Iran war: ઈસ્લામિક વિચારધારા ખતમ કરવા શરૂ થયેલા કથિત જંગમાં સેંકડો નિર્દોષ લોકોના મોત! અબજોનું નુકશાન! જાણો રોજના કેટલો થઈ રહ્યો છે ખર્ચ!

  • World
  • March 6, 2026
  • 0 Comments

Iran War: ઈસ્લામિક સંગઠન બનાવી તેની આગેવાની લેનાર ઈરાન ઉપર અમેરિકા-ઇઝરાયલે કરેલા હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધના આજે સાતમા દિવસે ઇરાનની રેડ ક્રેસન્ટ સોસાયટીએ જણાવ્યું છે કે ઈરાનમાં 3,000થી વધુ મકાનો અને 500થી વધુ દુકાનો તબાહ થઈ ગઈ છે,અમેરિકા અને ઈઝરાયેલે ઇરાનની રાજધાની તેહરાનને સૌથી વધુ ટાર્ગેટ કરી છે.

ઈરાનમાં 14 હોસ્પિટલો અને મેડિસિન સેન્ટરો પણ હુમલાનો ભોગ બન્યા છે,આજે સાતમા દિવસે ઈરાનમાં 1200થી વધુ લોકો માર્યા ગયા છે અનેક લોકો ઘાયલ થયા છે,જ્યારે લગભગ 300 ઈરાની મિસાઈલ લોન્ચર્સ પણ નષ્ટ થઈ ગયા છે. યુદ્ધના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં વીજળી અને પાણીનો પુરવઠો ખોરવાઈ જતા મુશ્કેલી ઉભી થઇ છે.

ઈરાન યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 4.35 લાખ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. યુદ્ધ શરૂ થયાના પહેલા 24 કલાકમાં જ ભારે સૈન્ય ખર્ચ થયો અને દરરોજ અબજો રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે,તે જ સમયે, તેહરાનમાં સતત બોમ્બમારાને કારણે 12 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતું આઝાદી સ્ટેડિયમ નાશ પામ્યું છે,બીજી તરફ આ યુદ્ધ શરૂ થયાના 100 કલાકમાં જ અમેરિકાએ લગભગ 3.7 અબજ ડોલર (33 હજાર કરોડ રૂપિયા) ખર્ચ કરી નાખ્યો છે,ઈરાન ઉપર હુમલા કરવા માટે અમેરિકા રોજના લગભગ 891 મિલિયન ડોલર (8 હજાર કરોડ રૂપિયા) ખર્ચ કરી રહ્યું હોવાની વિગતો સામે આવી છે.

જ્યારે ઈઝરાયેલ ઈરાન અને લેબનોન એમ બે મોરચે હુમલા કરીને તબાહી મચાવી રહ્યું છે,ઇઝરાયલી હુમલાઓને કારણે લેબનોનમાં પાંચ લાખ લોકો બેઘર બની ગયા છે,લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવારથી અત્યાર સુધીમાં ઇઝરાયલ દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓમાં 123 લોકોના મોત થયા છે અને 683 લોકો ઘાયલ થયા છે.

ઇઝરાયલી વાયુસેનાનું કહેવું છે કે આ અભિયાનની શરૂઆતથી અત્યાર સુધીમાં બેરૂતના દહિયા વિસ્તારમાં 26 વખત હવાઈ હુમલા કરવામાં આવ્યા છે,સેનાના જણાવ્યા અનુસાર હિઝબુલ્લાહ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન દક્ષિણ લેબનોનમાં 4 લાખ 20 હજારથી વધુ લોકોએ પોતાના ઘર છોડી દીધા છે. દહિયા વિસ્તારમાંથી પણ હજારો લોકો નીકળી ગયા છે.

ઇઝરાયલી સેનાના સૂત્રોના હવાલેથી મળતી વિગતો મુજબ ઈઝરાયેલ દ્વારા લેબનોનમાં 500થી વધુ સ્થળો પર હુમલા કરવામાં આવ્યા છે. જેમાં હિઝબુલ્લાહના લડવૈયાઓ, રદવાન ફોર્સના સભ્યો, મિસાઈલ લોન્ચર, કમાન્ડ સેન્ટર અને હથિયારોના ગોદામોને ટારગેટ કરવામાં આવી રહયા છે,આમ ઈરાન અને લેબનોનમાં ઈઝરાયેલના સતત હુમલા ચાલુ છે ત્યારે ઈરાનમાં ઈઝરાયેલ સાથે અમેરિકા પણ સતત હુમલાઓ કરતા જાહેર જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.

વળતા પ્રહારમાં ઇરાને ઈઝરાયેલ ઉપર બેલેસ્ટિક મિસાઇલ છોડી ક્લસ્ટર બૉમ્બ ફેંક્યા હતા જોકે,ઈઝરાયેલે દાવો કર્યો હતો કે તમામ મિસાઇલ હવામાં જ તોડી પાડવામાં આવી હતી,ઇરાને પણ અત્યાર સુધી અમેરિકા અને ઇઝરાયલ સહિત 12 દેશો પર હુમલો કર્યો છે. આ દેશોમાં UAE, કતાર, બહેરીન, જોર્ડન, ઇરાક, કુવૈત, ઓમાન, સાઉદી અરેબિયા, સાયપ્રસ, સીરિયા અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે.

