
Ahmedabad: અમદાવાદમાં દબાણો હટાવવાનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. આજ સવારથી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં અત્યાર સુધીનું સૌથી મોટું દબાણ હટાવવાનું કામ થઈ રહ્યું છે. બીજી બાજુ દબાણો હટાવવાની કામગીરીનો ભારે વિરોધ થયો છે. આ મુદ્દો હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો છે. જો કે ડિમોલેશન અટકાવવાની અરજી કોર્ટે ફગાવી દીધી છે. અરજદારોનો આક્ષેપ છે કે કાનૂની નીતિ-નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશીઓ હોવાનું પુરવાર થયું નથી. નોટીસ પણ આપવામાં આવી નથી. જો કે કોર્ટે અરજી ફગાવી દેતાં ત્યા રહેતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે ડિમોલેશન યથાવત રહેશે.
અમદાવાદ :ચંડોળા તળાવ પાસે મેગા ડિમોલેશનની કાર્યવાહી#Ahmedabad #AMC #Demolition pic.twitter.com/qYMsayImcg
— The Gujarat Report (@TGujarat_Report) April 29, 2025
શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત કરતાં હોવાના આક્ષેપ છે. આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયાના આક્ષેપ સાથે બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યા છે. જેનો લોકો ભારે વિરોધ કરી રહ્યા છે. આ બાંધકામોને તોડી પાડવીની કમગીરી AMCની ટીમ કરી રહી છે. 50 જેસીબી મશીનથી દબાણો હટાવવાની કામગીરી આજે સવારથી શરુ થઈ છે. 2 બજાર જેટલા પોલીસ જવાનો પણ ખડકી દેવાયા છે, જેથી કોઈ અણબનાવ ન બને. તંત્ર અહીં બાંગ્લાદેશીઓની ગેરકાયદેસર વસાહતનું બહાનું ધરી ડિમોલેશન કરી રહી છે. ત્યારે તંત્ર સામે પણ સવાલ લોકો કરી રહ્યા છે. જ્યારે ગેરકાયેદ ઘૂસણખોરી કરી રહેઠાણ બનાવ્યા ત્યારે તંત્ર શું કરી રહ્યું હતુ?
જાહેર રજા છતાં કોર્ટમાં સુનાવણી
આજે પરશુરામ જયંતિ હોવા છતાં આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સ્થાનિકોના આક્ષેપ છે અમારી પાસે રહેણાંકના પુરાવા છે. જોકે હાઈકોર્ટે દબાણો હટાવવાની કામગીરી પર સ્ટે મૂક્યો નથી. જેથી દબાણો હટાવવાની કામગીરી ચાલુ રહેશે.
બાંગ્લાદેશીઓને રહેવાની વ્યવસ્થા કરી આપનારો કોણ?
બાંગ્લાદેશથી કોઈ ગેરકાયદે અમદાવાદ આવે તો તેને પનાહ આપવાનું કામ લલ્લા બિહારી કરતો હતો. તેણે ચંડાળ તળાવ વિસ્તારમાં મોટું દબાણ કર્યું હતુ. આ લાલુભાઈ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી મૂળ અજમેરનો રહેવાસી હોવાનું કહેવાઈ છે. તે બે દાયકા પહેલાં અમદાવાદ આવ્યો અને તેણે ચંડોળા આવ્યો હતો અને દબાણો કર્યા હતા. હાલ તંત્રએ લલ્લા બિહારીના પુત્ર ફતેહ મહોમ્મદની ધરપકડ કરી છે જ્યારે નાસી છૂટેલા લલ્લા બિહારીને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જો કે અચરજની વાત એ છે કે અત્યાર સુધી આટલું મોટું દબાણ કર્યું ત્યારે તંત્ર શું કરી રહ્યું હતુ. હવે કેમ કાર્યવાહી કરી રહ્યું છે. તંત્ર અત્યાર સુધી આંખ આડા કાન કેમ કરતું હતુ કે બીજુ કોઈ કારણ છે?, જુઓ વીડિયો
આ પણ વાંચોઃ
Pahalgam Attack: પહેલગામ હુમલાનો સૌથી ખતરનાક વિડિયો સામે આવ્યો
આટલાં વર્ષોથી ગુજરાત પોલીસ ઘુષણખોરોને કેમ પકડતી નહોતી? આદેશ નહોતો, કે ઈચ્છા નહોતી?
બધી પાર્ટીના લોકો આવ્યા પણ મોદીજી ના આવ્યા, આ શરમની વાત: Mallikarjun Kharge
ક્યા છે ચોકીદાર? ‘આતંકીઓ આરામથી મારી જતાં રહ્યા’ | Pahalgam Terror Attack