Narendramodi: ભાજપનો “સનાતની ઢોંગ” ખુલ્લો પડ્યો! શંકરાચાર્યનું અપમાન અને સાધુઓની ચોટલીઓ પકડીને કેમ માર્યા? જાણો, મોટો ખુલાસો

Narendramodi: ભાજપની યોગી સરકાર એક તરફ સનાતની ધર્મની વાતો કરી હિન્દૂ-મુસલમાન વાળું કરી રહી છે અને બુલડોઝર બાબા કહેડાવી રોલા પાડી રહી છે તો બીજી તરફ પ્રયાગરાજમાં અમાવશ્યાનું સ્નાન કરવા માઘ મેળામાં જઈ રહેલા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના કાફલા ઉપર પોલીસે કારો કેર વર્તાવી દોગલા ચહેરાનું વરવું પ્રદર્શન કર્યું છે.

એકતો શંકરાચાર્યની પાલખી પોલીસે અટકાવી તેઓનો વર્ષો જૂનો પ્રોટોકોલ તોડ્યો પાલખી પોલીસે ઢસડી તેમાં છત્ર તૂટી ગયું અને અપમાન થયું તેમના શિષ્યો અને સાધુના વાળ ખેંચીને મારઝૂડ કરવામાં આવી આ પ્રકારના દ્રશ્યો હિન્દૂઓને જ હચમચાવી ગયા છે માઘ મેળામાં સાધુઓની ચોટલીઓ પકડીને જે રીતે ઢસડવામાં આવ્યા તે બધાએ વાયરલ વીડિયોમાં જોયું SOGની ટીમે જે રીતે શંકરાચાર્યના રથને ધક્કો મારીને બહાર કાઢી નાખ્યો તે પણ જોયું આ વીડિયોમાં સનાતન પ્રત્યેની વાતોનો ભાંડો ફૂટી ગયો છે.

મેળામાં રથ લઈને જવા દરમિયાન શંકરાચાર્યને રથમાંથી ઉતરીને પગપાળા જવાનું કહ્યું અને બખેડો થયો આવું પહેલા ક્યારેય થયું નથી સાધુઓ તેના એક નિયત પ્રોટોકોલ મુજબ રથ લઈને જતા હોય છે અને વર્ષોથી આ થઈ રહ્યું છે આના પર દલીલ થઈ, પછી જોતજોતામાં વિવાદ વધ્યો અને પોલીસે શંકરાચાર્યના તમામ સમર્થકોને કસ્ટડીમાં લઈ લીધા.

બાદમાં શંકરાચાર્યની પાલખીને ખેંચીને સંગમથી 1 કિમી દૂર લઈ જવામાં આવી. આ દરમિયાન પાલખીનું છત્ર પણ તૂટી ગયું. શંકરાચાર્ય સ્નાન પણ કરી શક્યા નહીં અને તેઓ સુન્ન થઈ ગયા અને ઉપવાસ ઉપર બેસી ગયા અને આ ઘટના યોગી અદિત્યનાથના ઈશારે થયાનું કહ્યું છે.

આ સમગ્ર ઘટનાથી નારાજ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પોતાના કેમ્પમાં ધરણા શરૂ કર્યા છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી પોલીસ વહીવટીતંત્ર તેમને સન્માન અને પ્રોટોકોલ સાથે નહીં લઈ જાય ત્યાં સુધી તેઓ ગંગામાં સ્નાન નહીં કરે

પ્રયાગરાજ માઘ મેળામાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેજ જગ્યા ઉપર ધરણાં પર બેઠા છે, જ્યાં પોલીસે તેમનો રથ છોડી દીધો હતો તેઓ પોતાના પંડાલમાં આખી રાત ઠંડીમાં ધરણાં પર પસાર કરી હતી અને 20 કલાકથી અનાજનો એક દાણો પણ ગ્રહણ કર્યો નથી અને પાણી પીવાનું પણ છોડી દીધુ છે.

જ્યાં સુધી પોલીસ પ્રશાસન સન્માન પૂર્વક તેઓના પ્રોટોકોલ મુજબ ત્યાંથી નહીં લઈ જાય, ત્યાં સુધી ગંગા સ્નાન નહીં કરવા પ્રણ લીધું છે,તેઓએ સવારે પોતાની પૂજા અને દંડ તર્પણ તે જ સ્થળે કર્યુ હતું અને ત્યાંજ ઘરણા શરૂ કર્યા છે.

આ મુદ્દો દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો છે છતાં RSS અને ભાજપ મૌન થઈ ગયું છે તેની પાછળના કારણો શુ છે તે પણ જાણવા જેવા છે.

ભાજપના રાજમાં બનેલી આ સનાતન ભાંડફોડની ઘટના અંગે સિનિયર પત્રકાર મયુર જાનીએ જાણીતા વરીષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતનો મત જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ જે વાત કરી તે કદાચ બધાને ખબર નહી હોય આ શંકરાચાર્ય ભાજપને કેમ ગમતા નથી અને આઝાદીની લડાઈમાં પણ અંગ્રેજો સામે લડત આપનાર આ સનાતનીઓની એ ધાર્મિક સંસ્થા છે કે જેઓ ખરેખર ભાજપને મોઢા ઉપર કહેવાની હિંમત રાખે છે જેથી ભાજપને આ સંસ્થા અને તેમના અનુયાયીઓ ગમતા નહિ હોવાની પણ એક તેઓએ જે રીતે કહી છે તે જોવાનું ચૂકશો નહીં પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

India: અમેરિકા-યુરોપ અને ભારતની ટ્રેડ ડીલથી નરેન્દ્ર મોદી સામે કેમ આંગળીઓ ઉઠી રહી છે? જુઓ વિસ્તૃત વિશ્લેષણ
  • February 12, 2026

India: ભારતમાં પીએમ મોદી અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથેની ટ્રેડ ડીલ ભારતના ફાયદામાં હોવાનું જણાવી રહયા છે ત્યારે વિપક્ષ દ્વારા ભારતીય ખેડૂતોને મોટાપાયે નુકશાનની ભીતિ વ્યક્ત કરી વિરોધ વ્યક્ત કરાઈ…

Continue reading
Donald Trump: મોદી સાહેબના પર્સનલ મિત્રો વિશે જાણો, ડોનાલ્ટ ટ્રમ્પ વિશે શું કહો છો?
  • February 11, 2026

Donald Trump: ભારતના વડાપ્રધાન મોદી સાહેબ દુનિયામાં ઘણા પર્સનલ મિત્રો ધરાવે છે તેઓ આવા મિત્રોને પર્સનલ મિત્રતા ગણાવતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે તેમાંય ટ્રમ્પ પણ પર્સનલ મિત્ર છે અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Yogi Adityanath: બધાજ શંકરાચાર્ય ન બની શકે! યોગી આદિત્યનાથનું નિવેદન, બેઉ “ભગવા” બાથે વળગ્યા! હિન્દુત્વનો ફુગ્ગો ફૂટી ગયો!!

  • February 14, 2026
  • 3 views
Yogi Adityanath: બધાજ શંકરાચાર્ય ન બની શકે!  યોગી આદિત્યનાથનું નિવેદન, બેઉ “ભગવા” બાથે વળગ્યા! હિન્દુત્વનો ફુગ્ગો ફૂટી ગયો!!

Surendranagar: સુરેન્દ્રનગરમાં મતદારોના નામો કમી કરવા મામલે જોરદાર વિરોધ, જુઓ ખાસ ચર્ચા

  • February 13, 2026
  • 3 views
Surendranagar: સુરેન્દ્રનગરમાં મતદારોના નામો કમી કરવા મામલે જોરદાર વિરોધ, જુઓ ખાસ ચર્ચા

Kutch: વિકાસ ગૌચર ગળી જશે! ગાય માતાના મોઢાનો કોળિયો છીનવી ન લેવા ચારણ સમાજની બહેનોએ મોદીને પત્ર લખ્યો!

  • February 13, 2026
  • 3 views
Kutch: વિકાસ ગૌચર ગળી જશે! ગાય માતાના મોઢાનો કોળિયો છીનવી ન લેવા ચારણ સમાજની બહેનોએ મોદીને પત્ર લખ્યો!

India: અમેરિકા-યુરોપ અને ભારતની ટ્રેડ ડીલથી નરેન્દ્ર મોદી સામે કેમ આંગળીઓ ઉઠી રહી છે? જુઓ વિસ્તૃત વિશ્લેષણ

  • February 12, 2026
  • 6 views
India: અમેરિકા-યુરોપ અને ભારતની ટ્રેડ ડીલથી નરેન્દ્ર મોદી સામે કેમ આંગળીઓ ઉઠી રહી છે? જુઓ વિસ્તૃત વિશ્લેષણ

Banas Dairy: બનાસ ડેરીમાં ₹ 121 કરોડનુ કૌભાંડ! જાગૃત નાગરિકે તપાસની માંગ સાથે શરૂ કર્યું ઉપવાસ આંદોલન

  • February 12, 2026
  • 4 views
Banas Dairy: બનાસ ડેરીમાં ₹ 121 કરોડનુ કૌભાંડ! જાગૃત નાગરિકે તપાસની માંગ સાથે શરૂ કર્યું ઉપવાસ આંદોલન

Donald Trump: મોદી સાહેબના પર્સનલ મિત્રો વિશે જાણો, ડોનાલ્ટ ટ્રમ્પ વિશે શું કહો છો?

  • February 11, 2026
  • 6 views
Donald Trump: મોદી સાહેબના પર્સનલ મિત્રો વિશે જાણો, ડોનાલ્ટ ટ્રમ્પ વિશે શું કહો છો?