Narendramodi: ભાજપનો “સનાતની ઢોંગ” ખુલ્લો પડ્યો! શંકરાચાર્યનું અપમાન અને સાધુઓની ચોટલીઓ પકડીને કેમ માર્યા? જાણો, મોટો ખુલાસો

Narendramodi: ભાજપની યોગી સરકાર એક તરફ સનાતની ધર્મની વાતો કરી હિન્દૂ-મુસલમાન વાળું કરી રહી છે અને બુલડોઝર બાબા કહેડાવી રોલા પાડી રહી છે તો બીજી તરફ પ્રયાગરાજમાં અમાવશ્યાનું સ્નાન કરવા માઘ મેળામાં જઈ રહેલા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના કાફલા ઉપર પોલીસે કારો કેર વર્તાવી દોગલા ચહેરાનું વરવું પ્રદર્શન કર્યું છે.

એકતો શંકરાચાર્યની પાલખી પોલીસે અટકાવી તેઓનો વર્ષો જૂનો પ્રોટોકોલ તોડ્યો પાલખી પોલીસે ઢસડી તેમાં છત્ર તૂટી ગયું અને અપમાન થયું તેમના શિષ્યો અને સાધુના વાળ ખેંચીને મારઝૂડ કરવામાં આવી આ પ્રકારના દ્રશ્યો હિન્દૂઓને જ હચમચાવી ગયા છે માઘ મેળામાં સાધુઓની ચોટલીઓ પકડીને જે રીતે ઢસડવામાં આવ્યા તે બધાએ વાયરલ વીડિયોમાં જોયું SOGની ટીમે જે રીતે શંકરાચાર્યના રથને ધક્કો મારીને બહાર કાઢી નાખ્યો તે પણ જોયું આ વીડિયોમાં સનાતન પ્રત્યેની વાતોનો ભાંડો ફૂટી ગયો છે.

મેળામાં રથ લઈને જવા દરમિયાન શંકરાચાર્યને રથમાંથી ઉતરીને પગપાળા જવાનું કહ્યું અને બખેડો થયો આવું પહેલા ક્યારેય થયું નથી સાધુઓ તેના એક નિયત પ્રોટોકોલ મુજબ રથ લઈને જતા હોય છે અને વર્ષોથી આ થઈ રહ્યું છે આના પર દલીલ થઈ, પછી જોતજોતામાં વિવાદ વધ્યો અને પોલીસે શંકરાચાર્યના તમામ સમર્થકોને કસ્ટડીમાં લઈ લીધા.

બાદમાં શંકરાચાર્યની પાલખીને ખેંચીને સંગમથી 1 કિમી દૂર લઈ જવામાં આવી. આ દરમિયાન પાલખીનું છત્ર પણ તૂટી ગયું. શંકરાચાર્ય સ્નાન પણ કરી શક્યા નહીં અને તેઓ સુન્ન થઈ ગયા અને ઉપવાસ ઉપર બેસી ગયા અને આ ઘટના યોગી અદિત્યનાથના ઈશારે થયાનું કહ્યું છે.

આ સમગ્ર ઘટનાથી નારાજ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પોતાના કેમ્પમાં ધરણા શરૂ કર્યા છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી પોલીસ વહીવટીતંત્ર તેમને સન્માન અને પ્રોટોકોલ સાથે નહીં લઈ જાય ત્યાં સુધી તેઓ ગંગામાં સ્નાન નહીં કરે

પ્રયાગરાજ માઘ મેળામાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેજ જગ્યા ઉપર ધરણાં પર બેઠા છે, જ્યાં પોલીસે તેમનો રથ છોડી દીધો હતો તેઓ પોતાના પંડાલમાં આખી રાત ઠંડીમાં ધરણાં પર પસાર કરી હતી અને 20 કલાકથી અનાજનો એક દાણો પણ ગ્રહણ કર્યો નથી અને પાણી પીવાનું પણ છોડી દીધુ છે.

જ્યાં સુધી પોલીસ પ્રશાસન સન્માન પૂર્વક તેઓના પ્રોટોકોલ મુજબ ત્યાંથી નહીં લઈ જાય, ત્યાં સુધી ગંગા સ્નાન નહીં કરવા પ્રણ લીધું છે,તેઓએ સવારે પોતાની પૂજા અને દંડ તર્પણ તે જ સ્થળે કર્યુ હતું અને ત્યાંજ ઘરણા શરૂ કર્યા છે.

આ મુદ્દો દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો છે છતાં RSS અને ભાજપ મૌન થઈ ગયું છે તેની પાછળના કારણો શુ છે તે પણ જાણવા જેવા છે.

ભાજપના રાજમાં બનેલી આ સનાતન ભાંડફોડની ઘટના અંગે સિનિયર પત્રકાર મયુર જાનીએ જાણીતા વરીષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતનો મત જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ જે વાત કરી તે કદાચ બધાને ખબર નહી હોય આ શંકરાચાર્ય ભાજપને કેમ ગમતા નથી અને આઝાદીની લડાઈમાં પણ અંગ્રેજો સામે લડત આપનાર આ સનાતનીઓની એ ધાર્મિક સંસ્થા છે કે જેઓ ખરેખર ભાજપને મોઢા ઉપર કહેવાની હિંમત રાખે છે જેથી ભાજપને આ સંસ્થા અને તેમના અનુયાયીઓ ગમતા નહિ હોવાની પણ એક તેઓએ જે રીતે કહી છે તે જોવાનું ચૂકશો નહીં પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 4 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 5 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 6 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

  • June 27, 2026
  • 9 views
Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

  • June 27, 2026
  • 10 views
Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

  • June 27, 2026
  • 10 views
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી