
PM Modi: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ છેલ્લા ઘણાજ સમયથી નિવેદન આપી રહેલા પ્રખ્યાત લેખિકા અને શિક્ષણવિદ્ મધુ કિશ્વરને હવે ચંદીગઢ પોલીસનું તેંડુ આવ્યું છે, આ મામલે જ્યારે વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ મધુ કિશ્વરનો ઇન્ટરવ્યૂ કર્યો તો તેઓએ કહ્યું કે મારો અવાજ દબાવવા માટે હવે પોતાને આ રીતે પરેશાન કરવામાં આવી રહયા છે,પણ તેઓ ચૂપ નહિ રહે.
મધુ કિશ્વરે કહ્યું હતું કે પોલીસ રાત્રે નોટિસ આપવા આવી હતી પણ તેઓને મુલાકાત નહિ આપતા બીજા દિવસે નોટિશ આપી હતી ત્યારબાદ બીજી નોટિસ પણ આપી છે,જોકે,FIR અંગે માહિતી આપવામાં આવી નથી પણ સોશિયલ મીડિયા પર કથિત રીતે ભ્રામક અને વાંધાજનક સામગ્રી ફેલાવવા બદલ ચંડીગઢ પોલીસે નોટિસ પાઠવી હોવાનુ કહે છે.
આ ઘટના ૨૧ એપ્રિલ ૨૦૨૬ની છે, જ્યારે મધુ કિશ્વરે પોતે નોટિસ મળી હોવાની પુષ્ટિ કરી હતી મધુ કિશ્વરે જણાવ્યું હતું કે તેઓ કંઈપણ કરી શકે છે અને અન્ય લોકોએ તેમને ચેતવ્યા હતા તેઓનો હવાલો આપી કહ્યું કે તેઓની હત્યા પણ થઈ શકે છે પરંતુ તેઓ ક્યારેય ચૂપ નહિ બેસે.
મધુ કિશ્વરે હાલની સ્થિતિને ઈન્દીરા ગાંધીની ઇમરજન્સી થી પણ વધુ ખતરનાક ગણાવી તેઓએ કહ્યું કે ‘ સરકારના વિરુદ્ધ બોલનારને ટાર્ગેટ કરાય છે જેમાં એજન્સીઓનો ઉપયોગ કરાય છે.’ મધુ કિશ્વરે ઘણા બધા ખુલાસા કર્યા છે જે જોવા આખો વિડીયો જુઓ,પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો







