Modi: એક સમયના કટ્ટર “મોદી વિરોધી” મોઢવાડીયા અચાનક “મોદી ભક્ત” કેમ બની ગયા? જુઓ ખાસ વિશ્લેષણ

Modi: રાજકારણમાં કોણ ક્યારે કઈ પાર્ટીમાં બેસી જાય તે નક્કી નહિ અને એક સમયે જેની ટીકા અને નિંદા કરતા હોય તેના વખાણ પણ કરવા મંડી પડે! આવું અનેક નેતાઓને લાગુ પડે છે જેમાં સૌથી મોટા નરેન્દ્ર મોદીના ટીકાકાર અર્જુન મોઢવાડીયા હવે કોંગ્રેસ છોડ્યા બાદ નરેન્દ્ર મોદીના સૌથી મોટા ફેન બની ગયા છે અને મોદીજીના વખાણ કરતા થાકતા નથી.

ગુજરાતના રાજકારણમાં એક સમયે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે નરેન્દ્ર મોદીના પ્રખર ટીકાકાર રહેલા મોઢવાડિયા હવે ભાજપમાં જોડાયા બાદ પીએમ મોદી અને તેમની નીતિઓના ભરપેટ વખાણ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે માર્ચ 2024માં લોકસભા ચૂંટણી પહેલા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

હવે તેઓ પીએમ મોદીને “મોટા દિલના નેતા” (Big-hearted leader) ગણાવી રહયા છે અને ભૂતકાળમાં વિપક્ષમાં હોવા છતાં મોદીએ પોરબંદર એરપોર્ટ જેવા પ્રોજેક્ટ્સ માટે તેમની રજૂઆતો સ્વીકારી હોવાનો કિસ્સો યાદ કરાવી રહયા છે.તેઓ પીએમ મોદીથી પ્રભાવિત થઈ ‘વિકસિત ભારત’ ના સ્વપ્નને સાકાર કરવા માટે ભાજપમાં જોડાયા હોવાનું જણાવી રહયા છે.તાજેતરમાં (માર્ચ 2026), તેમણે પીએમ મોદીના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણ અને ગુજરાતમાં સેમિકન્ડક્ટર હબ બનવાની પ્રક્રિયાની પણ પ્રશંસા કરી છે.

હાલમાં તેઓ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે સેવા આપી રહ્યા છેમહત્વનું છે કે અર્જુન મોઢવાડીયા જ્યારે અગાઉ કોંગ્રેસમાં હતા ત્યારે તેમણે પીએમ મોદી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદો કરી હતી અને મોદી વિરુદ્ધ સતત તીખી રાજકીય ટિપ્પણીઓ કરતા રહેતા હતા જેઓ હવે મોદી ભક્ત બની ગયા હોવાનું જણાવી સિનિયર પત્રકાર દિલીપ પટેલે મોઢવાડીયા એ ભૂતકાળમાં કરેલી વાતો યાદ અપાવી વિસ્તૃત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

AAP: ગુજરાતમાં રાજકીય પક્ષોમાં જંગ જીતવા નાણાંની રેલમછેલ! હવાલા કૌભાંડનો પર્દાફાશ! જુઓ વિડીયો
  • April 22, 2026

AAP: રાજ્યમાં ચુંટણીઓનો માહોલ છે ત્યારે છુટાહાથે નાણાં વહેંચી મતો ખરીદવા કાળુંનાણું વપરાઈ રહ્યાની ચર્ચાઓ ઉઠી છે એમાંય ચૂંટણી ફંડ મેળવનારી પાર્ટીઓમાં સૌથી વધુ ફંડ ભાજપને મળે છે ત્યારે સ્વાભાવિક…

Continue reading
BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો
  • April 22, 2026

BJP: રાજ્યમાં ચૂંટણી આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહયા છે ત્યારે રાજકીય પક્ષોમાં પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે પણ જનતામાં ચુંટણીઓ માટે કોઈ ઉત્સાહ દેખાતો નથી સભાઓ નીરસ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

AAP: ગુજરાતમાં રાજકીય પક્ષોમાં જંગ જીતવા નાણાંની રેલમછેલ! હવાલા કૌભાંડનો પર્દાફાશ! જુઓ વિડીયો

  • April 22, 2026
  • 3 views
AAP: ગુજરાતમાં રાજકીય પક્ષોમાં જંગ જીતવા નાણાંની રેલમછેલ! હવાલા કૌભાંડનો પર્દાફાશ! જુઓ વિડીયો

Satire: એક એવો રાજા કે જેણે પોતાની પત્નીને વર્ષો પહેલા તરછોડી દીધી હતી! તે રાજાને અચાનક “નારી વંદના” પ્રેમ ઉભરાઈ ગયો!!

  • April 22, 2026
  • 8 views
Satire:  એક એવો રાજા કે જેણે પોતાની પત્નીને વર્ષો પહેલા તરછોડી દીધી હતી! તે રાજાને અચાનક “નારી વંદના” પ્રેમ ઉભરાઈ ગયો!!

Assam: આસામમાં લોકશાહીના પર્વની ઉજવણી અને મણીપુરની વાસ્તવિકતા અંગે જાણો પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે?

  • April 22, 2026
  • 5 views
Assam: આસામમાં લોકશાહીના પર્વની ઉજવણી અને મણીપુરની વાસ્તવિકતા અંગે જાણો પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે?

PM Modi: પહેલગામ આતંકી હુમલાની આજે વરસી! પરિજનો હજુપણ આઘાતમાં છે!

  • April 22, 2026
  • 12 views
PM Modi: પહેલગામ આતંકી હુમલાની આજે વરસી! પરિજનો હજુપણ આઘાતમાં છે!

Donald Trump: ટ્રમ્પની યુદ્ધવિરામ માટે મજબૂરી છે કે માસ્ટરસ્ટ્રોક? USનો મિસાઇલનો ભંડાર 50 % ખાલી!

  • April 22, 2026
  • 11 views
Donald Trump: ટ્રમ્પની યુદ્ધવિરામ માટે મજબૂરી છે કે માસ્ટરસ્ટ્રોક? USનો મિસાઇલનો ભંડાર 50 % ખાલી!

BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો

  • April 22, 2026
  • 6 views
BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો