
Narendramodi: ગુજરાતમાં વાઘ નથી અને નરેન્દ્રભાઈ મોદીએ ખૂબજ જલ્દી ગુજરાતમાં વાઘ લાવી દઇશ તેવી જાહેરાત કરી હતી અને વાઘ સફારી બનાવવાની વાતો થઈ પણ લાંબા સમયથી તે બધું અન્ડર પ્રોસેસ છે અને હજુ સુધી એ શક્ય બન્યું નથી પણ એક વાત જરૂર બની જેમાં વાઘ આવ્યો પણ સિંહ ગયો.
અર્જુન મોઢવાડીયા એક સમયે સિંહની જેમ ટ્રાડો પાડતા હતા તે હવે શિયાળ બની ગયા છે અને હવે તેઓ કહે છે કે ગુજરાતમાં વાઘનું આગમન થઈ ગયું છે.
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અગાઉ કહ્યું હતું કે દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવન અભયારણ્યમાં એક વાઘ છેલ્લા કેટલાક મહિનાથી વસવાટ કરી રહ્યો છે. તેમણે તે ઐતિહાસિક ક્ષણની તસવીરો પણ શેર કરી હતી, મધ્યપ્રદેશની સરહદથી એક નર વાઘ કુદરતી રીતે ગુજરાતના જંગલમાં પ્રવેશ્યો હોવાનું તેઓએ કહ્યુ હતુ
બીજું કે મોઢવાડિયાએ આ કુદરતી રીતે આવી ચડેલા વાઘ આવવાની સફળતાનો શ્રેય પણ તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વને આપતા કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આ વાઘને અહીં સુરક્ષિત અને કાયમી ઘર સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધતાથી કાર્યરત છે.”
આમ,”વાઘ તો આવ્યો પણ સિંહ ગયો” ની વાત સાથે સિનીયર પત્રકાર દિલીપ પટેલે આ મુદ્દા ઉપર વિસ્તુત છણાવટ કરી છે તે જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા








