
Madhu Kishwar: The Gujarat Reportના તંત્રી-માલિક અને વરિષ્ઠ પત્રકાર મયુર જાની સાથેની વાતચીત દરમિયાન છઠ્ઠા એપિસોડમાં મધુ કિશ્વરે અત્યારસુધી ક્યારેય ન કર્યા હોય તેવા મોટા ખુલાસા કર્યા છે તેઓએ કહ્યું કે ઘણી એવી વાતો છે કે જે અત્યારસુધી વણકહી રહી છે જે વાતનો ખુલાસો કર્યો હતો.
તેઓએ અગાઉ પણ દાવો કર્યો હતો કે તેમના પુસ્તક “Modi, Muslims and Media ના દમન અથવા તોડફોડ પાછળ પીએમ મોદીનો હાથ હતો.
મધુ કિશ્વરના જણાવ્યા મુજબ, જ્યારે તેણીએ પુસ્તક લખ્યું હતું, ત્યારે ભારતીય પ્રકાશકો તેને પ્રકાશિત કરવામાં અનિચ્છા ધરાવતા હતા. તેણીએ દાવો કર્યો હતો કે મોદીની ટીમ અથવા તેમની સાથે સંકળાયેલા લોકો તેમની વ્યક્તિગત અને રાજકીય યાત્રાના કેટલાક અપ્રગટ પાસાઓ જાહેર કરવા માંગતા ન હતા.
મધુ કિશ્વરે જે વણકહી વાતો આ પ્લેટફોર્મ ઉપર કહી છે તે જાણવા માટે એપિસોડ 6 નો આ આખો વિડીયો જોવો પડશે,જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









