મહેશ વસાવાનું રાજીનામુ ભાજપ માટે ખોટ, ચૂંટણીમાં કરશે અસર! | Mahesh Vasava

Mahesh Vasava Resignation: ભાજપના નેતાઓમાં ભરેલી હવા બહાર નીકળી રહી છે. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્યએ ડો. ભીમરાવ આંબેડરની જન્મજયંતિ પર રાજીનામું આપી દેતાં ભાજપમાં હડકંપ મચ્યો છે. મહેશ વસાવાએ રાજીનામુ આપતાં ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમને કહ્યું કે પક્ષમાં ન્યાય મળતો નથી. મતલબ તેમનું પક્ષમાં કશું જ ઉપજતું ન હતુ. તેમના કામ થતાં ન હતા. તેઓએ કહ્યું ભાજપ કાયદામાં માનતી નથી. આ બધાં કારણોસર મહેશ વસાવાએ રાજીનામુ આપી દીધું છે.

ત્યારે મહેશ વસાવાએ રાજીનામુ આપતાં ભાજપમાં ઉહાપોહ છે. કારણે મોટી પાર્ટીમાં સૌ કોઈ જોડતાં હોય છે. ભાજપ, આપ આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડવવા તરસતાં હોય છે. ત્યારે આ રીતે કોઈ આદિવાસી વિસ્તારના દિગ્ગજ નેતા ભાજપમાંથી રાજીનામુ આપે ત્યારે અનેક તર્કવિતર્ક થાય તે સ્વાભાવિક છે.

  ભાજપ આદિવાસી વિસ્તારોમાં ધ્યાન આપતી નથી

મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામું આપ્યું તેની પાછળના કારણો વિશે તેમણે જાહેરમાં ઉલ્લેખ કર્યો છે. તેમનું મુખ્ય કારણ હતું કે ભાજપ બંધારણનું પાલન નથી કરતી અને આદિવાસી વિસ્તારોમાં વિકાસના મુદ્દે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. તેમણે પક્ષને અનેક પત્રો લખીને આ મુદ્દાઓ ઉઠાવ્યા હતા, પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતાં તેમણે રાજીનામું આપી દીધુ છે.

ઉપરાંત રાજકીય વિશ્લેષણના દૃષ્ટિકોણથી મહેશ વસાવા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પ્રભાવશાળી નેતા ગણાય છે, અને તેમનું રાજીનામું આગામી ચૂંટણીઓમાં આદિવાસી મતદારોની ગતિશીલતા પર અસર કરી શકે છે. તેમનો નિર્ણય આદિવાસી સમુદાયના હિતો અને પક્ષની અંદરની રાજકીય ગણતરીઓ સાથે જોડાયેલો હોઈ શકે, જેમાં તેમને લાગ્યું હશે કે તેમના રાજકીય લક્ષ્યો ભાજપમાં સધાય તેમ નથી.

જોકે આ રાજીનામાની પાછળનું ‘ગણિત’ એટલે કે ચોક્કસ રાજકીય ગણતરીઓ કે આંતરિક વિવાદોની વધુ ઊંડી વિગતો જાહેર થઈ નથી. તેમના આગળના પગલાં, જેમ કે નવા પક્ષમાં જોડાવું કે સ્વતંત્ર રાજકીય પ્રવૃત્તિ, તેની સ્પષ્ટતા આપી શકે છે.

મહેશ વસાવાના રાજીનામા મુદ્દે મનસુખ વસાવાની પ્રતિક્રિયા

મનુસુખ વસાવાએ મહેશ વસાવાના રાજીનામાં વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મહેશ વસાવા ભાજપમાં જોડાયા એક વર્ષ થયું. ભાજપમાં જોડાતા પહેલાં તેમણે દરેક મોટા નેતાઓ સાથે પરામર્શ કર્યું હતું અને અમારી વિચારધારાની સ્પષ્ટતા કરી હતી. અમે એક વર્ષ સાથે કામ પણ કર્યું હતું. પાર્ટી સંગઠનની બેઠકમાં પણ તેમને બોલાવતા હતાં, ઘણી બેઠકમાં તે આવતા ઘણી બેઠકમાં ન આવતાં. પરંતુ તેમણે ઉતાવળુ પગલું ભરી લીધુ છે. આ સિવાય મનસુખ વસાવાએ મહેશ વસાવાની સોશિયલ મીડિયાની પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે, ‘મહેશ વસાવા સાત જન્મ લે તો પણ ભાજપ અને RSS ને ખતમ ન કરી શકે.’

આ પણ વાંચો:

Ahmedabad: અસમાજિક તત્વોનો આતંક યથાવત, તલવાર-ધોકાથી પરિવાર પર હુમલો, જુઓ વીડિયો

Gir Somnath: અકસ્માત સ્થળે એકઠાં થયેલા ટોળા પર ડમ્પર ફરી વળ્યું, 2ના ઘટનાસ્થળે જ મોત

Surat: દારુડિયાએ સગીર પાસે દારુ પીવા પૈસા માગ્યા, ન આપતાં હત્યા, આ છે દારુબંધીવાળુ ગુજરાત!

PM MODI એ ભક્તોને જૂતા પહેરાતાં કહ્યું હવે પછી આવુ ન કરતો!, કોને મોદીભક્તિ ફળી?

 

Related Posts

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ
  • May 5, 2026

PGVCL GM RTGS Fraud: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારોની હિંમત હવે સાતમા આસમાને પહોંચી હોય તેમ જણાય છે. અત્યાર સુધી સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરનારા ઠગબાજોએ હવે ઉચ્ચ સરકારી…

Continue reading
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
  • May 5, 2026

Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 4 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 9 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 13 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 11 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત