અમેરિકાથી ડિપોર્ટ થયેલા કયા ભારતીયોને ફરીથી જવું પડશે જેલ?

  • અમેરિકાથી ડિપોર્ટ થયેલા ક્યાં ભારતીયોને ફરીથી જવું પડશે જેલ?
  • દેશનિકાલ કરાયેલા ભારતીયોનું હવે શું થશે?
  • શું તેઓ હવે પરત વિદેશ જઈ શકે છે?

રાષ્ટ્રપતિ ટ્રમ્પના વહીવટ હેઠળ નાગરિકોના દેશનિકાલ અંગેના રાજકીય ઉથલપાથલ વચ્ચે બિનદસ્તાવેજીકૃત ભારતીય સ્થળાંતર કરનારાઓને વિમાન દ્વારા પરત લાવવાથી આવી કાર્યવાહીના પરિણામો અંગે ચિંતાઓ વધારી દીધી છે.

અમેરિકા સરકારે કહ્યું છે કે, આવા અનેક ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ કરવામા આવશે અને તેમણે ડિપોર્ટ કરવામાં આવશે. જ્યારે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં કહ્યુંછે કે, ભારત સરકારે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન સાથ સક્રિય રૂપથી વાતચી કરી રહી છે, જેથી તે સુનિશ્ચિત કરવામાં આવી શકે કે ડિપોર્ટ ભારતીય પ્રવાસીઓ સાથે સન્માનપૂર્વકનો વ્યવહાર કરવામાં આવે અને તેમના સાથે દૂર્વ્યવહાર ન થાય.

દેશનિકાલ કરાયેલા ભારતીયોનું હવે શું થશે?

વરિષ્ઠ વકીલ અને દિલ્હી બાર કાઉન્સિલના પ્રમુખ કે.કે. મન્નાને જણાવ્યું હતું કે ભારતમાં ડિપોર્ટ થયેલા લોકો સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં સિવાય કે તેઓ નકલી/બનાવટી દસ્તાવેજો સાથે મુસાફરી કરતા હોય.

જ્યાર સુધી તેમના પાસે અસલી ભારતીય પાસપોર્ટ છે અને તેમને પોતાના કાયદેસર અસલી દસ્તાવેજનો ઉપયોગ કર્યો છે, ત્યાર સુધી ભારતમાં તેમના વિરૂદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં. જો કોઈ વ્યક્તિએ નકલી પાસપોર્ટનો ઉપયોગ કરવામાં આવશે અથવા અન્ય કોઈના પાસપોર્ટમાં પોતાની તસ્વીર લગાવી છે અથવા ડંકી રૂટ માટે પોતાના પાસપોર્ટ પર પોતાનું નામ/જન્મ તારીખ અથવા અન્ય માહિતીમાં ફેરફાર કર્યું છે તો તેમના સામે પાસપોર્ટ અધિનિયમ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સરળ ભાષામાં કહીએ તો તેમના સામે કાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાશે. જો પોતાના અસલી દસ્તાવેજ સાથે અમેરિકા ગયેલા હશે તેમના સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવશે નહીં અને તેઓ પોતાના ઘરે જઈ શકશે.

આ પણ વાંચો- Jammu-Kashmir: સેનાના ગોળીબારમાં શંકાસ્પદ ટ્રક ડ્રાઇવરનું મોત, કેમ કરાયો ગોળીબાર! જાણો કારણ

કેપ્ટન અમરિંદર સિંહ સરકાર દરમિયાન પંજાબના ભૂતપૂર્વ એડવોકેટ જનરલ, વરિષ્ઠ વકીલ અતુલ નંદાએ જણાવ્યું હતું કે “આ લોકો નકલી દસ્તાવેજોમાં સામેલ હોવાની શક્યતા ખૂબ જ ઓછી છે” કારણ કે આવા મોટાભાગના સ્થળાંતર કરનારા અર્ધ-શિક્ષિત અને ગરીબ પરિવારોમાંથી આવે છે.

ભારતમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાના મુદ્દાઓ પર કામ કરતા એડવોકેટ કમલેશ મિશ્રાએ ઇન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે દેશનિકાલ કરાયેલા ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહી કરી શકાતી નથી સિવાય કે તેઓ યજમાન દેશમાં કોઈ ગુનામાં દોષિત ઠર્યા હોય અથવા ભારતમાં કોઈપણ પાસપોર્ટ છેતરપિંડીમાં સંડોવાયેલા હોય.

