Surat Corruption: રાજ્યમાં રોડ-રસ્તા અને જાહેર બંધકામોમાં વ્યાપક ગેરરીતિઓની ઉઠેલી ફરિયાદો વચ્ચે સુરતના તડકેશ્વર ગામમાં કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન જ ધડાકાભેર તૂટી પડતા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની પોલ ખુલ્લી પડી ગઈ છે.સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ધામ માટે જાણીતા તડકેશ્વર ગામને તાપીનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી ₹ 21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકીમાં ટ્રાયલ માટે પાણી ભરવામાં આવતું હતું ત્યારે ટાંકી હજુતો માંડ અડધી ભરાઈ હશે ત્યાંજ કડાકાભેર તૂટી પડતા કામમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે.15 મીટર ઊંચી ટાંકીમાં 11 લાખ લિટર પાણી ભરવાની ક્ષમતા હતી.
આ દુર્ઘટનામાં એક મહિલા સહિત ત્રણ મજૂરોને ઈજા પહોંચી હતી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાયપગલા જગ્યામાં તાપી પાણીપુરવઠા યોજના હેઠળ 33 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવનાર હતું અને તેની રાહ જોઈ રહેલા લોકો આ ઘટનાથી નિરાશ થઈ ગયા છે.બે એન્જિનિયર સસ્પેન્ડ આ મામલે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરીને નાયબ કાર્યપાલક એન્જિનિયર જય ચૌધરી અને તત્કાલીન કાર્યપાલક એન્જિનિયર રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે.
હવે જો નવી નક્કોર ટાંકી તૂટી પડતી હોય તો ગુજરાતમાં 200 પાણીની ટાંકી જર્જરિત અવસ્થામાં છે ત્યાં કોઈ દુર્ઘટના બની શકે તેમ છે.
સરકારી કામોમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર બહાર આવી રહયા છે ત્યારે આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે જે અત્રે પ્રસ્તુત છે.જુઓ વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









