
Harsh Sanghvi: રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ હમણાં હમણાં સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમમાં માલધારી સમાજ સમક્ષ ગૌ રક્ષાની મોટી મોટી વાતો કરી પણ તેઓ ભૂલી ગયા કે ખુદ સરકારે કબુલ્યું છે કે ગુજરાતમાં મોટા પાયે ગૌ હત્યા થઈ છે, વિધાનસભા ગૃહમાં આપવામાં આવેલા સરકારના લેખિત જવાબ મુજબ છેલ્લા બે વર્ષમાં કુલ 43,604 કિલો ગૌમાંસ ઝડપાયું છે.
હવે ભાજપ જ ગૌ હત્યા પ્રતિબંધિત કાયદો લાવી હોવાછતાં ગાયોની કતલ થઈ રહી છે.
બીજી વાત ગાય માતાના ગૌચર પણ ભૂ માફિયા ખાઈ ગયા તેની સામે સરકાર શુ કરે છે? જો કડક કાર્યવાહી થાય તો ગૌચર ખાઈ જવાની કોઈ કોશિશ કરે ખરું?
વર્ષ 2015માં ગૌચર માટેની નીતિ અને ત્યાર બાદ 2019માં પરિપત્ર જેનો અમલ આજ સુધી ન થતાં સ્થિતિ એવી થઈ છે કે ગુજરાતમાં 43 લાખ હેક્ટર ગૌચરની જરૂર છે જેમાં 2 કરોડ પશુની સામે માત્રને માત્ર 8 લાખ હેક્ટર ગૌચર જમીન છે. ખરાબાની અને ગૌચરની જમીન ભાડે-વેચાણથી અપાઇ હોવાનો વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે.
ગુજરાતના 2303 ગામોમાં ગૌચર જ ન રહયા હોવાની વાત પણ સામે આવી છે. ગૌચરની જમીન પર ભૂમાફિયા ખાઈ ગયા છે.
હવે સવાલ સરકારની નીતિ અને પરિપત્ર બાદની એકશનનો છે. સવાલ એ છે કે ભૂમાફિયાને બળ કોણ આપે છે? સવાલ એ છે કે અબોલ પશુઓનો હક છીનવનારા સામે પગલા ભરવામાં હાથ કેમ હાથ બંધાયેલા છે? આ બધા સવાલનો જવાબ ક્યાંય મળતો નથી અને હર્ષ સંઘવી જે રીતે વાતો કરી રહયા હતા તે વિરોધાભાસ ઉભી કરતી હતી આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે જુઓ વિડીયો.








