Ahmedabad: અસમાજિક તત્વોનો આતંક યથાવત, તલવાર-ધોકાથી પરિવાર પર હુમલો, જુઓ વીડિયો

  • Gujarat
  • April 15, 2025
  • 5 Comments

Ahmedabad: અમદાવાદમાં સતત પોલીસની કાર્યવાહી હોવા છતાં અસમાજિક તત્વો બેફામ બની રહ્યા છે. પોલીસની પમરી કામગીરીને કારણે લોકો અપરાધિક પ્રવૃતિઓ કરવાનું છોડતાં જ નથી. ત્યારે હવે ફરી અમદાવાદમાં અસમાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. અજીત મિલ પાસે સોસાયટીમાં તલવાર-ધોકા અને પથ્થરો સાથે અસામાજીક ટોળાંનો પરિવાર ઉપર હુમલો છે. આ ઘટનાએ ફરીએકવાર પોલીસની કામાગરી પર સવાલો ઉભા કર્યા છે.

સરકારે પોલીસ પાસે 100 તત્વોની યાદી તો તૈયાર કરાવી પણ નક્કર કાર્યવાહી ન કરી હોવાની ભીતી સેવાઈ રહી છે. જેથી અસમાજિક તત્વો ફરી બેફાબ બન્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર અજીત મિલ વિસ્તારમાં અસાજિક તત્વોની આતંકની ઘટનાએ ફરી પોલીસની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. કેટલાંક લોકોના ટોળા તલવાર, ડંડા, ધોકા લઈને પરિવાર પર હુમલો કર્યો છે.

આ ગુજરાતને શાંતિનું પ્રતિક કહેવાય?

ગુજરાતને વિકાસ અને શાંતિનું પ્રતીક ગણવામાં આવે છે. ત્યાં અસામાજિક તત્વોનું વધતું જતું પ્રભુત્વ ચિંતાનો વિષય છે. શહેરો જેવા કે અમદાવાદ, સુરત, અને વડોદરામાં ખંડણી, જમીન હડપ, હિંસા અને ગેરકાયદે બાંધકામો જેવી ગુનાખોરીની ઘટનાઓએ સામાન્ય નાગરિકોના જીવનને અસુરક્ષિત બનાવ્યું છે. આ અસામાજિક તત્વો માત્ર કાયદો અને વ્યવસ્થાને જ પડકારે છે, પરંતુ સમાજની નૈતિક રચનાને પણ ખોખરી કરે છે.

આવા તત્વોની સક્રિયતા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. રાજકીય આશ્રય, નબળી કાયદાકીય અમલદારી, અને સ્થાનિક સ્તરે ભ્રષ્ટાચાર આવા ગુનેગારોને બેફામ બનાવે છે. સુરતમાં 1200-1300 ગુનેગારોની યાદી અને તેમાં 350 હાર્ડકોર ગુનેગારોનો સમાવેશ એ દર્શાવે છે કે સમસ્યા કેટલી ગંભીર છે. આ ગુનેગારો નિર્દોષ નાગરિકોને ડરાવીને, ધંધા-રોજગાર પર અંકુશ મૂકીને, અને સ્થાનિક અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે.

પોલીસ નિકાલ નહીં શોધે ત્યા સુધી બધુ નક્કામુ

પોલીસે આ દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું છે, જેમ કે ગુનેગારોની યાદી તૈયાર કરવી અને પાસા જેવા કડક કાયદાઓનો ઉપયોગ. પરંતુ, આ પ્રયાસો ત્યાં સુધી અધૂરા રહેશે જ્યાં સુધી નિવારણના મૂળમાં ન જવાય. ગેરકાયદે બાંધકામો તોડવા અને ખંડણીખોરો સામે કાર્યવાહી એ પ્રશંસનીય છે, પરંતુ આવા પગલાં નિયમિત અને પક્ષપાતરહિત હોવા જોઈએ. નાગરિકોનો વિશ્વાસ જીતવા માટે પોલીસ અને સરકારે પારદર્શક અને ઝડપી ન્યાય પ્રક્રિયા સુનિશ્ચિત કરવી પડશે.

સમાજ તરીકે આપણે પણ જાગૃત થવું જરૂરી છે. ગુનાખોરીને પ્રોત્સાહન આપતી માનસિકતા, ડર કે ઉદાસીનતા પર કાબૂ મેળવી, આપણે સામૂહિક રીતે આવા તત્વોનો વિરોધ કરવો જોઈએ. સરકાર, પોલીસ અને નાગરિકોના સંયુક્ત પ્રયાસોથી જ ગુજરાત ફરી એકવાર શાંતિ અને સમૃદ્ધિનું ઉદાહરણ બની શકે છે. આ માટે સમયસર અને નિર્ણાયક પગલાં લેવા અનિવાર્ય છે, જેથી ગુજરાતનું નામ ફરી ગૌરવથી ઝળકે.

આ પણ વાંચો:

Gir Somnath: અકસ્માત સ્થળે એકઠાં થયેલા ટોળા પર ડમ્પર ફરી વળ્યું, 2ના ઘટનાસ્થળે જ મોત

Surat: દારુડિયાએ સગીર પાસે દારુ પીવા પૈસા માગ્યા, ન આપતાં હત્યા, આ છે દારુબંધીવાળુ ગુજરાત!

PM MODI એ ભક્તોને જૂતા પહેરાતાં કહ્યું હવે પછી આવુ ન કરતો!, કોને મોદીભક્તિ ફળી?

ગુજરાતમાં માનવભક્ષી દીપડાઓથી ખાતરો, વન વિભાગની દાદાગીરી!, શું સરકાર લાવશે ઉકેલ? | Leopard attacks

કોંગ્રેસના મહિલા MLAએ ભાજપ નેતાને ફટકાર્યો, શું છે વિવાદ? | Rajasthan

 

 

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

One thought on “Ahmedabad: અસમાજિક તત્વોનો આતંક યથાવત, તલવાર-ધોકાથી પરિવાર પર હુમલો, જુઓ વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