Hanuman Jayanti 2026: આજે ભગવાન શ્રી હનુમાન જયંતિની ઠેર ઠેર ભવ્ય ઉજવણી ; ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

  • Dharm
  • April 2, 2026
  • 0 Comments

Hanuman Jayanti 2026: આજે ગુજરાત સહિત સમગ્ર દેશ-દુનિયામાં વસતા ભારતીય સમુદાયમાં અનેરો ઉત્સાહ છે આજે ભગવાન શ્રી હનુમાન જયંતિ છે, જેની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજે દરેક મંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મંદિરોમાં દર્શનાર્થે પહોંચ્યા હતા અને સર્વત્ર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

આજે સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવના દરબારમાં પણ મંગલા આરતીથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો ત્યારબાદ દાદાને સુવર્ણ વસ્ત્રો પહેરાવી અત્યંત મનોહર અને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સાથે જ હનુમાનજી મહારાજને છપ્પનભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો અહીં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા રાજ્યમાં શહેર હોય કે ગામડું દરેક જગ્યાએ આવેલા શ્રી હનુમાનજી મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો.

શ્રી હનુમાન જયંતિ એ ચૈત્ર સુદ પૂનમના દિવસે ઉજવાતો અંજનીપુત્ર હનુમાનજીનો જન્મોત્સવ છે. આ દિવસ ભક્તિ, શક્તિ અને નિઃસ્વાર્થ સેવાનું પ્રતિક છે. હનુમાનજીને ચિરંજીવી (અમર) માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે હનુમાન ચાલીસા, સુંદરકાંડનો પાઠ અને વિશેષ પૂજા કરવાથી સંકટો, ડર અને રોગોમાંથી મુક્તિ મળે છે તથા બજરંગબલીની કૃપા પ્રાપ્ત થાય છે.

આજના દિવસે માતા અંજની અને કેસરી નંદનના ઘરે સૂર્યોદય સમયે શ્રી હનુમાનજીનો જન્મ થયો હોવાથી મંદિરોમાં વહેલી સવારથી જ વિશેષ પૂજા અને ભજન શરૂ થાય છે હનુમાનજીને ‘સંકટમોચન’ કહેવાય છે, તેથી આ દિવસે તેમની પૂજા કરવાથી જીવનના તમામ કષ્ટો અને અવરોધો દૂર થાય છે હનુમાનજી રામભક્ત છે, તેથી તેમની પૂજા કરવાથી ભક્તિભાવ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે.

રાશિફળ અને જ્યોતિષીય મહત્વ

હનુમાન જયંતિ પર મંગળ અને શનિદેવના સંયોગથી ખાસ યોગ રચાય છે, જે ઘણી રાશિઓ માટે શુભ ફળદાયી હોય છે અને આ દિવસે તેમની પૂજાથી શનિ-મંગળના દોષોમાંથી મુક્તિ મળે છે,ભક્તો આ દિવસે શ્રી હનુમાનજીને સિંદૂર, ચમેલીનું તેલ, લાલ ગુલાબ અને બૂંદીના લાડુ અર્પણ કરે છે.

આજે ભવ્યાતિભવ્ય રીતે ઠેરઠેર ભગવાન શ્રી હનુમાનજીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી પંચાંગ ગણતરીઓ અનુસાર, ચૈત્ર પૂર્ણિમા તિથિ 1 એપ્રિલે સવારે 7:02 વાગ્યે શરૂ થશે અને 2 એપ્રિલે સવારે 7:42 વાગ્યે સમાપ્ત થશે. 2 એપ્રિલે સવારે 7:42 વાગ્યે સૂર્યોદય સાથે તિથિ હોવાથી, હનુમાન જયંતિનો તહેવાર 2 એપ્રિલ સુધી મનાવાશે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Ram Navami 2026: વડોદરા સહિત દેશભરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો માહોલ
  • March 26, 2026

Ram Navami 2026: વડોદરા (Vadodara) માં આજે ભગવાન રામનવમી પર્વ અંતર્ગત ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે સાથેજ શોભાયાત્રાઓના આયોજન કરાયા છે, શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને…

Continue reading
Mahashivratri: આજે મહાશિવરાત્રી ; જાણો શિવ ઉપાસના અને પૂજાનું મહત્વ
  • February 15, 2026

Mahashivratri: આજે મહાશિવરાત્રી પર્વ છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે શુભ મુહૂર્ત દરમિયાન જલાભિષેક અને તેમની પૂજા કરવાની પરંપરા છે. આજે શિવ ઉપાસનાનો તહેવાર છે જે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Patna News: દેશમાં પેટ્રોલ હવે શરબતની જેમ બોટલોમાં મળવા લાગ્યું છે! કાળા બજારીયાઓએ આફતમાં અવસર શોધી કાઢ્યો!

  • April 2, 2026
  • 4 views
Patna News: દેશમાં પેટ્રોલ હવે શરબતની જેમ બોટલોમાં મળવા લાગ્યું છે! કાળા બજારીયાઓએ આફતમાં અવસર શોધી કાઢ્યો!

BJP: હરેન પંડ્યા મર્ડર કેસમાં અમિત શાહ એક દિવસ ‘કઠેડા’માં હશે! ‘અમિત શાહ તો ગુંડા હૈ!’ સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનો ચર્ચાનો વિષય બન્યા!

  • April 2, 2026
  • 3 views
BJP: હરેન પંડ્યા મર્ડર કેસમાં અમિત શાહ એક દિવસ ‘કઠેડા’માં હશે! ‘અમિત શાહ તો ગુંડા હૈ!’  સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનો ચર્ચાનો વિષય બન્યા!

Adani: ખેડૂતો ઉપર અદાણીની દાદાગીરી! ખેડૂતો સાથે અન્યાય! પરાણે વીજલાઈન નાખવાનો મામલો! જુઓ વિડીયો

  • April 2, 2026
  • 8 views
Adani: ખેડૂતો ઉપર અદાણીની દાદાગીરી! ખેડૂતો સાથે અન્યાય! પરાણે વીજલાઈન નાખવાનો મામલો! જુઓ વિડીયો

PM Modi: નરેન્દ્ર મોદી હિન્દૂ હિત રક્ષક છે કે પછી મુસ્લિમોના “હમદર્દ”? જુઓ,મધુ કિશ્વરે શુ કહ્યું?

  • April 2, 2026
  • 11 views
PM Modi: નરેન્દ્ર મોદી હિન્દૂ હિત રક્ષક છે કે પછી મુસ્લિમોના “હમદર્દ”? જુઓ,મધુ કિશ્વરે શુ કહ્યું?

Hanuman Jayanti 2026: આજે ભગવાન શ્રી હનુમાન જયંતિની ઠેર ઠેર ભવ્ય ઉજવણી ; ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

  • April 2, 2026
  • 6 views
Hanuman Jayanti 2026: આજે ભગવાન શ્રી હનુમાન જયંતિની ઠેર ઠેર ભવ્ય ઉજવણી ; ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

Election: સુરત મનપામાં 60 વર્ષના ઈતિહાસમાં કેટલા મેયર બદલાયા? કોણે હેટ્રિક કરી? વાંચો,ખાસ અહેવાલ

  • April 2, 2026
  • 8 views
Election: સુરત મનપામાં 60 વર્ષના ઈતિહાસમાં કેટલા મેયર બદલાયા? કોણે હેટ્રિક કરી? વાંચો,ખાસ અહેવાલ