
Air Strike: પાકિસ્તાને આજે રવિવારે વહેલી સવારે અફઘાનિસ્તાન ઉપર એર સ્ટ્રાઈક કરી આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. સૂત્રો કહે છે કે આ હુમલાઓમાં ઓછામાં ઓછા 28 ટીટીપી લડવૈયાઓ માર્યા ગયા હતા. જોકે, કાબુલમાં તાલિબાન વહીવટીતંત્રે હજુ સુધી આની સત્તાવાર પુષ્ટિ કરી નથી. અફઘાન મીડિયા આઉટલેટ ટોલો ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાની લડાકુ વિમાનોએ વહેલી સવારે સરહદી પ્રાંત પક્તિકાના બારમલ અને ઉર્ગુન જિલ્લામાં હવાઈ હુમલા કર્યા હતા. આ ઉપરાંત, નંગરહાર પ્રાંતના ખોગયાની જિલ્લામાં પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.
નાંગરહાર પ્રાંતના ઘાની ખોલ અને બેહસુદ જિલ્લામાં પણ લડાકુ વિમાનોએ બોમ્બમારો કર્યો. ટોલો ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાની હવાઈ હુમલામાં નાગરિક ઘરો તેમજ એક મદરેસાને નિશાન બનાવવામાં આવ્યા હતા, અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે વિમાનોએ પક્તિકાના બર્મલ જિલ્લામાં બાનુસી મદરેસામાં મિસાઇલો છોડ્યા હતા. સ્થાનિક અહેવાલો દર્શાવે છે કે કુલ આઠ લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો.
■ પાકિસ્તાને હુમલાઓ વિશે શું કહ્યું?
રવિવારે સવારે, પાકિસ્તાનના માહિતી પ્રધાન, અતાઉલ્લાહ તરાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હુમલાઓની જાહેરાત કરી. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને તેના સાથીઓના કેમ્પો સામે Intelligence Based Selective હેઠળ કાર્યવાહી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે સરહદી વિસ્તારમાં ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડાયેલા એક જૂથને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.
જોકે કાબુલે હજુ સુધી આ હુમલાઓની કોઈ પ્રતિક્રિયા આપી નથી.અગાઉ, પાકિસ્તાને ઓક્ટોબર 2025 માં અફઘાનિસ્તાનની અંદર હવાઈ હુમલા કરતા ડ્યુરન્ડ લાઇન સરહદ પર બંને દેશો વચ્ચે ભીષણ લશ્કરી મુકાબલો થયો હતો.
લગભગ એક અઠવાડિયા સુધી ચાલેલી લડાઈમાં બંને પક્ષોના સેંકડો સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા. કતાર અને તુર્કી દ્વારા મધ્યસ્થી કરાયેલી વાટાઘાટો બાદ, બંને પક્ષો યુદ્ધવિરામ માટે સંમત થયા હતા.
■ પાકિસ્તાનમાં ઉગ્રવાદી હુમલા
રવિવાર સવારના હુમલા બાદ, અતાઉલ્લાહ તરાર, X પર કહ્યું હતું કે પાકિસ્તાન હંમેશા આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે પ્રયત્નશીલ રહ્યું છે, પરંતુ ઉમેર્યું હતું કે પાકિસ્તાની નાગરિકોની સલામતી સર્વોપરી છે. અફઘાનિસ્તાનની સરહદે આવેલા ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌર જિલ્લામાં એક આત્મઘાતી બોમ્બરે બંદૂકધારીઓ સાથે વિસ્ફોટકોથી ભરેલું વાહન એક સુરક્ષા ચોકીની દિવાલ સાથે અથડાવ્યાના થોડા દિવસો પછી જ આ તાજેતરના હુમલાઓ થયા છે. આ વિસ્ફોટમાં 11 સૈનિકો અને એક બાળકનું મોત થયું હતું.
જ્યારે અફઘાન મીડિયા ટોલો ન્યૂઝ અનુસાર, હુમલામાં નાંગરહારના એક ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે એક જ પરિવારના 23 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. અત્યાર સુધીમાં માત્ર ચાર લોકોને બહાર કાઢી શકાયા છે. હુમલા સમયે પરિવાર સૂતો હતો તેથી તેમને ભાગવાનો મોકો મળ્યો ન હતો જેમાં એકજ પરિવારના 16ના મોત થયા છે.
અમેરિકી માનવાધિકાર સંગઠન ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન (IHRF) અનુસાર, આમાં 16 લોકોના મોત થયા છે. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે પાકિસ્તાની અધિકારીઓએ બાદમાં જણાવ્યું હતું કે હુમલાખોર અફઘાન નાગરિક હતો,આમ,અફઘાનિસ્તાન સરહદ ઉપર પાકિસ્તાને એર સ્ટાઈક કરતા મામલો ગરમાયો છે.






