
PM Modi: PM નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓની મોટી મોટી વાતો માત્ર બોલવા ખાતર બોલી નાખી પછી ભૂલી ગયા હોવાના અનેક દાખલા છે ત્યારે હાલમાં ઈરાન યુદ્ધના કારણે ભારતમાં સર્જાયેલા ગેસ તેમજ પેટ્રોલ-ડીઝલના સંકટ સમયે નરેન્દ્ર મોદીની એક વાત ફરી યાદ આવી ગઈ છે તેઓએ કહ્યુ હતુ કે ગુજરાતમાંથી વિપુલ પ્રમાણમાં ગેસ અને તેલના ભંડારો મળી આવ્યા છે કે હવે દેશમાંજ આ મોટો પુરવઠો પ્રાપ્ત થવાનો છે અને મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે પણ આજે તે શબ્દો-જાહેરાતનું કોઈ મૂલ્ય નથી અને બધા ભૂલી ગયા છે.
૧૭ જુલાઈ ૨૦૦૮ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદ દરમિયાન ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના ભંડારો અંગે મહત્વની જાહેરાતો કરી હતી, મોદીએ જાહેરાત કરી હતી કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) દ્વારા KG બેસિનના દીનદયાલ બ્લોકમાં (ખાસ કરીને KG-22 કુવામાં) અંદાજે ૩ ટ્રિલિયન ક્યુબિક ફીટ (TCF) ગેસનો ભંડાર મળ્યો છે. તેમણે આ શોધની કિંમત અંદાજે $100 બિલિયન (આશરે ₹4 લાખ કરોડ) હોવાનું જણાવ્યું હતું.
KG બેસિનની સાથે તેમણે ખેડા જિલ્લાના તારાપુર અને અમદાવાદ જિલ્લાના ધોળકા (ઇગોલી ગામ નજીક) વિસ્તારમાં પણ ક્રૂડ ઓઇલના ભંડાર મળ્યા હોવાની પુષ્ટિ કરી હતી, જાહેરાત સમયે તેમણે જણાવ્યું હતું કે આ શોધ ગુજરાતની લાંબા ગાળાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થશે. જોકે, બાદમાં આ પ્રોજેક્ટમાં ટેકનિકલ પડકારો અને અપેક્ષા કરતા ઓછું ઉત્પાદન થવાને કારણે વિવાદો પણ સર્જાયા અને ફજેતી બાદ હવે બધું ભુલાઈ ગયું છે ત્યારે આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત રીતે સમજ આપી છણાવટ કરી છે, જે જોવાનું ચૂકશો નહિ જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!






