Prayagraj: દેશના પ્રયાગરાજમાં “હિન્દૂ વિરુદ્ધ હિન્દૂ” !! શંકરાચાર્ય અને અદિત્યનાથ યોગીના બે જૂથો પડ્યા!! સનાતન ધર્મની ડીંગો હાંકતા રાજકારણીઓના ચહેરા ખુલ્લા પડ્યા!

  • Gujarat
  • January 25, 2026
  • 0 Comments

● બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું, સનાતન ધર્મની ફજેતી થઈ રહી છે.

●અવિમુક્તેશ્વરાનંદના જીવને જોખમ હોવાનો શિષ્યોનો દાવો, શિબિરમાં અજાણ્યા ઈસમો ઘૂસી ગયા અને આદિત્યનાથ યોગીના સમર્થનમાં નારા લગાવવા લાગ્યા

● દેશમાં પહેલીવાર હિન્દૂ લોકોમાં અવઢવ કે કોને સનાતની કહેવા જોઈએ આતો જાહેરમાં તમાશો થઈ રહયો છે અને શંકરાચાર્યની ડીગ્રી પૂછવામાં આવે છે તેઓને ઢસડીને દૂર હડસેલી દેવાય છે સાધુઓની ચોટલીઓ પકડીને માર મરાય છે, આ કેવું હિંદુત્વ એક તરફ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને બીજી તરફ યોગી જીંદાબાદના નારા લગાવાય છે.

● શિબિરમાં યુવકોએ ઘૂષણખોરીનો પ્રયાસ કર્યો હોવાનો શિષ્યોનો દાવો

Prayagraj: દેશના પ્રયાગરાજમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા પ્રશાસન વચ્ચે 7 દિવસથી ચાલી રહેલા વિવાદ મામલે યોગી સરકારની સનાતન વાળી પોલ ખુલી ગઈ છે કારણકે મઠના અવિમુક્તેશ્વરાનંદ જેવા શંકરાચાર્ય કક્ષાના સંતની જાહેરમાં ઈજ્જત ઉપર હાથ નાખવામાં આવ્યો છતાં યોગી ચૂપ છે.

અહીં અવિમુક્તેશ્વરાનંદજી ઘરણા કરી રહયા છે ત્યાં પણ યોગીના સમર્થકો ઘૂસી આવે છે અને યોગીના સમર્થનમાં નારા લગાવી રહયા છે, સલામતીના કારણોસર શિબિરની અંદર અને બહાર 12 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે,અવિમુક્તેશ્વરાનંદજીના શિષ્યોનું કહેવું છે કે શંકરાચાર્ય રસ્તા પર ઘરણા પર બેઠા છે અને વહીવટીતંત્ર અને તેમના ગુંડાઓ ત્યાં ફરી રહયા છે સંતોના વેશમાં ગુંડાઓ અહીં આસપાસ ફરતા હોય તેમનાથી શંકરાચાર્યના જીવને જોખમ ઉભું થયું છે.

સનાતન ધર્મની વાતો કરતા ફરતા યોગીના રાજમાં સાધુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે હવે વિપક્ષ પણ સવાલો ઉઠાવી રહ્યું છે આ બધા વચ્ચે અખિલેશ યાદવે કહ્યું કે લખનઉમાં પ્રયાગરાજ અને શંકરાચાર્ય વિવાદ વિશે કહ્યું- અમને ખુશી છે કે શંકરાચાર્ય મક્કમ છે અને દરેક સનાતની તેમની સાથે છે. તેમણે ખોટા સનાતનીઓનો પર્દાફાશ કર્યો છે અમે તેમની સાથે સીધા સંપર્કમાં હોવાનું મીડિયાને જણાવ્યું હતું.

દરમિયાન બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે “બંને પક્ષ સનાતની છે, સાથે બેસીને સમાધાન કરે,સનાતન ની મજાક બનવાથી કોઈ ફાયદો નથી” જાહેર છે કે તેમનો ઈશારો યોગી અદિત્યનાથ તરફ હતો.

