
Ahmedabad: અમદાવાદમાં સતત પોલીસની કાર્યવાહી હોવા છતાં અસમાજિક તત્વો બેફામ બની રહ્યા છે. પોલીસની પમરી કામગીરીને કારણે લોકો અપરાધિક પ્રવૃતિઓ કરવાનું છોડતાં જ નથી. ત્યારે હવે ફરી અમદાવાદમાં અસમાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. અજીત મિલ પાસે સોસાયટીમાં તલવાર-ધોકા અને પથ્થરો સાથે અસામાજીક ટોળાંનો પરિવાર ઉપર હુમલો છે. આ ઘટનાએ ફરીએકવાર પોલીસની કામાગરી પર સવાલો ઉભા કર્યા છે.
સરકારે પોલીસ પાસે 100 તત્વોની યાદી તો તૈયાર કરાવી પણ નક્કર કાર્યવાહી ન કરી હોવાની ભીતી સેવાઈ રહી છે. જેથી અસમાજિક તત્વો ફરી બેફાબ બન્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર અજીત મિલ વિસ્તારમાં અસાજિક તત્વોની આતંકની ઘટનાએ ફરી પોલીસની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. કેટલાંક લોકોના ટોળા તલવાર, ડંડા, ધોકા લઈને પરિવાર પર હુમલો કર્યો છે.
Ahmedabad: અજીત મીલ ચાર રસ્તા નજીકની રેસિડેન્સીમાં હથિયારો સાથે ઘૂસી લુખ્ખાઓએ મચાવ્યો આતંક#Ahmedabad #cctv #viralvideo #thegujaratreport pic.twitter.com/nJ0OZVltxI
— The Gujarat Report (@TGujarat_Report) April 15, 2025
આ ગુજરાતને શાંતિનું પ્રતિક કહેવાય?
ગુજરાતને વિકાસ અને શાંતિનું પ્રતીક ગણવામાં આવે છે. ત્યાં અસામાજિક તત્વોનું વધતું જતું પ્રભુત્વ ચિંતાનો વિષય છે. શહેરો જેવા કે અમદાવાદ, સુરત, અને વડોદરામાં ખંડણી, જમીન હડપ, હિંસા અને ગેરકાયદે બાંધકામો જેવી ગુનાખોરીની ઘટનાઓએ સામાન્ય નાગરિકોના જીવનને અસુરક્ષિત બનાવ્યું છે. આ અસામાજિક તત્વો માત્ર કાયદો અને વ્યવસ્થાને જ પડકારે છે, પરંતુ સમાજની નૈતિક રચનાને પણ ખોખરી કરે છે.
આવા તત્વોની સક્રિયતા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. રાજકીય આશ્રય, નબળી કાયદાકીય અમલદારી, અને સ્થાનિક સ્તરે ભ્રષ્ટાચાર આવા ગુનેગારોને બેફામ બનાવે છે. સુરતમાં 1200-1300 ગુનેગારોની યાદી અને તેમાં 350 હાર્ડકોર ગુનેગારોનો સમાવેશ એ દર્શાવે છે કે સમસ્યા કેટલી ગંભીર છે. આ ગુનેગારો નિર્દોષ નાગરિકોને ડરાવીને, ધંધા-રોજગાર પર અંકુશ મૂકીને, અને સ્થાનિક અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે.
પોલીસ નિકાલ નહીં શોધે ત્યા સુધી બધુ નક્કામુ
પોલીસે આ દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું છે, જેમ કે ગુનેગારોની યાદી તૈયાર કરવી અને પાસા જેવા કડક કાયદાઓનો ઉપયોગ. પરંતુ, આ પ્રયાસો ત્યાં સુધી અધૂરા રહેશે જ્યાં સુધી નિવારણના મૂળમાં ન જવાય. ગેરકાયદે બાંધકામો તોડવા અને ખંડણીખોરો સામે કાર્યવાહી એ પ્રશંસનીય છે, પરંતુ આવા પગલાં નિયમિત અને પક્ષપાતરહિત હોવા જોઈએ. નાગરિકોનો વિશ્વાસ જીતવા માટે પોલીસ અને સરકારે પારદર્શક અને ઝડપી ન્યાય પ્રક્રિયા સુનિશ્ચિત કરવી પડશે.
સમાજ તરીકે આપણે પણ જાગૃત થવું જરૂરી છે. ગુનાખોરીને પ્રોત્સાહન આપતી માનસિકતા, ડર કે ઉદાસીનતા પર કાબૂ મેળવી, આપણે સામૂહિક રીતે આવા તત્વોનો વિરોધ કરવો જોઈએ. સરકાર, પોલીસ અને નાગરિકોના સંયુક્ત પ્રયાસોથી જ ગુજરાત ફરી એકવાર શાંતિ અને સમૃદ્ધિનું ઉદાહરણ બની શકે છે. આ માટે સમયસર અને નિર્ણાયક પગલાં લેવા અનિવાર્ય છે, જેથી ગુજરાતનું નામ ફરી ગૌરવથી ઝળકે.
આ પણ વાંચો:
Gir Somnath: અકસ્માત સ્થળે એકઠાં થયેલા ટોળા પર ડમ્પર ફરી વળ્યું, 2ના ઘટનાસ્થળે જ મોત
Surat: દારુડિયાએ સગીર પાસે દારુ પીવા પૈસા માગ્યા, ન આપતાં હત્યા, આ છે દારુબંધીવાળુ ગુજરાત!
PM MODI એ ભક્તોને જૂતા પહેરાતાં કહ્યું હવે પછી આવુ ન કરતો!, કોને મોદીભક્તિ ફળી?
ગુજરાતમાં માનવભક્ષી દીપડાઓથી ખાતરો, વન વિભાગની દાદાગીરી!, શું સરકાર લાવશે ઉકેલ? | Leopard attacks
કોંગ્રેસના મહિલા MLAએ ભાજપ નેતાને ફટકાર્યો, શું છે વિવાદ? | Rajasthan
