
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

  • May 2, 2026
  • 5 views
Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

  • May 2, 2026
  • 9 views
Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

Pawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત

  • May 2, 2026
  • 10 views
Pawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત

Banni Cheetah Project Gujarat: બન્નીના રણમાં ચિત્તાનું આગમન થશે, કરોડોનો ખર્ચ, પણ શું સુરક્ષા અને સફળતાની ગેરંટી છે?

  • May 2, 2026
  • 10 views
Banni Cheetah Project Gujarat: બન્નીના રણમાં ચિત્તાનું આગમન થશે, કરોડોનો ખર્ચ, પણ શું સુરક્ષા અને સફળતાની ગેરંટી છે?

All India Chemists Strike: ઓનલાઇન દવાઓના વેચાણ સામે 20મીએ દેશવ્યાપી કેમિસ્ટ્સ બંધ, 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ

  • May 2, 2026
  • 10 views
All India Chemists Strike: ઓનલાઇન દવાઓના વેચાણ સામે 20મીએ દેશવ્યાપી કેમિસ્ટ્સ બંધ, 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