બીજી તરફ અવિમુક્તેશ્વરાનંદે ડેપ્યુટી સીએમ કેશવ મૌર્યને સમજદાર નેતા ગણાવી જણાવ્યું કે ડેપ્યુટી સીએમ સમજદાર છે, આવા વ્યક્તિ મુખ્યમંત્રી પદ પર હોવા જોઈએ. તેઓ સમજે છે કે અધિકારીઓએ ભૂલ કરી છે જે કબૂલે છે પણ ખરેખર મુખ્યમંત્રી છે તે ચૂપ છે હકીકતમાં યુપીના ડેપ્યુટી સીએમ કેશવ મૌર્યએ ગુરુવારે કહ્યું હતું- પૂજ્ય શંકરાચાર્યજીના ચરણોમાં પ્રણામ કરું છું. તેમને પ્રાર્થના કરું છું કે સ્નાન કરે.

મેળા પ્રશાસન સાથેના ઘર્ષણને કારણે અવિમુક્તેશ્વરાનંદે મૌની અમાસ પછી વસંત પંચમીનું પણ સંગમ સ્નાન પણ કર્યું ન હતું. અવિમુક્તેશ્વરાનંદનું કહેવું છે કે- જ્યાં સુધી પ્રશાસન માફી નહીં માંગે, ત્યાં સુધી હું સ્નાન નહીં કરું હાલમાં,મામલો ગુંચવાયેલો રહ્યો છે અને અવિમુક્તેશ્વરાનંદને શંકરાચાર્ય સાબિત કરવા બે નોટિસ મોકલવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 18મી જાન્યુઆરીના રોજ માઘ મેળામાં મૌની અમાસ પર અવિમુક્તેશ્વરાનંદ પાલખીમાં સવાર થઈને સ્નાન કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા અને પાલખીમાંથી ઉતરીને પગપાળા જવાનું કહેતા પરંપરા નહિ તૂટે તેવા શિષ્યો દ્વારા થયેલા વિરોધ બાદ પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં પોલીસે સાધુઓની ચોટલીઓ પકડીને ઢસડયા હતા અને અવિમુક્તેશ્વરાનંદની પાલખી પોલીસ એક કિલોમીટર દૂર ખેંચી ગયા જેમાં છત્ર તૂટી ગયું આ ઘટના બાદ હેબતાઈ ગયેલા વિમુક્તેશ્વરાનંદ શિબિરની બહાર ધરણા પર બેસી ગયા હતા. પ્રશાસને અવિમુક્તેશ્વરાનંદને 48 કલાકમાં બે નોટિસ જારી કરી હતી

પહેલી નોટિસમાં તેમના શંકરાચાર્યની પદવી લખવા પર સવાલો પૂછવામાં આવ્યા હતા, જ્યારે બીજી નોટિસમાં મૌની અમાસને લઈને થયેલા હોબાળા પર સવાલો પૂછવામાં આવ્યા. પ્રશાસને ચેતવણી આપી હતી કે શા માટે તમને હંમેશા માટે માઘ મેળામાંથી પ્રતિબંધિત ન કરવામાં આવે.

અવિમુક્તેશ્વરાનંદે બંને નોટિસના જવાબ મોકલી દીધા હતા પણ જ્યાં સુધી તંત્ર માફી ન માંગે ત્યાં સુધી સ્નાન નહિ કરવાની હઠ લઈ ઘરણા ઉપર બેસી ગયા છે પરિણામે વિવાદ ઉગ્ર બન્યો છે અને ભગવા કપડાં પહેરી સનાતન ધર્મની વાતો કરનાર યોગી ચૂપ થઈ જતા સામાંન્ય જનતામાં પણ હિંદુત્વનો પડદો હઠી ગયો છે અને રાજકારણમાં હિન્દૂની વાતો માત્ર વોટબેંક પૂરતી હોવાનું ખુલ્લું પડતા ભારે ફજેતી થઈ રહી છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 5 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”