
PM Modi: ઈરાન યુદ્ધ વ્યાપક બન્યું છે અને ભારે ખુવારી થઈ છે અને ઈરાને વિશ્વભરના જહાજો જ્યાંથી પસાર થાય છે તે હોર્મૂઝ સ્ટ્રેટ બંધ કરી ગેસ-તેલ ભરેલા જહાજો ત્યાં અટકાવી દીધા છે જેથી હાલ દુનિયાભરમાં ગેસ અને ક્રૂડ ઓઇલની ચેઇન ખોરવાઈ જતા આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું છે ત્યારે ભારતમાં પણ ગેસની કટોકટી સર્જાતા ભારતની વિનંતી પર હાલ પૂરતા બે જહાજને ત્યાંથી ભારત આવવા પરમિશન અપાઈ છે બાકીના જહાજ હજુ ત્યાં ફસાયેલા છે.
ઈરાન ભારતનું ઐતિહાસિક સાથી રાષ્ટ્ર રહ્યું છે પણ આ રાષ્ટ્ર ઉપર હુમલો કરનાર ઈઝરાયેલના પીએમ મોદી ગેસ્ટ બન્યા અને સર્વોચ્ચ એવોર્ડ મેળવ્યો તે આખી દુનિયાએ જોયું અને જેવા મોદી ત્યાંથી નીકળ્યા અને ઈઝરાયેલે ભારતના મિત્ર રાષ્ટ્ર ઈરાન ઉપર મોટો હુમલો કરી દીધો.
વડાપ્રધાન મોદી ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂના આમંત્રણ પર 25 થી 26 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ઈઝરાયલની સત્તાવાર મુલાકાતે ગયા હતા. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ સુધી વધારવામાં આવ્યા હતા.
પીએમ મોદીની મુલાકાત પૂરી થયાના માત્ર બે દિવસ બાદ, 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ ઈઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન પર ‘ઓપરેશન એપિક ફ્યુરી’ (Operation Epic Fury) હેઠળ પ્રચંડ હુમલા કર્યા હતા. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ માર્યા ગયા.
હવે સવાલ એ થાય કે આપણી પાસે આવડું મોટું ગુપ્તચર વિભાગ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ હોવાછતાં ઈઝરાયેલની આ ગુપ્તતા અંગે કેમ ખ્યાલ ન આવ્યો, બીજું કે મોદી ભેરવાઈ ગયા અને બાદમાં અયાતુલ્લા અલી ખામેનેઈનના મોત બાદ શોક સંદેશો ન પાઠવ્યો કે ન તો ઈરાન ઉપર હુમલાનો વિરોધ કર્યો અને એટલેથી પણ આગળ ભારત આવેલા ઈરાની અતિથિ જહાજને અમેરિકાએ તોડી પાડ્યું ત્યારે પણ કઈ ન બોલ્યા અને ઈરાની શાળા ઉપર હુમલો થયો અને સેંકડો વિદ્યાર્થીનીઓના મોત મામલે પણ મૌન રહયા ત્યારે ઇરાનને લાગ્યું કે ભારત ખરેખર તેમની સાથે નથી જોકે, પાછળથી ભારતીય વિભાગે ખામેનીને શ્રદ્ધાંજલિ પાઠવી દુઃખ વ્યકત કર્યુ પણ ત્યારે મોડું થઈ ગયું હતું.
આ મુદ્દે સિનિયર પત્રકાર મયુર જાની અને ડૉ. રાકેશ પાઠકે વિસ્તુત વિશ્લેષણ કર્યું હતુ જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!






