Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • World
  • March 20, 2026
  • 0 Comments

Iran War : ઈરાનને બરબાદ કરવા ઈઝરાયેલે તેના ગેસ અને તેલ ભંડારો ઉપર કરેલા હુમલા બાદ હવે ઈરાને કતાર-સાઉદી-ઈઝરાયેલના ઉર્જા કેન્દ્રો ઉપર વળતા હુમલા શરૂ કરી દેતા દુનિયાભરમાં ગેસ અને ક્રૂડ ઓઇલની અછત ઉભી થઈ છે પરિણામે ભાવો આસમાને પહોંચતા આર્થિક તંગી સર્જાઈ છે.ટ્રમ્પની ભૂલ હવે દુનિયા ભોગવી રહી છે.

ઈરાનના ડ્રોન હુમલામાં કતારના રાસ લફ્ફાન સ્થિત દુનિયાના સૌથી મોટા LNG હબને મોટું નુકસાન પહોંચ્યું છે, વૈશ્વિક સપ્લાયનો લગભગ પાંચમો ભાગ અહીંથીજ જાય છે. હુમલા બાદ આ પ્લાન્ટને હાલ બંધ કરી દેવામાં આવતા સપ્લાય ચેઇન અટકી જતા હવે ભારત સહિતના દેશોમાં ભારે મુશ્કેલીઓ ઉભી થવાની છે.

ઈરાનના હુમલાથી કંપનીની લગભગ 17% LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) ઉત્પાદન ક્ષમતા ખતમ થઈ ગઈ છે. કતાર એનર્જીના CEO સાદ અલ-કાબીએ જણાવ્યું કે આ સુવિધાઓને સંપૂર્ણપણે ઠીક કરવામાં 3થી 5 વર્ષનો સમય લાગી શકે છે.

અલ-કાબીએ કહ્યું કે આ નુકસાન એટલું મોટું છે કે કતારને તેના ઘણા લાંબા ગાળાના ગેસ સપ્લાય કોન્ટ્રાક્ટ્સ પર ‘ફોર્સ મેજર’ જાહેર કરવું પડી શકે છે. તેની અસર ઇટાલી, બેલ્જિયમ, સાઉથ કોરિયા અને ચીન જેવા દેશોને થતી ગેસ સપ્લાય પર પડી શકે છે.

તેમણે કહ્યું કે આ ઉર્જા પરિયોજનાઓમાં લગભગ 26 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું, જેને ભારે નુકસાન થયું છે. નિષ્ણાતોનું માનવું છે કે કતારની LNG સપ્લાયમાં આવેલો આ ઘટાડો વૈશ્વિક ગેસ બજારમાં મોટું સંકટ ઊભું કરી શકે છે અને કિંમતોમાં તીવ્ર ઉછાળો લાવી શકે છે.કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાનીએ કહ્યું કે વર્તમાન યુદ્ધને તરત જ સમાપ્ત કરવું જોઈએ.તેમણે ઈરાનને અપીલ કરી કે તે પોતાના હુમલા રોકે અને સંઘર્ષને વધુ ન વધારે.

અલ થાનીએ કહ્યું કે પડોશી દેશોમાં હાજર અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવું સ્વીકાર્ય નથી જોકે,ઈરાન પણ કહી રહ્યું છે તમારા દેશમાં હાજર અમેરિકા અમારા ઉપર હુમલો કરે તેનો તમે કેમ વિરોધ કરતા નથી? અને અમારે વળતો હુમલો પણ નહીં કરવાનો? મતલબ સાફ છે જો તમે અમેરિકા-ઈઝરાયેલને સાથ આપો છો તો અમારે ન છૂટકે હુમલા ચાલુ રાખવા જ પડશે.

કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાનીએ રાસ લફ્ફાન ગેસ પ્લાન્ટ પર થયેલા ઈરાની હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેનાથી ફક્ત કતાર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને અસર થશે.અલ થાનીએ ચેતવણી આપી કે આવા હુમલાઓની અસર દુનિયાભરના લાખો લોકો પર પડશે, કારણ કે તેનાથી ઉર્જા સપ્લાય પ્રભાવિત થશે.

