
શિવસેનાએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને લઈને કેન્દ્ર વિરૂદ્ધ ફરીથી નિશાન સાંધ્યુ છે. પોતાના મુખપત્ર સામનામાં પ્રકાશિત સંપાદકીયમાં ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીને કહ્યું કે, જોકે કેન્દ્રની ભાજપા સરકાર પ્રતિદિવસ હિન્દુઓના રક્ષક હોવાનો દાવો કરે છે પરંતુ તે પડોસી દેશમાં થઈ રહેલા સતત હુમલાઓથી સમુદાયના સભ્યોની રક્ષા માટે કઈ કરી રહી નથી.
મુખપત્રમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં બાંગ્લાદેશમાં હિન્દુ સૌથી વધારે ભયમાં જીવી રહ્યાં છે. અસહાય અને હતાશ અવસ્થામાં તેઓ ભારત અને તેમના નેતાઓ સામે આશાસ્પદ નજરોથી જોઈ રહ્યાં છે. જોકે, નવી દિલ્હીમાં બેસેલ નેતૃત્વ ન તો હિન્દુત્વનો નારો બુલંદ કરી રહ્યાં છે અને ન 56 ઈંચની છાતીનો ખતરો બતાવી રહ્યાં છે. હિન્દુત્વ અને હિન્દુ ધર્મ તેમના માટે માત્ર રાજકીય સુવિધાઓનું સાધન છે.
સંપાદકીયમાં આગળ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર માત્ર રાજનીતિ લાભ માટે હિન્દુઓનો ઉપયોગ કરે છે તથા વિદેશોમાં વસતા સમુદાયના સભ્યો પોતાને લાચાર અનુભવી રહ્યાં છે.
આ પણ વાંચો- અમેરિકાથી ડિપોર્ટ થયેલા કયા ભારતીયોને ફરીથી જવું પડશે જેલ?
સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશ જેવા નાના દેશ શેખ હસીના (પદભ્રષ્ટ વડા પ્રધાન)ના પ્રત્યાપર્ણના વિરૂદ્ધ ભારતને ચેતવણી આપી રહ્યું છે. (વડાપ્રધાન નરેન્દ્ર) મોદીના મિત્ર ટ્રમ્પ તેમની ચેતવણી તેમની ચેતવણીને નજરઅંદાજ કરી રહ્યાં છે પરંતુ કેન્દ્ર સરકાર ચૂપ છે. વિશ્વગુરૂના ફુગ્ગામાં હવે હવા રહી નથી.
તેથી તેઓ ન તો અમેરિકામાં ભારતીયોની નોકરીઓ પર થઈ રહેલા કહેરને રોકી શકી રહ્યાં નથી ન તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા સત હુમલાઓને… અને કહે છે કે તેઓ હિન્દુઓના રક્ષક છે.
પાચલા વર્ષે ઓગસ્ટમાં શેખ હસીનાને સત્તામાંથી હટાવ્યા પછી મુસ્લિમ બહુમતિવાળા બાંગ્લાદેશમાં લઘુમતિઓ વિરૂદ્ધ હિંસાની અનેક ઘટનાઓ સામે આવી હતી.
ડિસેમ્બર 2024માં વિદેશ મંત્રાલયે ખુલાસો કર્યો કે પડોશી દેશમાં હિન્દુઓના વિરૂદ્ધ હિંસાના 2200 કેસ થયા, ખાસ કરીને હસીનાના 16 વર્ષના શાસનના પતન પછી..
મોટા પ્રમાણમાં સરકાર વિરોધી પ્રદર્શનો વચ્ચે હસીના દ્વારા ભાગીને દિલ્હી આવી ગયા પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ખુબ જ તણાવ આવી ગયો છે. મહંમદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારે પદભ્રષ્ટ નેતાને પ્રત્યાર્પિત કરવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે.
આ પણ વાંચો- ટ્રમ્પ ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કરી શકે તો મોદી સરકાર 63 બાંગ્લાદેશીઓને કેમ ન હાંકી શકે?