
Ahmedabad Chandola Lake Phase 2 Demolition: તાજેતરમાં અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મોટાયાયે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રહેતાં હોવાના બહાના હેઠળ લોકોના મકાન તોડી પાડ્યા હતા. ત્યારે આજ(20 મે) સવારથી ફરી બીજા તબક્કામાં અહીં ગેરકાદેસર રહેતાં લોકોના મકાનો તોડવાનું કામ શરુ કરાયું છે. લોકો આ ઉનાળા તડકા નીચે જીવવા મજબૂર થયા છે.
આ ડિમેલિશન ઈસનપુર વિસ્તારમાં આવેલા સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફના રોડ પર હાથ ધરાયું છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન પોલીસ કાફલો પણ ગોઠવવામાં આવ્યો છે. ચંડોળા તળાવની ચારેય કોરથી દબાણમો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ દબાણો હટાવવાની કામગીરી પૂર્વે જ ગઈકાલે અહીં બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો. જેસીબી સહિતના મશીનનો સાંજથી જ ખડકી દીધા હતા. ત્યારે આજથી 3 હજાર પોલીસ કર્મચારીઓની હાજરીમાં ડિમોલિશન 3 દિવસ સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન 8 હજારથી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 50 ટીમો 3 હજાર પોલીસકર્મીઓ સાથે મળીને આ ગેરકાયદે બાંધકામો દૂર કરશે. 2.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી થશે. પ્રથમ તબક્કામાં 4 હજાર ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. જે બાદ 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરવામાં આવી હતી.
હાલ જાણવા મળી રહ્યું છે કે ચંડોળામાં મસ્જિદ તોડતી વખતે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. સ્થાનિકોઓએ પોલીસને ધમકાવી છે.

બીજી તરફ કેટલાંક લોકો પોતાની વેદનાઓ ઠાલવી રહ્યા છે. કહે છે કે અમે બેઘર થઈ ગયા. અમે છેલ્લા 50 વર્ષથી રહેતાં હતા. નોટીસ પણ આપમાં આવી નથી. તંત્ર દ્વારા પહેલા તબક્કામાં ભારતીયોના ઘર તોડ્યા પણ હજુ સુધી રહેવાની વ્યવસ્થા કરી આપી નથી. ત્યારે આ ફરી AMC લોકોને બેઘર કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ
Ahmedabad: ધંધૂકામાંથી પાણીની બોટલની આડમાં દારુનો વેપલો પોલીસે પકડ્યો
Shilpa Shirodkar: અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ, આ મોટી ફિલ્મો કર્યું છે કામ?
‘ભારત ધર્મશાળા નથી, અમે પોતે 140 કરોડ લોકો છીએ’, Supreme Court એ આવું કેમ કહ્યું?
Vadodara: 1 કરોડથી વધુની છેતરપીંડી આચરનાર નાઇઝીરીયન મુંબઈથી ઝડપાયો
Vadodara: આશિષ જોશીના પત્નીનું કલેક્ટર સમક્ષ સોગદનામું, સરકારે દ્વેષ ભાવની ખોટી કાર્યવાહી કરી
બલુચિસ્તાનમાં ભયાનક બોમ્બ વિસ્ફોટ, 4 લોકોના મોત, 20 ઘાયલ | Balochistan
કર્નલ સોફિયા પર ટિપ્પણી અંગે Vijay Shah ને સુપ્રીમમાંથી ઝટકો, SIT તપાસ કરશે
Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!
રાજકોટમાં દારુના ધંધા સાથે સંકળાયેલા લોકોના 55 દબાણો તોડ્યા! | Rajkot Demolition
PM મોદીના વખાણ કરવામાં દેશની સેનાનનું અપમાન!, BJP નેતા સેના અંગે આ શું બોલ્યા?
અમેરિકામાં 4 કરોડની કેરીનો નાશ, જાણો ભારતે મોકલી કેરીમાંથી શું નીકળ્યું? | India exports
Joe Biden: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડનને પ્રોસ્ટેટ કેન્સર, સારવાર કેટલી શક્ય?