
BJP: રાજ્યમાં ચૂંટણી આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહયા છે ત્યારે રાજકીય પક્ષોમાં પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે પણ જનતામાં ચુંટણીઓ માટે કોઈ ઉત્સાહ દેખાતો નથી સભાઓ નીરસ જણાઈ રહી છે રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતો માટે તા. 26 એપ્રિલના રોજ મતદાન થવાનું છે અને તા.28 એપ્રિલના રોજ મતગણતરી થવાની છે ત્યારે જનતામાં કોઈ ઉત્સાહ જણાતો નથી અને સભાઓમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે ભાજપ સંગઠન દ્વારા વધુને વધુ લોકોને સભાઓમાં જોડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહયા છે, તેમ છતાં લોકો સભાઓમાં ભાષણો સાંભળવા આવતા નથી.
વિશ્લેષકો આ માટેના કેટલાક કારણો જણાવતા કહે છે કે ઉનાળાની ગરમીમાં કોઈ આવવા માંગતું નથી તો વળી ભાજપના નેતાઓ સામે નારાજગી જોવા મળી રહી છે તો પાંખી હાજરી માટેનું એક કારણ બદલાયેલા જમાનામાં સોશ્યલ મીડિયા પણ છે,લોકો પોતાનો અભિપ્રાય સોશ્યલ મીડિયામાં વ્યક્ત કરી રહયા છે અને એટલે જ હવે ભાજપે એક લાખથી વધુ વ્યવર ધરાવતા ઇન્ફ્યુલરને પ્રચાર પ્રસારનું કામ સોંપ્યું છે બીજું કે સોશ્યલ મીડિયામાં પોલીસની જનતા સાથેની ગેર વર્તુણુંકના અનેક વિડીયો વાયરલ થઈ રહયા છે,જેમાં પોલીસ સરકાર માટે કામ કરતી હોવાનું જોડવામાં આવી રહ્યું છે પરિણામે ભાજપની છબી સૌથી વધુ ખરડાઈ રહી છે આવું વિશ્લેષકોનું માનવું છે.
આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે જણાવ્યું હતું કે ભાજપમાં આ વખતે આંતરિક અસંતોસ ઉપરાંત કેટલાક નેતાઓના ભાષણો લોકોને ગમતા નથી અને ભાજપની ખરડાયેલી છબી પણ જનતામાં અસંતોષનું કારણ છે તેઓએ કહ્યું કે હર્ષ સંઘવી,ભુપેન્દ્ર પટેલ,જગદીશ પંચાલના ભાષણો કોઈને ગમતા નથી.
આ મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે કરેલી વિસ્તૃત છણાવટ અત્રે પ્રસ્તુત છે જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો








