Congress MLA: SC-ST વર્ગની બાળકીઓ ઉપર રેપ કરવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે! MLA ફૂલ સિંહ બરૈયાનું નિવેદન

  • India
  • January 18, 2026
  • 0 Comments

Congress MLA: મધ્યપ્રદેશના દતિયા જિલ્લાની ભાંડર બેઠકના ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનથી ભારે હોબાળો મચી ગયો છે તેઓએ કહ્યુ હતું કે ધર્મગ્રંથોમાં લખ્યું છે કે “જો કોઈ તીર્થયાત્રા કરી શકતો ન હોય તો તે જો દલિત કે આદિવાસી વર્ગની મહિલા અથવા બાળકી ઉપર બળાત્કાર કરેતો તેને તીર્થયાત્રા કર્યા જેટલું ફળ પ્રાપ્ત થાય છે!”

બરૈયાનું કહેવું છે કે ભારતમાં આજ કારણથી સૌથી વધુ બળાત્કાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મોસ્ટ ઓબીસી વર્ગની મહિલાઓ યુવતીઓ કે બાળકીઓ સાથે થાય છે.

બળાત્કારની થિયરી એ છે કે કોઈ અતિ સુંદર છોકરી જો દેખાઈ તો માણસનું મગજ વિચલિત થઈ શકે છે અને બળાત્કાર થઈ શકે છે પણ SC-ST વર્ગ એટલે કે આદિવાસીઓ,એસસી, ઓબીસીમાં મહિલાઓ સુંદર દેખાતી હોતી નથી? છતાં કેમ વધુ બળાત્કાર થાય છે ? તેનું કારણ એ છે કે તેમના ધર્મગ્રંથોમાં આવા નિર્દેશો આપવામાં આવ્યા છે કે આ વર્ગની બાળકીઓ અથવા મહિલાઓ પર બળાત્કાર કરવાથી તીર્થયાત્રા કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

બરૈયાને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું આ હિંદુ ધર્મગ્રંથોમાં લખેલું છે? તો તેઓ કહે છે કે હવે તેઓ હિંદુ છે કે નહીં, તેના પર મારે કંઈ કહેવું નથી, પરંતુ મારો કહેવાનો અર્થ એ છે કે ધર્મગ્રંથોમાં લખેલું છે કે (બરૈયા કેટલાક જાતિસૂચક નામોનો ઉલ્લેખ કરે છે) આ જાતિઓ સાથે સહવાસ કરવાથી આ તીર્થનું ફળ મળશે. બરૈયાએ આ વાતો સોશિયલ મીડિયા પર આપેલા ઇન્ટરવ્યુમાં કહી છે.બરૈયા જણાવે છે કે જે લોકો તીર્થ કરવા ન જઈ શકતા હોય તેવા માટે આ વિકલ્પ આપવામાં આવ્યો છે કે આ વર્ગોની યુવતી,બાળકીને ઘરબેઠા પકડીને સહવાસ કરી દો તો તીર્થયાત્રા કર્યાનું ફળ મળી જશે.

તેમણે તર્ક રજૂ કરતા ઉમેર્યુ કે, “4 વર્ષની બાળકી પર બળાત્કાર કેમ થાય છે? કારણ કે ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે અમુક જાતિની મહિલાઓ કે બાળકીઓ સાથે સંબંધ બાંધવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે આ અંધશ્રદ્ધા રાખીને પુણ્ય કમાવવાના ચક્કરમાં SC, ST અને OBC સમાજની સ્ત્રીઓ અને બાળકીઓ પર રેપ વધુ થાય છે”

મધ્યપ્રદેશના દતિયા જિલ્લાની ભાંડર બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયાના આ નિવેદનથી રાજકારણ ગરમાયુ છે અને વિરોધ શરૂ થયો છે,આ નિવેદન બાદ ઈન્દોર એરપોર્ટ પર મીડિયાએ તેમને કરેલા સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું. જોકે, તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “હું મારા નિવેદન માટે માફી નહીં માંગું. હું મહિલાઓનું સન્માન કરું છું.” તેમણે કહ્યુંકે કોંગ્રેસ પાર્ટીને તેમના આ વ્યક્તિગત વિચાર સાથે કોઈ લેવાદેવા નથી.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Bengal Elections: ભાજપમાં સફળ ન થતાં ચંદ્ર કુમાર બોઝ નસીબ અજમાવવા TMCમાં જોડાયા! સુરતમાં વસતા ભાજપના મતદારો 4 ટ્રેન ભરી બંગાળ જશે!
  • April 13, 2026

Bengal Elections:  પ.બંગાળમાં હાલમાં ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે અને અહીં TMC-BJP વચ્ચે મુખ્ય સ્પર્ધા જોવા મળી રહી છે અને બન્ને એકબીજા ઉપર જોરદાર પલટવાર કરી રહયા છે મમતા બેનર્જી ભવાનીપુર…

Continue reading
Asha Bhosle passes away: લોકપ્રિય ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન
  • April 12, 2026

Asha Bhosle passes away: ભારતીય સંગીત જગતના લોકપ્રિય ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે આશાજીના પુત્ર આનંદ ભોંસલેએ આ માહિતી આપી હતી આશા ભોંસલેના નિધનથી દેશભરમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: નરેન્દ્ર મોદી સાહેબે પોતાની ઉંમરના બુઝુર્ગોને દાદા-દાદી કહેતા ઉઠ્યા હાસ્યના ફુવારા! સાહેબ પોતે તો દાદાની ઉંમરે પહોંચ્યા છે!!

  • April 14, 2026
  • 2 views
Modi: નરેન્દ્ર મોદી સાહેબે પોતાની ઉંમરના બુઝુર્ગોને દાદા-દાદી કહેતા ઉઠ્યા હાસ્યના ફુવારા! સાહેબ પોતે તો દાદાની ઉંમરે પહોંચ્યા છે!!

Washington DC: લેબનાન ઉપર હુમલા બંધ થાય પછીજ ચર્ચા! ઈરાનની આ શરત પાળવા વોશિંગ્ટન ડીસીમાં આજે બેઠક

  • April 14, 2026
  • 4 views
Washington DC: લેબનાન ઉપર હુમલા બંધ થાય પછીજ ચર્ચા! ઈરાનની આ શરત પાળવા વોશિંગ્ટન ડીસીમાં આજે બેઠક

Donald Trump: ઈરાને ભારતીય જહાજોને “ટોલ”માંથી આપી મુક્તિ! અમેરિકા-ઈરાન વચ્ચે સામસામી ધમકી આપવાનો સિલસિલો યથાવત

  • April 14, 2026
  • 4 views
Donald Trump: ઈરાને ભારતીય જહાજોને “ટોલ”માંથી આપી મુક્તિ! અમેરિકા-ઈરાન વચ્ચે સામસામી ધમકી આપવાનો સિલસિલો યથાવત

BJP: ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ કેમ આપી? જુઓ, વરિષ્ઠ પત્રકાર શૈયદ શકીલે શુ કહ્યુ?

  • April 13, 2026
  • 5 views
BJP: ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ કેમ આપી? જુઓ, વરિષ્ઠ પત્રકાર શૈયદ શકીલે શુ કહ્યુ?

SIR: બંગાળમાં SIR વિરોધી જુવાળ, The Gujarat Reportનો ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ! જોવાનું ચૂકશો નહિ

  • April 13, 2026
  • 7 views
SIR: બંગાળમાં SIR વિરોધી જુવાળ, The Gujarat Reportનો ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ! જોવાનું ચૂકશો નહિ

Bengal Elections: ભાજપમાં સફળ ન થતાં ચંદ્ર કુમાર બોઝ નસીબ અજમાવવા TMCમાં જોડાયા! સુરતમાં વસતા ભાજપના મતદારો 4 ટ્રેન ભરી બંગાળ જશે!

  • April 13, 2026
  • 14 views
Bengal Elections: ભાજપમાં સફળ ન થતાં ચંદ્ર કુમાર બોઝ નસીબ અજમાવવા TMCમાં જોડાયા! સુરતમાં વસતા ભાજપના મતદારો 4 ટ્રેન ભરી બંગાળ જશે!