અમેરિકી સેનાએ જણાવ્યું કે યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનના 30થી વધુ જહાજો નાશ કરવામાં આવ્યા છે ઈઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી ઈસ્લામિક દેશોનું લીડર ઇરાનની વિચારધારા તોડી નાખવા જાણે સંયુક્ત અભિયાન હાથ ધરતા અનેક નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે અને અબજોનું નુકશાન થઈ રહ્યાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે.

ઈરાનનું કહેવું છે કે તેમનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ હેતુઓ માટે છે, તેમ છતાં ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬થી ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર મોટા પાયે સૈન્ય હુમલા (ઓપરેશન એપિક ફ્યુરી/રોરિંગ લાયન) શરૂ કર્યા છે. આ હુમલાઓ પાછળના કારણો વિશ્લેષકો અલગ અલગ જણાવી રહયા છે જેમ કે દુનિયામાં ઈસ્લામિક વિચારધારા અને સંગઠન બનવું ભવિષ્યનો ખતરો કે અણુબૉમ્બનો ખતરો કે પછી ગમે તે હોય પણ હાલતો અનેક આશાસ્પદ નિર્દોષ માનવ જિંદગીઓ કચડાઈ રહી છે અને અબજો રૂપિયાનો ખર્ચ થઈ રહયો છે તે કડવી વાસ્તવિકતા છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Donald Trump: ટ્રમ્પની યુદ્ધવિરામ માટે મજબૂરી છે કે માસ્ટરસ્ટ્રોક? USનો મિસાઇલનો ભંડાર 50 % ખાલી!
  • April 22, 2026

Donald Trump: ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાની ગણતરી ખોટી પડી છે અને ધડાધડ મિસાઇલ ઉપર મિસાઇલ છોડતા હવે અમેરિકાના મિસાઇલ ભંડારમાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે પરિણામે હવે મોટા યુદ્ધ માટે…

Continue reading
Donald Trump: ઈરાન વોર સીઝફાયર લંબાયો, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા UK-ફ્રાન્સે 30 દેશોની બેઠક બોલાવી!
  • April 22, 2026

Donald Trump: અમેરિકા-ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં યોજાયેલી મંત્રણા પડી ભાંગ્યા બાદ 21મી એપ્રિલના રોજ સીઝફાયરની મુદ્દત પુરી થાય તે પહેલા બીજા તબક્કાની શાંતિ વાર્તા ફરી પાકિસ્તાનમાં યોજવાનું નક્કી થયું પણ આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

AAP: ગુજરાતમાં રાજકીય પક્ષોમાં જંગ જીતવા નાણાંની રેલમછેલ! હવાલા કૌભાંડનો પર્દાફાશ! જુઓ વિડીયો

  • April 22, 2026
  • 3 views
AAP: ગુજરાતમાં રાજકીય પક્ષોમાં જંગ જીતવા નાણાંની રેલમછેલ! હવાલા કૌભાંડનો પર્દાફાશ! જુઓ વિડીયો

Satire: એક એવો રાજા કે જેણે પોતાની પત્નીને વર્ષો પહેલા તરછોડી દીધી હતી! તે રાજાને અચાનક “નારી વંદના” પ્રેમ ઉભરાઈ ગયો!!

  • April 22, 2026
  • 8 views
Satire:  એક એવો રાજા કે જેણે પોતાની પત્નીને વર્ષો પહેલા તરછોડી દીધી હતી! તે રાજાને અચાનક “નારી વંદના” પ્રેમ ઉભરાઈ ગયો!!

Assam: આસામમાં લોકશાહીના પર્વની ઉજવણી અને મણીપુરની વાસ્તવિકતા અંગે જાણો પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે?

  • April 22, 2026
  • 5 views
Assam: આસામમાં લોકશાહીના પર્વની ઉજવણી અને મણીપુરની વાસ્તવિકતા અંગે જાણો પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે?

PM Modi: પહેલગામ આતંકી હુમલાની આજે વરસી! પરિજનો હજુપણ આઘાતમાં છે!

  • April 22, 2026
  • 12 views
PM Modi: પહેલગામ આતંકી હુમલાની આજે વરસી! પરિજનો હજુપણ આઘાતમાં છે!

Donald Trump: ટ્રમ્પની યુદ્ધવિરામ માટે મજબૂરી છે કે માસ્ટરસ્ટ્રોક? USનો મિસાઇલનો ભંડાર 50 % ખાલી!

  • April 22, 2026
  • 10 views
Donald Trump: ટ્રમ્પની યુદ્ધવિરામ માટે મજબૂરી છે કે માસ્ટરસ્ટ્રોક? USનો મિસાઇલનો ભંડાર 50 % ખાલી!

BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો

  • April 22, 2026
  • 4 views
BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો