
AAP: રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાત સાંસદોએ પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જતા સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો ઉઠ્યા છે આમ આદમી પાર્ટીના સાંસદો રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલ, હરભજન સિંહ, સ્વાતિ માલિવાલ, સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજિત સાહનીએ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી.
બીજી તરફ સાત સાંસદોના પક્ષપલટા મામલે વાત કરવા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ધારાસભ્યો સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પાસે મળવાનો સમય માંગ્યો છે. તેઓ રાષ્ટ્રપતિને મળીને ભાજપના જોડાયેલા પોતાના સાંસદોને પાછા પક્ષમાં લાવવા અંગે પોતાની વાત મુકશે જો તે શક્ય નહિ બને તો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનારા ઓ સામે પક્ષપલટા કાયદા હેઠળ સાંસદોની સભ્યપદ રદ કરવાની માંગ પણ કરવામાં આવે તેવી શકયતા છે.
AAPના નેતા સંજય સિંહે જણાવ્યું કે, તેઓએ રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને પક્ષપલટુ કરનારા સાંતેય સાંસદોને ગૃહમાંથી અયોગ્ય ઠેરવવાની માંગ કરશે. તેમણે કહ્યું કે, પક્ષપલટા વિરોધી કાયદા મુજબ રાજ્યસભા અને લોકસભામાં કોઈપણ પ્રકારનું વિભાજન કે જૂથવાદ ન કરી શકાય પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને (CM Bhagwant Mann) પક્ષ છોડનારા સાતેય સાંસદોને ગદ્દાર ગણાવ્યા હતા. રાજ્યસભામાં આપના 10માંથી જે સાત સાંસદોએ રાજીનામાં આપ્યા તેમાંથી 6 પંજાબના હતા.
હવે આપ પાસે ત્રણ સાંસદો સંજય સિંહ, એનડી ગુપ્તા અને બલબિરસિંહ સીચેવાલ રહયા છે દરમિયાન આગામી વર્ષમાં પંજાબમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણી પહેલાં આપને તોડવા ભાજપે ચાલ રમી હોવાનું આમ આદમી પાર્ટીના સૂત્રો દાવો કરી રહયા છે કારણકે ભાજપમાં ગયેલા સાંસદોની ત્યાં સ્થાનિક લેવલ ઉપર પક્કડ સારી છે જેથી તેઓ ભાજપને ફાયદો કરાવી શકે છે.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો








