
Gujarat Election: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને જનતામાં ઠેરઠેર કામો નહિ થયા હોવાની બૂમ ઉઠી છે અને ઘણી જગ્યાએ નેતાઓને જનતા જાકારો આપી રહી છે ત્યારે જે તે વખતે આનંદી બેન CM હતા ત્યારે તેઓને ઘણા અન્ય કારણો સાથે એક કારણ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓનું ગ્રહણ નડી ગયું હોવાનું પણ હતું, જેની વાત કરવી છે.
સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ મુદ્દા ઉપર વિસ્તુત ચર્ચા કરી હતી.
2016માં ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને મોદીએ કેમ હઠાવી દીધા હતા તે સવાલ આજે વારંવાર પૂછવામાં આવી રહ્યો છે. મહિલા અનામત બિલના નામે રાજકારણ રમવામાં આવી રહ્યું છે ત્યારે આનંદીબેન પટેલને 2016ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર પછી ખદેડી દેવામાં આવ્યા હતા. અમિત શાહ અમદાવાદ આવ્યા અને તેમના થલતેજના નિવાસ સ્થાનેથી ઓપરેશન પાર પાડીને ગયા હતા.
2015ની અંતમાં યોજાયેલી પંચાયત અને પાલિકાની ચૂંટણીઓમાં ભાજપને ગ્રામીણ વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. કોંગ્રેસનું શાસન ઘણી જિલ્લા પંચાયતોમાં આવ્યું, જે આનંદીબેન માટે મોટો રાજકીય ફટકો હતો
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો








