
Mumbai: મુંબઈના બઈના પાયધુની વિસ્તારમાં તરબૂચ આરોગ્યા બાદ એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થતાં ભારે ચકચાર મચી ગઇ છે.મૃતકોએ રાત્રે બિરયાની ખાધા બાદ તરબૂચ આરોગ્યુ હતું.મુંબઈ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ કેસ પ્રાથમિક દ્રષ્ટિએ ફૂડ પોઈઝનિંગનો જણાય છે જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.મૃત્યુના થોડા સમય પહેલા પોલીસને આપેલા નિવેદનમાં પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે, તેઓએ સાથે મળીને પહેલા બિરયાની ખાધી હતી અને ત્યારબાદ તરબૂચ ખાધું હતું.
મૃતકોની ઓળખ અબ્દુલ્લા ડોકડીયા (40), નસરીન ડોકડીયા (35), અને તેમની બે પુત્રીઓ આયશા (16) તથા ઝૈનબ (13) તરીકે થઈ છે.25 એપ્રિલની રાત્રે 10:30 વાગ્યે આ પરિવારે તેમના અન્ય 5 સંબંધીઓ સાથે (કુલ 9 લોકોએ) ભોજન લીધું હતું. ત્યારબાદ અન્ય સંબંધીઓ પોતપોતાના ઘરે જતા રહયા બાદ રાત્રે 1:00 થી 1:30 વચ્ચે ઘરના ચારેય સભ્યોએ તરબૂચ ખાધું હતું અને વહેલી સવારે 5:30 થી 6:00 વચ્ચે ચારેય સભ્યોને ઉલ્ટી અને ઝાડા જેવા ફૂડ પોઈઝનિંગના લક્ષણો દેખાવા લાગ્યા હતા.તબિયત બગડતા તેમને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા જ્યાંથી તમામને જે.જે. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પણ તેઓએ દમ છોડી દીધો હતો ડોક્ટરોએ તેમનો અંતિમ અભિપ્રાય મેડિકલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી સુરક્ષિત રાખ્યો છે.આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો









