
Demolition: મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના ભૈંસદેહી બ્લોકમાં આવેલા ધાબા ગામમાં વહીવટીતંત્ર દ્વારા નિર્માણાધીન શાળાની ઇમારત તોડી પાડવાનો મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે આ ગામમાં શાળા નહિ હોવાથી ગામના બાળકોને દૂર સુધી ભણવા જવું પડતું હતું તેથી ગામના રહેવાસી અબ્દુલ નઈમ નામના એક મુસ્લિમ નાગરિકને વિચાર આવ્યો કે તે પોતાના ગામના બાળકોના સારા ભવિષ્ય માટે સ્વખર્ચે એક શાળા બનાવશે અને શાળા ભવન બનાવવાનું કામ શરૂ કર્યું જેનો ખર્ચ આશરે 20 લાખ રૂપિયા આવ્યો હતો.
આ ગામમાં આશરે 2,000 લોકોની વસ્તી છે, જેમાં ફક્ત ત્રણ મુસ્લિમ પરિવારો રહે છે. નઈમ કહે છે કે તે નર્સરીથી ધોરણ 8 સુધી શાળા ખોલવા માંગતો હતો પરંતુ કેટલાક વિઘ્ન સંતોષી લોકોને આ વાત પસંદ ન આવી અને અફવા ફેલાવી કે ત્યાં એક “ગેરકાયદેસર મદરેસા” ઉભી કરવામાં રહી છે. જોકે, ઇમારત પૂર્ણ પણ થઈ ન હતી અને કોઈ વર્ગો શરૂ થયા ન હતા ત્યારબાદ અચાનક વહીવટીતંત્રે તેને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડવાની નોટિસ જારી કરી દીધી
11 જાન્યુઆરીના રોજ, ગ્રામ પંચાયતે અનધિકૃત બાંધકામનો ઉલ્લેખ કરીને નઈમને તોડી પાડવાની નોટિસ જારી કરી હતી. નઈમ કહે છે કે જ્યારે તે પંચાયત કચેરી ગયો ત્યારે તેની અરજી નામંજૂર કરવામાં આવી હતી અને તેને પાછળથી પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું. તેણે એમ પણ કહ્યું કે 30 ડિસેમ્બરના રોજ, તેણે શાળા શિક્ષણ વિભાગને નર્સરીથી ધોરણ 8 સુધી શાળા ખોલવા માટે અરજી કરી હતી અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો સબમિટ કર્યા હતા.
●કલેક્ટરે તેમને મળવા આવેલા લોકો સાથે સીધી વાત પણ કરી ન હતી.
હવે ગામલોકો પણ નઈમના સમર્થનમાં આવ્યા અને તેઓને ખબર હતી કે નઇમ ગામના હિન્દૂ બાળકો માટે કંઈક સારું કાર્ય કરી રહ્યો છે કારણ કે અહીં મુસ્લિમ વસ્તી નથી માત્ર ત્રણ ઘર હોવાથી તે મુસલમાન નહિ પણ આખા ગામના બાળકો કે જેઓને ગામ બહાર દૂર સુધી ભણવા ન જવું પડે તે માટે શાળા ચાલુ કરવાનું વિચારી રહ્યો છે જેથી ગામલોકો નઇમ ના સમર્થનમાં આવ્યા અને ગ્રામપંચાયતના નિર્ણયનો વિરોધ કરતા ગામમાં વધતા વિરોધને પગલે, પંચાયતે 12 જાન્યુઆરીએ ઉતાવળમાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) જારી કર્યું.
સરપંચે પાછળથી સ્વીકાર્યું કે ગામમાં મદરેસા અંગે કોઈ ફરિયાદ નથી અને પરવાનગી આપવામાં આવી છે આમ છતાં, 13 જાન્યુઆરીએ, જ્યારે ગ્રામજનો કલેક્ટરને મળવા માટે 80 કિમી દૂર જિલ્લા મુખ્યાલય પર ગયા ત્યારે વહીવટીતંત્રની એક ટીમ JCB લઈને આવી અને શાળાના મકાનનો એક ભાગ અને તેની સામેનો શેડ તોડી પાડ્યો હતો.
અને કલેકટરે વાત માનવાનો ઇન્કાર કરી દીધો હતો.
આમ,એક નેક કાર્ય કરવા નીકળેલા અબ્દુલ નઈમનું સપનું પૂર્ણ ન થયું પણ પોતાની જમા જીવન મૂડી પણ ગુમાવવાનો વારો આવ્યો હતો.
આ મુદ્દો ટોક ઓફ ધ કન્ટ્રી બન્યો છે ત્યારે આ મુદ્દે સિનિયર પત્રકાર મયુર જાનીએ વિસ્તારથી પણ ટૂંકમાં કરેલું વિશ્લેષણ જોવાનું ચૂકશો નહિ જુઓ વિડીયો








