
Modi: રાજકીય પક્ષો જનતાને ઉલ્લુ બનાવીને તેમના પક્ષની જાહેરાત કરી માત્ર વોટબેંકની રાજનીતિ રમતા હોવાનું હવે ચિત્ર ઉપસી રહ્યું છે ત્યારે જ્યારે કોંગ્રેસ કેન્દ્રમાં હતી ત્યારે ભાજપ મોંઘવારીના મુદ્દા ઉઠાવી આંદોલનો કરતું હતું આજે હવે કોંગ્રેસ અને વિપક્ષ એજ કરે છે.
વાત સીધી અને સ્પષ્ટ છે “સરકાર કોઈની પણ હોય જનતાની તકલીફો ત્યાંની ત્યાંજ રહે છે!” આજે ભાજપની સરકાર કેન્દ્ર અને ગુજરાતમાં હોવા છતાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર છે.
આજ ભાજપની વાત કરવામાં આવે તો વર્ષ 2014માં કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ (UPA) સરકાર સામે ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર અને કાળા નાણાં જેવા મુદ્દાઓ પર વ્યાપક આંદોલનો અને પ્રદર્શનો કર્યા હતા,2014ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપે આ મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને મોટા પાયે જનસંપર્ક કર્યો હતો.
ભાજપ દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં “કેન્દ્ર સરકાર મોંઘવારી ઘટાડે અથવા ગાદી છોડે” જેવા નારા સાથે રેલીઓ અને દેખાવો કરવામાં આવ્યા હતા, 2014ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મોંઘવારી (Inflation) એક સૌથી મહત્વનો ચૂંટણી મુદ્દો રહ્યો હતો આ સમયે ભાજપે ‘બહુત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર’ જેવા સૂત્રો સાથે પ્રજા વચ્ચે જઈને યુપીએ સરકારની આર્થિક નીતિઓનો વિરોધ કર્યો હતો.
ગુજરાત ભાજપની કારોબારી બેઠકોમાં પણ મોંઘવારી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જન આંદોલન કરવાના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા, આ આંદોલનો અને વિરોધ પ્રદર્શનોએ 2014ની ચૂંટણીમાં સત્તા પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
હવે આજે જ્યારે સત્તા તેમને મળી છે ત્યારે દેશમાં શુ હાલત છે તે સૌ કોઈ જાણે છે જે મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ, જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








