Parul University: પારુલ યુનિના બુઢ્ઢા સંચાલકે બીજા વર્ષમાં ભણતી સ્ટુડન્ટ ઉપર રેપ કર્યાની ઘટનાએ ભારે ધમાલ મચાવી હતી! ગેરકાયદે એડમિશન મામલે પણ યુનિ બદનામ થઈ હતી! જાણો સમગ્ર મામલો

Parul University: દેશમાં આજકાલ ગલગોટિયા યુનિવર્સિટી ભારે ચર્ચામાં છે જેણે ચીની પ્રોડક્ટને પોતાની ગણાવી વિશ્વભરમાં ભારતનું નામ ખરાબ કર્યું છે ત્યારે આવી અનેક યુનિવર્સિટીઓ છે જેનો વહીવટ વિવાદાસ્પદ રહ્યો છે.

આવામાં ગુજરાતમાં વડોદરા સ્થિત વાઘોડિયા ખાતે લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટી પણ તેના કારનામાને કારણે અવારનવાર ચર્ચામાં આવતી રહે છે.

Parul University ભૂતકાળમાં ફાર્મસી કોલેજોમાં ગેરકાયદે એડમિશનના કારણે પણ ભારે ગાજી હતી ગુજરાત હાઈકોર્ટે પારુલ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલા 38 ગેરકાયદે એડમિશનને કેન્સલ કરી દઈ તેને લપડાક મારી હતી.

આ એડમિશન પારુલ યુનિ. સાથે સંલગ્ન ત્રણ ફાર્મસી કોલેજોમાં આપવામાં આવ્યા હતા જેને લઈ વિદ્યાર્થીઓના વર્ષ બગડતા હાઈકોર્ટે તેમને 12 ટકા વ્યાજ સાથે તેમની ફી પરત કરવા તથા 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે આદેશ કર્યો હતો આવા કાંડ કરનારી આ યુનિવર્સિટી સતત ચર્ચામાં રહી હતી.

આપને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ મેયીએ પારુલ યુનિવર્સિટી તથા તેની ત્રણ ફાર્મસી કોલેજો – પારુલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન (વાઘોડિયા), ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ રિસર્ચ (વડોદરા) અને પારુલ કોલેજ ઓફ ફાર્મસી એન્ડ રિસર્ચ સામે પગલા લેવા માટે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC)ને આદેશ આપ્યો હતો.

ચોંકાવનારી વાત એ હતી કે આ કોલેજો સુપ્રીમ કોર્ટના આદેશ અને અન્ય નિયમોનો ભંગ કરીને વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા હતા. એડમિશન લેવાની ડેડલાઈન 16 જાન્યુઆરી 2023 વીતી ગયા બાદ પણ એડમિશન અપાયા હોવાનો ખુલાસો થયો હતો.

આવા ભૂતકાળમાં પણ અનેક કાંડ પૈકી બીજા વર્ષની સ્ટુડન્ટ ઉપર રેપ કરવાનો મામલો ભારે ચર્ચામાં રહયો હતો.

■2016માં કોલેજની સેકન્ડ યેરની સ્ટુડન્ટ ઉપર યુનિમાં રેપ થવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી.

પારૂલ યુનિવસીર્ટી કોઈને કોઈ વિવાદમાં સતત રહેતી આવી છે અહીં કેમ્પસમાં સ્ટાફ કવોટર્સમાં નર્સિંગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર પારૂલ યુનિવસીર્ટીનાં જ મોટી ઉંમરના સંચાલક ચેરમેન ડો. જયેશ પટેલ દ્વારા દુષ્કર્મ ગુજાર્યાનો ગંભીર અને આરોપ લાગ્યો હતો. રાજ્યનાં શિક્ષણ જગતમાં જે તે સમયે ભારે ચકચાર મચી હતી.
બળાત્કારનો ભોગ બન્યા બાદ પિડિતાએ પહેલા અભયમ 181નો સંપર્ક કરતા અભ્યમની ટીમ પારૂલ યુનિવસીર્ટીનાં કેમ્પસમાં ઘટનાં સ્થળે પહોચી ગઇ હતી અને સ્થાનિક પોલીસને જાણ કરી પિડિતા દ્વારા ફરિયાદ લેવામાં આવી હતી.

