Ahmedabad Plane Crash: હિંમતનગરથી લંડન ભણવા જતી દિકરીએ જીવ ગુમાવ્યો

Ahmedabad Plane Crash: અમદવાદના મેઘાણીનગરમાં બનેલી પ્લેન ક્રેશની અતિ કરુણ ઘટનાએ સૌના હૈયા કંપાવી દીધા છે. પરિવારોમાં ભારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તમનું રુદન અટકાઈ રહ્યું નથી. કોઈએ માતાપિતા ગુમાવ્યા તો કોઈ દિકરી, પિતા, ભાઈ.  લંડન જવાના સૌના સપ્ના અધૂરા રહ્યા છે. આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું પણ અવસાન થયું છે. પ્લેનમાં કુલ 242 લોકો હતા. જેમાંથી માત્ર એક જ વ્યક્તિ જીવિત બચી છે. પ્લેન જેના પર પડ્યું તે બિલ્ડિંગના 50થી વધુ લોકોના પણ મોત થયા છે.

ત્યારે જાણકારી મળી રહી છે. બી.ટેકનો ઉભ્યાસ કરી લંડન(London) ભણવા જતી સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર(Himmatnagar) ની 22 વર્ષિય દિકરીએ આ પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. જેથી તેના પરિવારમાં ભારે આક્રંદ છે. હજુ સુધી તેનો મૃતદેહ આપવામાં આવ્યો નથી. ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા ચાલી રહી છે.

હિંમતનગરના ખટીક પરિવારની દીકરી પોતાના સપ્નાઓ સાકાર કરવા લંડન ખાતે ઉચ્ચ અભ્યાસ અર્થે જઈ રહી હતી. જે આ પ્લેન દુર્ઘટનામાં મોતનો ભોગ બની છે. ખટીક પરિવારની દીકરી પાયલ પોતાના સપ્નાઓ સાથે આ દુનિયાને અલવિદા કહી દીધું છે.

દિકરી ઉચ્ચ અભ્યાસ માટે લંડન જતી હતી

જોકે મૃતક પાયલના પિતા સુરેશભાઈ ઘટીક પોતે લોડીંગ રીક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. પિતાએ કહ્યું દીકરીને ધોરણ 12 સુધી હિંમતનગર ખાતે ભણાવી અને ત્યારબાદ બી.ટેક સુધીનો અભ્યાસ રાજસ્થાનના ઉદયપુરમાં કરાવ્યો હતો. અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ અર્થે દિકરી લંડન જવા માટે ઇચ્છતી હતી.

જેથી તેના પિતાએ તેને લંડન જવા માટે મંજૂરી આપી હતી અને દીકરી પોતાની જાતે જ કન્સલ્ટન્સીઓ સાથે વાતાઘાટો કરી પ્રોસેસ કરી હતી અને ગઈકાલે(12, જૂન, 2025) સવારે 7:00 વાગ્યે હિંમતનગર ખાતેથી એરપોર્ટ જવા નીકળ્યા હતા અને પરિવારજનોએ તેને શુભેચ્છાઓ સાથે પ્લેન સુધી પહોંચાડી હતી. પરંતુ અમદાવાદ શહેરની બહાર નીકળતા પહેલા જ પરિવારને સમાચાર મળ્યા કે પ્લેન ક્રેશ થઈ ગયું છે.

મૃતક દિકરીના પિતા

પરિવારે તપાસ કરતા પાયલ ખટીક જે પ્લેનમાં સવાર હતી તે પ્લેન જ ક્રેશ થયું હતું જેમાં પાયલ ખટીકે પોતાનો જીવ ગુમાવ્યો. જો કે પરિવારજનોને અત્યાર સુધી સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી નથી. તેવું પરિવારજનો કહી રહ્યા છે.

ગઈકાલે સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે પરિવારજનો પહોંચ્યા હતા અને જ્યાં ડીએનએ માટે સેમ્પલ આપવામાં આવ્યું હતું. જો કે 72 કલાક બાદ મૃતદેહ આપવાની વાત સિવિલ પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી જોકે કેવી રીતે તે બોડી મેળવવી અને શું કરવું તેની માહિતી સ્થાનિક પ્રશાસન દ્વારા આપવામાં આવી નથી અને સમગ્ર બાબતે સ્થાનિક પ્રશાસન અજાણ હોવાની પણ વાત પરિવારજનો કરી રહ્યા છે.

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash: બચપનનું સ્વપ્ન પૂર્ણ કરવું આ યુવતી માટે જીવલેણ સાબિત થયું, જીવ ગુમાવ્યો

Ahmedabad Plane Crash: તૂટી પડેલા વિમાનના DVR અને Black Box મળ્યા, આપશે સાચી જાણકારી!

MP: ભોપાલમાં 90 ડિગ્રીનો વળાંકવાળો બ્રિજ બનતા ઉઠ્યા સવાલ, લોકોનો પિત્તો આસમાને

Ahmdedabad Plane Crash: વિમાન દુર્ઘટનાથી ચરોતરના 50 પરિવારો પર આભ ફાટ્યું

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના પર પાકિસ્તાન બોલ્યુ!

Vijay Rupani: પહેલી કારથી લઈને વર્ષો જૂના સ્કૂટર સુધી, ’12’ નંબર… વિજય રૂપાણી માટે લકી નંબર જ બન્યો અપશુકનિયાળ

Ahmedabad plane crash: પ્લેન દુર્ઘટનામાં તમામ 242 લોકોના મોત: AP ન્યૂઝ

Ahmedabad plane crash: વિમાન ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું, ઇમારત પર ફસાયેલો દેખાયો

Ahmedabad plane crash: અમદાવાદ પોલીસે જાહેર કર્યો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર, જાણો અત્યાર સુધીની અપડેટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ કર્યું ટ્વિટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

Ahmedabad plane crash: ઉડાન ભરતાની સાથે 2 મીનીટમાં જ પ્લેન થયું ક્રેશ, વિમાનનું કમાન્ડિંગ કોણ કરી રહ્યા હતા ?

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના પર એર ઇન્ડિયાનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

 

 

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