
■ પબ્લિક ઉપર ભાવ વધારો ઝીંકવાને બદલે નેતાઓના પ્રવાસો બંધ તેમજ પગાર-ભથ્થા-સરકારી વાહનો વાપરવા ઉપર કાપ મૂકી બેલેન્સ કરવાનો પ્રયાસ
Nawaz Sharif: ઈરાન યુદ્ધની અસરો હવે વ્યાપક બની રહી છે ત્યારે ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં તેલના ભાવો વધતા મોંઘવારી આસમાને પહોંચી છે અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે વડાપ્રધાન શાહબાઝ શરીફની સરકારે ખર્ચમાં કાપ મૂકી જનતાને રાહત આપવાની ખાસ યોજનાની જાહેરાત કરી છે. આ અંતર્ગત સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ ખુલશે અને અડધા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. આ અઠવાડિયાના અંતથી શાળાઓ બે અઠવાડિયા માટે બંધ રહેશે.
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝના અહેવાલો અનુસાર,સરકારી મંત્રીઓ અને સલાહકારોના વિદેશ પ્રવાસો રદ કરી દેવામાં આવ્યા છે. મંત્રીઓ બે મહિના સુધી પગાર નહીં લે અને સાંસદોના પગારમાં 25%નો ઘટાડો કરવાની જાહેરાત થઈ છે.આમ,નેતાઓના પગાર જનતામાં ખર્ચ કરી પ્રજાને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એટલુંજ નહિ પાકિસ્તાનમાં હવે બે મહિના સુધી સરકારી વાહનોને 50% ઓછું ઇંધણ મળશે અને 60% સરકારી વાહનોનો ઉપયોગ બંધ કરવામાં આવશે.આ સિવાય તમામ સરકારી વિભાગો પોતાના ખર્ચમાં 20%નો ઘટાડો કરશે.શરીફે જણાવ્યું હતું કે અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે વધેલા ક્રૂડ ઓઇલના ભાવો સહિતની અસરો હેઠળ જનતાને રાહત આપવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