ઈરાને સાઉદી, કતાર બાદ ઇઝરાયેલના મહત્વના ઉર્જા સ્થળ પર મોટો હુમલો કર્યો હતો. ઇરાને બેલેસ્ટિક મિસાઇલથી ઇઝરાયેલના હાઇફા શહેરમાં એક મુખ્ય ઓઇલ રિફાઇનરી કોમ્પ્લેક્સ પર હુમલો કર્યો.હુમલા બાદ રિફાઇનરી પરિસરમાં આગ લાગી ગઈ, જેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડ અને રાહત ટીમોને તૈનાત કરવામાં આવી છે. ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને સંભવિત ખતરનાક કેમિકલ લીકની પણ તપાસ કરવામાં આવી રહી છે.

જોકે, શરૂઆતની માહિતી મુજબ આ હુમલામાં કોઈના જાનહાનિના સમાચાર નથી. આ રિફાઇનરી ઇઝરાયલના સૌથી મોટા ઉર્જા કેન્દ્રોમાંની એક છે, જ્યાં ઇંધણ અને કેમિકલનું ઉત્પાદન થાય છે.આમ,મરણીયા બનેલા ઈરાને ઉર્જા સ્ત્રોત ઉપર હુમલા કરી હવે વિશ્વભરમાં સંકટ ઉભું કરી દીધું છે અને ટ્રમ્પની નાદાની આખી દુનિયાને નડવાની છે.

ઈરાનના હુમલાઓ બાદ ક્રૂડ અને ગેસના ભાવો આસમાને પહોંચી રહયા છે ત્યારે ટ્રમ્પ પણ ઢીલા પડી ગયા છે અને હવે અમેરિકા ઈરાની તેલ પરનો પ્રતિબંધ હળવો કરી શકે છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાનમાંથી પહેલાથી જ ઈરાનનું જે ઓઈલ બહાર જઈ રહ્યું છે તેના પરના પ્રતિબંધોને અસ્થાયી રૂપે હટાવી શકે છે.

ઈરાન પર અમેરિકાના પ્રતિબંધો હોવા છતાં ઈરાન ગુપ્ત રીતે અથવા ખાસ માધ્યમથી કેટલાક દેશોને તેલ વેચવાનું ચાલુ રાખે છે. હવે, અમેરિકા બજારમાં પહેલાથી જ પ્રવેશતા ઓઈલ પરના પ્રતિબંધોને અસ્થાયી રૂપે હળવા કરવાનું વિચારી રહ્યું છે, જેનાથી પુરવઠો મુક્તપણે વધી શકે છે અને કિંમતો ઘટી શકે છે.

દરમિયાન ઓમાને યુદ્ધ અંગે અમેરિકા પર આકરા પ્રહારો કર્યા છે. ઓમાનના વિદેશ પ્રધાન બદ્ર અલ-બુસૈદીએ ઈરાન સાથેના યુદ્ધને ટ્રમ્પ વહીવટીતંત્રની “સૌથી મોટી ભૂલ” ગણાવી છે. તેમણે કહ્યું કે આ યુદ્ધ વૈશ્વિક અર્થતંત્ર અને પ્રાદેશિક સુરક્ષાને નુકસાન પહોંચાડી રહ્યું છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા
  • June 27, 2026

Indian Visa Challenges: વિદેશી વિઝા મેળવવા એ હવે ભારતીય પ્રવાસીઓ માટે માત્ર કાગળની પ્રક્રિયા નથી, પરંતુ એક માનસિક આઘાત સમાન બની ગઈ છે. જ્યારે આપણે વિદેશ યાત્રાનું સપનું જોઈએ છીએ,…

Continue reading
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી
  • June 27, 2026

Air India Flight 182: કેનેડાની ધરતી પરથી ચાલતા આતંકવાદી નેટવર્ક અને ત્યાની સરકારોની વોટબેંકની રાજનીતિ વચ્ચે એક મોટો વળાંક આવ્યો છે. કેનેડાની જાસૂસી સંસ્થા કેનેડિયન સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS) એ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 4 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 5 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 6 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

  • June 27, 2026
  • 9 views
Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

  • June 27, 2026
  • 10 views
Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

  • June 27, 2026
  • 10 views
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી