Congress MLA: SC-ST વર્ગની બાળકીઓ ઉપર રેપ કરવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે! MLA ફૂલ સિંહ બરૈયાનું નિવેદન

  • India
  • January 18, 2026
  • 0 Comments

Congress MLA: મધ્યપ્રદેશના દતિયા જિલ્લાની ભાંડર બેઠકના ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનથી ભારે હોબાળો મચી ગયો છે તેઓએ કહ્યુ હતું કે ધર્મગ્રંથોમાં લખ્યું છે કે “જો કોઈ તીર્થયાત્રા કરી શકતો ન હોય તો તે જો દલિત કે આદિવાસી વર્ગની મહિલા અથવા બાળકી ઉપર બળાત્કાર કરેતો તેને તીર્થયાત્રા કર્યા જેટલું ફળ પ્રાપ્ત થાય છે!”

બરૈયાનું કહેવું છે કે ભારતમાં આજ કારણથી સૌથી વધુ બળાત્કાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મોસ્ટ ઓબીસી વર્ગની મહિલાઓ યુવતીઓ કે બાળકીઓ સાથે થાય છે.

બળાત્કારની થિયરી એ છે કે કોઈ અતિ સુંદર છોકરી જો દેખાઈ તો માણસનું મગજ વિચલિત થઈ શકે છે અને બળાત્કાર થઈ શકે છે પણ SC-ST વર્ગ એટલે કે આદિવાસીઓ,એસસી, ઓબીસીમાં મહિલાઓ સુંદર દેખાતી હોતી નથી? છતાં કેમ વધુ બળાત્કાર થાય છે ? તેનું કારણ એ છે કે તેમના ધર્મગ્રંથોમાં આવા નિર્દેશો આપવામાં આવ્યા છે કે આ વર્ગની બાળકીઓ અથવા મહિલાઓ પર બળાત્કાર કરવાથી તીર્થયાત્રા કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

બરૈયાને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું આ હિંદુ ધર્મગ્રંથોમાં લખેલું છે? તો તેઓ કહે છે કે હવે તેઓ હિંદુ છે કે નહીં, તેના પર મારે કંઈ કહેવું નથી, પરંતુ મારો કહેવાનો અર્થ એ છે કે ધર્મગ્રંથોમાં લખેલું છે કે (બરૈયા કેટલાક જાતિસૂચક નામોનો ઉલ્લેખ કરે છે) આ જાતિઓ સાથે સહવાસ કરવાથી આ તીર્થનું ફળ મળશે. બરૈયાએ આ વાતો સોશિયલ મીડિયા પર આપેલા ઇન્ટરવ્યુમાં કહી છે.બરૈયા જણાવે છે કે જે લોકો તીર્થ કરવા ન જઈ શકતા હોય તેવા માટે આ વિકલ્પ આપવામાં આવ્યો છે કે આ વર્ગોની યુવતી,બાળકીને ઘરબેઠા પકડીને સહવાસ કરી દો તો તીર્થયાત્રા કર્યાનું ફળ મળી જશે.

તેમણે તર્ક રજૂ કરતા ઉમેર્યુ કે, “4 વર્ષની બાળકી પર બળાત્કાર કેમ થાય છે? કારણ કે ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે અમુક જાતિની મહિલાઓ કે બાળકીઓ સાથે સંબંધ બાંધવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે આ અંધશ્રદ્ધા રાખીને પુણ્ય કમાવવાના ચક્કરમાં SC, ST અને OBC સમાજની સ્ત્રીઓ અને બાળકીઓ પર રેપ વધુ થાય છે”

મધ્યપ્રદેશના દતિયા જિલ્લાની ભાંડર બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયાના આ નિવેદનથી રાજકારણ ગરમાયુ છે અને વિરોધ શરૂ થયો છે,આ નિવેદન બાદ ઈન્દોર એરપોર્ટ પર મીડિયાએ તેમને કરેલા સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું. જોકે, તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “હું મારા નિવેદન માટે માફી નહીં માંગું. હું મહિલાઓનું સન્માન કરું છું.” તેમણે કહ્યુંકે કોંગ્રેસ પાર્ટીને તેમના આ વ્યક્તિગત વિચાર સાથે કોઈ લેવાદેવા નથી.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ
  • June 16, 2026

Ankita Bhandari Case: ઉત્તરાખંડના ચર્ચિત અંકિતા ભંડારી હત્યાકાંડની કાળી પરત હવે વધુ ગહન બની રહી છે. આ કેસમાં એક અજ્ઞાત ‘વીઆઈપી’ ના નામનો રહસ્યમય ઉલ્લેખ વારંવાર થઈ રહ્યો છે, અને…

Continue reading
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત
  • June 16, 2026

Chhattisgarh School Prayer: છત્તીસગઢની શાળાઓમાં હવે પુસ્તકો કરતા પૂજાપાઠનું મહત્વ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે તાજેતરમાં એક એવો આદેશ બહાર પાડ્યો છે જેણે શિક્ષણ જગતમાં ભારે વિવાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 4 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 4 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 12 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 8 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?