Dwarka: રાજ્યમાં હાલમાં સૌર અને પવન ઉર્જા પ્રોજેક્ટ્સ માટે ખેડૂતોની સંમતિ વિના પોલીસ બંદોબસ્ત સાથે વીજ લાઈનો નાખવાનો મુદ્દો અત્યારે ઘણો ગંભીર બની ગયો છે,પોતાની માલિકીની જમીન હોવાછતાં ખેડૂતોને હડધૂત કરવામાં આવી રહયા છે તેઓ સાથે અન્યાય થઈ રહ્યાની ફરિયાદો ઉઠવા પામી છે.
ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે તેમની કિંમતી જમીન પર મંજૂરી વગર દબાણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી તેમના ખેતીના કામ અને જમીનના મૂલ્યને નુકસાન થઈ રહ્યું છે.બીજું કે જેઓની માલિકીની જમીન છે તેઓને કાયદાનું રક્ષણ આપવાના બદલે તેઓ વિરુદ્ધ પોલીસનો દૂરપયોગ થઈ રહ્યો છે.અનેક જગ્યાએ કંપનીઓ દ્વારા પોલીસની મદદ લઈને ખેડૂતો સાથે બળજબરીથી કરવામાં આવતી હોવાની ખેડૂતોમાં ફરિયાદ ઉઠવા પામી છે.
બીજું કે જમીનના ઉપયોગના બદલામાં અપૂરતી રકમ-વળતર આપવા મામલે ખેડૂતો લડત ચલાવી રહયા છે.દ્વારકા આસપાસના વિસ્તારોમાં પણ ખેડૂતો આ વીજ લાઈનોના નેટવર્કથી પ્રભાવિત છે ત્યારે આવાજ એક ખેડૂત રાજુભાઇ નંદાણીયાએ પોતાની વ્યથા રજૂ કરી છે.પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!