પારૂલ યુનિવસીર્ટીનાં સંચાલક ડો.જયેશ પટેલે યુનિવસીર્ટીની રેકટર ભાવનાબેનની મદદથી પિડિતા ને રૂમમાં બોલાવી હતી અને પરીક્ષામાં પાસ કરવા સાથે 100 ટકા હાજરી પુરી દેવાની ખાત્રી આપવાની વાત કરી ધમકી આપી કપડાં ઉતારી ગુપ્તાંગમાં કોઈ ટ્યુબ જેવું લગાવી બળજબરીપુર્વક દુષ્કર્મ ગુર્જાયું હતું. જોક પિડિતાએ વિરોઘ કરતા તેને યુનિવસીર્ટીમાંથી રેસ્ટ્રીકેટ કરાવી દેવાની ઘમકી પણ આપવામાં આવી હતી આ મામલો ભારે ચર્ચાસ્પદ રહ્યો હતો.

પીડીતાએ આપેલા નિવેદન મુજબ 16 જૂન 2016ના રોજ તેને ભાવનાબેન જયેશ પટેલ જે રૂમમાં હતો ત્યાં મૂકી જતા રહયા અહીં પહેલેથી જ હોમિયોપેથિકની બીજા વર્ષની ચાર છોકરીઓ હાજર હતી તે તમામ બિયર પીતી હતી જ્યારે પીડિતાને બિયર પીવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે ઇન્કાર કર્યો ત્યારબાદ બધી છોકરીઓને ત્યાંથી જતા રહેવાનું જણાવી પોતાની ઉપર જયેશ પટેલે બળાત્કાર કર્યો, આ ઘટનાએ જેતે વખતે ભારે ચકચાર જગાવી હતી.

■ આ બળાત્કારી જયેશ પટેલનું 2020માં મોત થયું હોવાનું રેકર્ડ ઉપર છે

પારૂલ યૂનિવર્સિટીના સ્થાપક અને પૂર્વ પ્રમુખ જયેશ પટેલનું 72 વર્ષની વયે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કિડની વિભાગમાં 2020 ઓગષ્ટ માં મૃત્યું થયું હતું.

જયેશ પટેલને લિવર સોરાયસિસની તકલીફ હતી જેને લઇને તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો અને મોત થઈ ગયું.

જોકે જયેશ પટેલના મૃત્યુને લઈ અનેક અટકળો ચાલી રહી છે કેટલાક તેઓનું મોત થયું હોવાની વાત સ્વીકારતા નહિ હોવાની ચર્ચાઓ છે.

■ પારુલ યુનિની સ્થાપના ક્યારે અને કોણે કરી ?

જયેશ પટેલે 2009માં પારૂલ ઇન્સ્ટીટયૂટની સ્થાપના કરી હતી. ત્યારબાદ તેને 2015માં યુનિવર્સિટી તરીકે માન્યતા મળી હતી.

જો કે ત્યારબાદ તેઓ રાજકારણમાં જોડાયાં હતા. જયેશ પટેલ સૌ પ્રથમ કોંગ્રેસમાં જોડાયા અને વાઘોડિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડ્યા ત્યારબાદ તેઓએ ભાજપમાં જોડાયા હતા.

