
BJP: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ ડિકલેર થઈ છે ત્યારે રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે અને વચનોની વણજાર શરૂ થઈ ગઈ છે ત્યારે ભાજપના 2001ના સમયગાળા દરમિયાન અપાયેલા વચનો આજેપણ અધૂરા હોવાનું સિનિયર પત્રકાર દિલીપ પટેલ જણાવી રહયા છે.
પંચાયતની ચૂંટણીઓ વખતે સરકાર દ્વારા જનતાને આપવામાં આવેલા વિવિધ વચનો અને તેના અમલીકરણમાં રહેલી ખામીઓ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું છે The Gujarat Report ઉપર ચાલતી ‘કાલચક્ર’ સીરીઝમાં તેઓએ જણાવ્યું છે કે 2001ની ચૂંટણીઓ દરમિયાન કરવામાં આવેલા 55 જેટલા વચનો પૂરા કરવામાં આવ્યા નથી, વિપક્ષી નેતાઓ અને વિવેચકો આ વચન ભંગના મુદ્દાને મોદીના”ખોખલા વચનો” તરીકે રજૂ કરી રહ્યા છે.
આ વચનોમાં મુખ્યત્વે ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજની સત્તાઓ, અને સ્થાનિક કક્ષાએ સુવિધાઓ વધારવા જેવી બાબતો છે.
આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!






