
Tata: દેવભૂમિ દ્વારકા જિલ્લાના દેવરામભાઈ વાલા (દેવરામ કાકા) હાલમાં ટાટા કેમિકલ્સ લિમિટેડ (મીઠાપુર) વિરુદ્ધ ઉપવાસ આંદોલન પર ઉતર્યા બાદ તેઓને બળજબરી પૂર્વક હોસ્પિટલમાં લઈ જઈ સારવાર અપાઈ અને તેમનું ઉપવાસ આંદોલન તોડ્યું હોવાનો તેઓએ આક્ષેપ કર્યો છે.
ટાટા કેમિકલ્સ કંપની દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ અને તેને કારણે પર્યાવરણ તથા ખેતીને થતા નુકસાન સામે તેઓના વિરોધ બાદ GPCB દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા તેનો રિપોર્ટ તંત્ર તેમને આપતું નહિ હોવાથી તેઓએ દ્વારકા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.
દેવરામભાઈએ આ આંદોલન દરમિયાન અન્ન અને જળનો ત્યાગ કરતા તંત્રમાં દોડધામ મચી હતી અને આંદોલનના 12મા દિવસે તંત્રના કહેવા મુજબ તેમની તબિયત લથડતા પોલીસે તેમને જબરદસ્તી એમ્બ્યુલન્સમાં ખસેડ્યા હતા.
જ્યાં તેઓનો ઉપવાસ તૂટ્યા હતા.
આ અંગે દેવરામભાઈએ The Gujarat Report ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલ સાથેની વાતચીતમાં સમગ્ર હકીકત જણાવી હતી જે ‘ધ ગુજરાત રિપોર્ટ’ પર પ્રસ્તુત છે જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!