આ સિવાય અનેક મુદ્દે પારુલ યુનિવર્સિટી વિવાદમાં રહી છે ત્યારે સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ સિવાયના અન્ય મુદ્દાઓ સાથે વધુ વિગતો આપી છે જે વીડિયોમાં જોવાનું ચૂકશો નહિ.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ કેમ આપી? જુઓ, વરિષ્ઠ પત્રકાર શૈયદ શકીલે શુ કહ્યુ?
  • April 13, 2026

BJP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ (BJP) વિવિધ જિલ્લાઓમાં નોંધપાત્ર સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે સુરતના…

Continue reading
BJP: અમદાવાદમાં પાયાના કામો નહિ થતાં ભાજપ સામે જનતામાં વિરોધ, જુઓ વિડીયો
  • April 12, 2026

BJP: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અગાઉ (મ્યુનિસિપલ કોર્પોરેશન) અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (ગાંધીનગર લોકસભા) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (ઘાટલોડિયા વિધાનસભા) ના મત વિસ્તારોમાં તાજેતરમાં સ્થાનિક પ્રશ્નોને લઈને લોકોમાં નારાજગી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

New Chief Minister of Bihar: બિહારના નવા CM તરીકે સમ્રાટ ચૌધરીના નામની મહોર ; તા.15 એપ્રિલે લેશે શપથ

  • April 14, 2026
  • 10 views
New Chief Minister of Bihar: બિહારના નવા CM તરીકે સમ્રાટ ચૌધરીના નામની મહોર ; તા.15 એપ્રિલે લેશે શપથ

Election: ભાજપે 300 બેઠકો ઉપર બાજી મારી! ખરીદ-વેચાણનો ભાવ 30થી 40 લાખ રૂપિયા? ચૂંટણી અધિકારીએ ભાજપના ક્યા નેતાના પ્રેશરથી આત્મહત્યા કરી? જાણો

  • April 14, 2026
  • 18 views
Election: ભાજપે 300 બેઠકો ઉપર બાજી મારી! ખરીદ-વેચાણનો ભાવ 30થી 40 લાખ રૂપિયા? ચૂંટણી અધિકારીએ ભાજપના ક્યા નેતાના પ્રેશરથી આત્મહત્યા કરી? જાણો

Big political changes in Bihar: નીતિશ કુમાર પોતાની છેલ્લી કેબિનેટ બેઠકમાં થયા ભાવુક : મંત્રીઓ રડી પડ્યા!

  • April 14, 2026
  • 15 views
Big political changes in Bihar: નીતિશ કુમાર પોતાની છેલ્લી કેબિનેટ બેઠકમાં થયા ભાવુક : મંત્રીઓ રડી પડ્યા!

Modi: નરેન્દ્ર મોદી સાહેબે પોતાની ઉંમરના બુઝુર્ગોને દાદા-દાદી કહેતા ઉઠ્યા હાસ્યના ફુવારા! સાહેબ પોતે તો દાદાની ઉંમરે પહોંચ્યા છે!!

  • April 14, 2026
  • 20 views
Modi: નરેન્દ્ર મોદી સાહેબે પોતાની ઉંમરના બુઝુર્ગોને દાદા-દાદી કહેતા ઉઠ્યા હાસ્યના ફુવારા! સાહેબ પોતે તો દાદાની ઉંમરે પહોંચ્યા છે!!

Washington DC: લેબનાન ઉપર હુમલા બંધ થાય પછીજ ચર્ચા! ઈરાનની આ શરત પાળવા વોશિંગ્ટન ડીસીમાં આજે બેઠક

  • April 14, 2026
  • 9 views
Washington DC: લેબનાન ઉપર હુમલા બંધ થાય પછીજ ચર્ચા! ઈરાનની આ શરત પાળવા વોશિંગ્ટન ડીસીમાં આજે બેઠક

Donald Trump: ઈરાને ભારતીય જહાજોને “ટોલ”માંથી આપી મુક્તિ! અમેરિકા-ઈરાન વચ્ચે સામસામી ધમકી આપવાનો સિલસિલો યથાવત

  • April 14, 2026
  • 9 views
Donald Trump: ઈરાને ભારતીય જહાજોને “ટોલ”માંથી આપી મુક્તિ! અમેરિકા-ઈરાન વચ્ચે સામસામી ધમકી આપવાનો સિલસિલો યથાવત