
ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાની ઘટના ઘટે છે. જેને લઈ રાજ્યના યુવાનોમાં સરકાર પ્રત્યે ભારે રોષ છે. કારણ કે આર્થિક, શારિરીક રીતે પોતાની જીંદગી ખર્ચી દેતાં યુવાનો સાથે અંતે ચેડા કરવામાં આવે છે. તાજેતરમાં જ નર્સિંગની લેવાયેલી પરિક્ષામાં ગોટાળા થયા છે. આ બાદ ભારે હોબાળો મચી ગયો છે. આ મામલે આરોગ્યમંત્રીએ નિવેદન આપ્યું છે.
ગુજરાતભરમાં લેવાયેલી નર્સિંગની પરિક્ષાનો વિવાદ ઉગ્ર બન્યો છે. જો કે આરોગ્યમંત્રીએ ન્યાય આપવા બાંહેધરી આપતાં વિવાદ શાંત પડ્યો છે. સમગ્ર વિવાદને લઇ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે રીતે નિર્ણય લેવાશે. આ ઘટનાનો 2 થી 3 દિવસમાં નિર્ણય કરવામાં આવશે. મળતી માહિતી મુજબ એબીસીડીની પેટર્ન કોન્સ્પિરસી સર્જાઈ છે. જેમાં વિદ્યાર્થીઓના માર્ક ચકાસી રહ્યા છે. ત્યારે તમામાં પાસાઓ પર તપાસ બાદ આખરી નિર્ણય થશે.
ગત રવિવારે લેવાયેલી નર્સિંગ પરીક્ષાની આન્સર કીમાં એબીસીડી પ્રમાણે જવાબ ગોઠવાયા હતાં. પરિક્ષાર્થીઓનો આરોપ છે કે, ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવા માટે આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરિણામે ગુજરાત ટેક્નિકલ યુનિર્સિટી અને રાજ્ય આરોગ્ય વિભાગ શંકાના ઘેરામાં મૂકાયું છે. આ દરમિયાન જીટીયુએ આ સમગ્ર મામલે રાજ્ય આરોગ્ય વિભાગને એક રિપોર્ટ સુપરત કર્યો છે. આ મુદ્દે આજે (13 ફેબ્રુઆરી) આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની બાંહેધરી આપી છે.
આ પણ વાંચોઃ Jamnagar: જામનગરમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, મકાનને સળગાવી દીધું
આ પણ વાંચોઃ Sunita Williams: અંતરિક્ષમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સને કેવી રીતે ધરતી પર લવાશે? જુઓ શું છે પ્લાન