
Asaram’s Bail Conditions: દુષ્કર્મના કેસમાં જેલની સજા ભોગવી રહેલા આસારામને(Asaram) સુપ્રીમ કોર્ટ તરફથી 31 માર્ચ સુધી વચગાળાના શરતી જામીન મળ્યા છે. આ જામીનની શરત પ્રમાણે આસારામ તેમના અનુયાયીઓને મળી શકે નહીં. તેમ છતાં ગત 25 જાન્યુઆરીએ આસારામે બનાસકાંઠાના પાલનપુરમાં મોટી સંખ્યામાં અનુયાયી ભેગા કરીને સત્સંગ યોજ્યો હતો.
ત્યારે હવે 12 વર્ષ બાદ અમદાવાદ(Ahmedabad)નાં મોટેરા ખાતે આવેલા આશ્રમમાં (Ahmedabad Motera Ashram) પહોંચ્યા છે. આસારામ આશ્રમમાં પહોંચતાં જ સાધકોની ભારે ભીડ ઉમટી પડી હતી. જો કે શરતોનું ઉલ્લખન કર્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
31 માર્ચ સુધી મળ્યા શરતી જામીન
મહિલા અનુયાયી પર દુષ્કર્મનાં કેસ મામલે સુપ્રીમ કોર્ટે(Supreme Court) તબીબી આધારે આસારામને 31 માર્ચ સુધીનાં વચગાળાનાં શરતી જામીન પર મુક્ત કર્યા છે. જામીન દરમિયાન, આસારામ અનુયાયીઓને ન મળી શકે તેવી શરત મૂકવામાં આવી છે. જો શરતોનું ઉલ્લંઘન કરે તો જામીન રદ થઈ શકે છે. જો કે, આ શરતો હોવા છતાં આસારામ અમદાવાદ મોટેરા આશ્રમ આવવાના હોવાથી સાધકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. આશ્રમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પાલનપુરમાં પણ કર્યો હતો સત્સંગ
ઉલેખ્ખનીય છે કે આસારામે જેલમાંથી છૂટ્યા બાદ પાનલપુરમાં અનુયાયીઓને મળી શરતી જામીનનાં નિયમોનો ભંગ કર્યો હતો. આસારામે કોર્ટનાં આદેશોને ભંગ કરી પ્રવચન અને સત્સંગ કર્યો હતો. જેને વિડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.