મિશ્રાએ કહ્યું કે, તેમણે હવે ભારતમાં પરત મોકલી દેવામાં આવ્યા છે. તેમને વધારેમાં વધારે તે પૂછવામાં આવી શકે છે કે દેશ છોડવા માટે તેમના પાસે જે દસ્તાવેજ છે તે અસલી છે કે નહીં.

શું તેઓ હવે પરત વિદેશ જઈ શકે છે?

વકીલ તે વાત પર સહમત છે કે, જે લોકોને ગેરકાયદેસર પ્રવાસીઓના રૂપમાં ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેઓ પરત જઈ શકશે નહીં.

વકીલ નંદાએ કહ્યું કે, “જ્યારે પણ તમે વિઝા ફોર્મ ભરો છો તો એક કોલમ હોય છે, જેમાં પૂછવામાં આવે છે કે શું તમને ડિપોર્ટ કરેલા છે. એક વખત ડિપોર્ટનું કલંક લાગી ગયા પછી મોટા ભાગના દેશ તેમને વિઝા આપતા નથી.”

ખાસ કરીને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, શેંગેન (યૂરોપીયન) દેશ એવા કોઈપણ વ્યક્તિને વિઝા આપતા નથી, જેને ગેરકાયદેસર રીતે ડિપોર્ટ કરવામાં આવ્યો હોય.

અમેરિકન દૂતાવાસની વેબસાઈટ અનુસાર, કોઈ વ્યક્તિને ડિપોર્ટ અથવા દેશનિકાલ કરવામાં આવ્યો હોય તો પરિસ્થિતિઓના આધારે દસ વર્ષ વિઝા માટે બીજી વખત આવેદન કરવાથી પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. કેટલાક અપવાદ રૂપ કેસોમાં આ અયોગ્યતાની છૂટ આપવામાં આવી શકે છે.

અમેરિકન વિદેશ વિભાગની વેબસાઈટ પર કહેવામાં આવ્યું છે કે, જે ગેરકાયેદસર વિદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, તેઓ ઓછામાં ઓછા 5 વર્ષો સુધી વિઝા માટે આવેદન કરી શકે છે અથવા તેમની સ્વીકાર્યતા માટે સંબંધીત અનેક ધારાઓ નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો- Surat: ગટરના હોલમાં પડેલા બાળકે અંતે જીવ ગુમાવ્યો, મૃતદેહ હોસ્પિટલમાં ખસેડાયો

ટ્રાવેલ એજન્ટો સામે કાર્યવાહી?

કેકે મન્નાને કહ્યું, “હવે તે ટ્રાવેલ એજન્ટો સામે કાર્યવાહી થવી જોઈએ જેમણે લાખો રૂપિયા લઈને તેમને ગેરકાયદેસર રીતે મોકલ્યા હતા. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાનો દરેક દેશનો અધિકાર છે.”

પંજાબના ભૂતપૂર્વ એટર્ની જનરલ અતુલ નંદાએ જણાવ્યું હતું કે હવે ધ્યાન એ ટ્રાવેલ એજન્સીઓને પકડવા અને તેમની સામે કાર્યવાહી કરવા પર કેન્દ્રિત હોવું જોઈએ જેમણે આ લોકોને ગેરકાયદેસર માર્ગો દ્વારા યુએસ મોકલ્યા હતા.

નંદાએ કહ્યું-“જે લોકોએ તેમને ગેરકાયદેસર રીતે ત્યાં મોકલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમના પર કાનૂની કાર્યવાહી થવી જોઈએ. હવે તમે જોશો કે આ દેશનિકાલ કરાયેલા મોટાભાગના લોકો અર્ધ-શિક્ષિત અથવા ભાગ્યે જ સાક્ષર હશે. નકલી દસ્તાવેજો બનાવવામાં તેમનો કોઈ હાથ નહીં હોય,”

ભૂતપૂર્વ એડવોકેટ જનરલે એ પણ નિર્દેશ કર્યો કે પંજાબના ઘણા વિસ્તારોમાં ખાસ કરીને દોઆબા અને ગ્રામીણ પંજાબમાં, ટ્રાવેલ એજન્સીઓ યુએસ, કેનેડા અથવા યુકેમાં જીવનનું “ગુલાબી ચિત્ર દોરે છે” અને લોકોને આ દેશોમાં સ્થળાંતર કરવા માટે લાખો રૂપિયા ચૂકવવાનું કહે છે.

નંદા કહે છે કે, “તેઓ તેમને બીજા દેશમાં પ્રવાસ પર મોકલે છે. તેઓ તેમને અલગ અલગ જગ્યાએ લઈ જાય છે, ક્યારેક તેઓ ખૂબ જ ખરાબ સ્થિતિમાં કન્ટેનરમાં મુસાફરી કરે છે. પરિવારની આખી સંપત્તિએ આશામાં ખર્ચવામાં આવે છે કે પુત્ર ક્યાંક જશે અને પૈસા કમાશે,” તેમણે વધુમાં કહ્યું કે દેશનિકાલ હવે આ પરિવારો માટે “બેવડી મુસીબત” છે જેમણે વિદેશમાં કમાણી પર આશા રાખી હતી.

નંદા કહે છે, “હવે તમારી પાસે લગભગ 200 લોકો પાછા આવી ગયા છે. તેમને વિદેશ મોકલનારા લોકો કોણ હતા અને તેમને કેવી રીતે મોકલવામાં આવ્યા હતા તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ… ‘ડંકી’ સિસ્ટમ નામની કોઈ વસ્તુ છે. છેલ્લા 10 વર્ષમાં કેટલા ટ્રાવેલ એજન્ટો પકડાયા છે અથવા દોષિત ઠેરવવામાં આવ્યા છે? તે નિરાશાજનક છે!”

“ડંકી સિસ્ટમ”નો મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો છે. 5 ડિસેમ્બર, 2024 ના રોજ, વિદેશ મંત્રાલયે રાજ્યસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે “જ્યારે પણ ગેરકાયદેસર સ્થળાંતર/માનવ તસ્કરીની ફરિયાદો મળે છે, ત્યારે આવા કેસોને ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પંજાબ સરકાર દ્વારા ઘડવામાં આવેલા પંજાબ માનવ તસ્કરી નિવારણ અધિનિયમ, 2012 સહિત અન્ય હાલના કાયદાઓની સંબંધિત કાનૂની જોગવાઈઓ હેઠળ તપાસ અને કાર્યવાહી માટે રાજ્ય પોલીસને મોકલવામાં આવે છે.”

ગેરકાયદેસર ભરતી એજન્ટો સામે કાર્યવાહી કરવા માટે સાયબર ક્ષેત્ર ગૃહ મંત્રાલય (MHA) અને રાજ્ય પોલીસ અધિકારીઓ સાથે સંકલન કરે છે. પંજાબ સહિત ભારતભરમાંથી ગેરકાયદેસર ભરતી એજન્સીઓની સોશિયલ મીડિયા પોસ્ટ દૂર કરવા માટેની વિનંતીઓ નિયમિતપણે ગૃહ મંત્રાલય સાથે શેર કરવામાં આવે છે અને તાજેતરમાં મંત્રાલય અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં પંજાબ સ્થિત ગેરકાયદેસર ભરતી એજન્સીઓ સામે 38 FIR નોંધવામાં આવી છે.

આ પણ વાંચો- જો મોદી મિત્ર, મિસ્ટર ટ્રમ્પે ઘુસણખોર ભારતીયોને ડંકી રૂટથી રિટર્ન કર્યા હોત તો…

Related Posts

Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ
  • June 18, 2026

Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ દિલીપ પટેલ અમદાવાદ, 18 જૂન 2026 ઉત્પાદન હબથી ગુજરાતને વિશ્વ સંશોધન અને ટેકનોલોજી હબ બનાવવાનો છે. રોકાણનું ગુજરાતનું…

Continue reading
Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?
  • June 18, 2026

Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું? દિલીપ પટેલ અમદાવાદ, 18 જૂન 2026 દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલાં અને ચૂંટણી જીત્યા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 1 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 2 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 7 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 8 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 9 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!