
AAP: આમ આદમી પાર્ટી (AAP) ના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ વિધિવત રીતે પાર્ટીમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવાની જાહેરાત કરી દીધી છે એટલુંજ નહિ રાઘવ ચઢ્ઢાની સાથે રાજ્યસભાના અન્ય સાંસદો, સંદીપ પાઠક, અશોક મિત્તલ, હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, રાજીન્દર ગુપ્તા અને વિક્રમ સાહનીએ પણ પક્ષ છોડ્યો છે.
ચઢ્ઢાએ દાવો કર્યો છે કે રાજ્યસભામાં AAPના કુલ 10 સાંસદોમાંથી બે તૃતીયાંશ (2/3) થી વધુ સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે, જેથી પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ તેમની સદસ્યતા પર જોખમ ન આવે એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ પક્ષમાં હાંસિયામાં ધકેલાઈ રહ્યા હોવાનું અનુભવતા હતા અને AAP પોતાના મૂળ આદર્શોથી ભટકી ગઈ છે.
મહત્વનું છે કે આ રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે થોડા દિવસો પહેલા જ તેમને રાજ્યસભામાં AAPના ડેપ્યુટી લીડર પદેથી હટાવવામાં આવ્યા હતા, જેના કારણે પાર્ટી સાથેના તેમના વિવાદો સપાટી પર આવ્યા હતા આ પગલાને આમ આદમી પાર્ટી માટે રાષ્ટ્રીય સ્તરે એક મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે ત્યારે આ ઘટના ઉપર વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ પૂર્વ આમ આદમી પાર્ટીના નેતા અને હવે કોંગી નેતા એવા અંગેશ સિંહ સાથે વિસ્તુત છણાવટ કરી પાર્ટી અંગે ખુલાસો કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અંગેશ સિંહ બિહાર આમ આદમી પાર્ટીના પૂર્વ વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે જેઓએ AAP છોડ્યા બાદ, હવે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા છે તેઓ એક સમયે અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી ગણાતા હતા ત્યારે તેઓએ જે વાત કરી તે સાંભળવા જેવી છે,જુઓ આ ખાસ અહેવાલ.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો








