MODI: નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ 2011-12 દરમિયાન રાજ્યપાલના હસ્તક્ષેપ મામલે સખત વિરોધ કરતા હતા અને પોતાના ભાષણો દરમિયાન આ વાતને મુદ્દો બનાવતા હતા.આજે જ્યારે તેઓ પોતે વડાપ્રધાન બની ગયા છે ત્યારે તેમની સરકાર દરમિયાન પણ વિવિધ રાજ્યોમાં રાજ્યપાલ અને ચૂંટાયેલી સરકારો વચ્ચેના વિવાદો ચર્ચાનો વિષય બન્યા છે.અને તેઓના જ ભાષણો ખુદને સવાલ પૂછી રહયા છે.
સિનિયર પત્રકાર મયુર જાનીએ આ બંને સમયગાળાની સ્થિતિની તુલના કરી વિસ્તુત છણાવટ કરી છે જેમાં 2011-12 દરમિયાન જ્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા તે વખતે તત્કાલીન રાજ્યપાલ કમલા બેનીવાલ દ્વારા રાજ્ય સરકારની સલાહ લીધા વિના લોકાયુક્તની નિમણૂક કરવામાં આવતા મોદીએ તેનો ભારે વિરોધ કર્યો હતો.
તેમણે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને રાજ્યપાલને પરત બોલાવવાની માંગ કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે રાજ્યપાલ “કેન્દ્રના એજન્ટ” તરીકે કામ કરી રહ્યા છે.તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે રાજ્યપાલ અરાજકીય હોવા જોઈએ અને તેમણે બંધારણીય મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ.
હવે જ્યારે (2024-2026)માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે ત્યારે તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પંજાબ જેવા બિન-ભાજપ શાસિત રાજ્યોમાં રાજ્યપાલ અને સરકાર વચ્ચે ગજગ્રાહ જોવા મળી રહ્યો છે.વિપક્ષી સરકારો આક્ષેપ કરે છે કે રાજ્યપાલો વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલ રોકી રાખે છે અથવા અનિશ્ચિત સમય સુધી વિલંબ કરે છે.
■સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ
એપ્રિલ 2025માં SC Observer અને નવેમ્બર 2025માં Vajiram & Ravi ના અહેવાલો મુજબ, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે રાજ્યપાલો બિલોને અનિશ્ચિત સમય સુધી રોકી શકતા નથી, જોકે કોર્ટે કોઈ ચોક્કસ સમયમર્યાદા (Timeline) નક્કી કરવાનો ઇનકાર કર્યો છે.
આમ, જે મુદ્દે મોદી 2011-12માં વિરોધ પક્ષના નેતા તરીકે અવાજ ઉઠાવતા હતા, તે જ પ્રકારના આક્ષેપો આજે વિપક્ષી રાજ્યો દ્વારા તેમની સરકાર પર કરવામાં આવી રહ્યા છે.આ અંગે વરીષ્ઠ પત્રકાર મયુર જાનીએ કરેલુ વિસ્તુત વિશ્લેષણ જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








