Ahmedabad: એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં અંધશ્રદ્ધાનું ભુત ધુણ્યું, મંદિર હટાવવા સુપ્રિટેન્ડન્ટે ભુવા પાસે જોવડાવ્યા દાણા

Ahmedabad: એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તરીકેનો ગર્વ લેતી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર અંધશ્રદ્ધાના રંગમાં રંગાઈ છે. 21મી સદીના આધુનિક યુગમાં પણ હોસ્પિટલમાં અંધશ્રદ્ધાનો કિસ્સો આવતા ચર્ચાનો વિષય બન્યો છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ભુવાના શરણે

ગુજરાતમાં લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટે અંધશ્રદ્ધા વિરોધી કાયદો અમલમાં છે, ત્યાં સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ વર્ષો જૂના મંદિરને હટાવવા માટે ભુવાની સલાહ લીધી હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અનેક સવાલો ઉઠ્યા છે. જે હોસ્પિટલમાં MRI અને CT સ્કેન જેવી અદ્યતન ટેક્નોલોજી દર્દીઓનું જીવન બચાવે છે, ત્યાં મંદિર હટાવવા જેવા નિર્ણય માટે ભુવાની રજા માંગવામાં આવે છે. કહેવાય છે કે આ મંદિર અંગ્રેજોના સમયથી હોસ્પિટલના પરિસરમાં છે, અને અગાઉના અધિકારીઓ તેને હટાવવામાં નિષ્ફળ રહ્યા હતા. પરંતુ આ કામને કરવા માટે ડૉ. જોશીનો ભુવા પાસે ગયા. ડૉ. જોશીએ મંદિર હટાવવા માટે ભુવા પાસે જઈ, માતાજીની ‘રજા’ લેવાની ઘટના એ બતાવે છે કે આધુનિક શિક્ષણ અને વહીવટી જવાબદારી પણ અંધશ્રદ્ધાની બેડીઓથી મુક્ત નથી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ, હોસ્પિટલના ICUમાં ભુવા દ્વારા વિધિ કરવાનો વીડિયો વાયરલ થયો હતો, જે દર્શાવે છે કે અહીં વિજ્ઞાનની ગંગા નહીં, અંધશ્રદ્ધાનો ઝરણાઓ વહે છે.

અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યાં ગયો?

ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદાઓ અંધશ્રદ્ધાની પ્રવૃત્તિઓને રોકવા માટે ઘડાયા છે, પરંતુ સરકારી હોસ્પિટલ જેવી સંસ્થામાં જ્યારે આવી ઘટનાઓ બને છે, ત્યારે આ કાયદાઓની અસરકારકતા પર સવાલ ઉઠે છે.

સોશિયલ મીડિયા પર હોબાળો

આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. કેટલાક લોકો આને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું પગલું ગણાવે છે, તો કેટલાક રાજકીય દબાણની આડમાં ચાલતી નાટકબાજી ગણે છે. આશ્ચર્યની વાત એ છે કે સિવિલ હોસ્પિટલ, જે વિજ્ઞાન અને આરોગ્યનું પ્રતીક હોવી જોઈએ, તેના અધિકારીઓ આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જોવા મળે છે. આ ઘટના વિજ્ઞાનની ગરિમા અને અંધશ્રદ્ધા વિરોધી કાયદાની ઉપેક્ષા પર કટાક્ષરૂપે પ્રશ્નો ઉભા કરે છે. શું આધુનિક યુગમાં પણ આપણે ભુવાના ‘પ્રિસ્ક્રિપ્શન’ પર આધાર રાખીશું? આ પ્રશ્ન હવે સિવિલ હોસ્પિટલના પરિસરથી લઈને સમાજના દરેક ખૂણે ગુંજી રહ્યો છે.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ રાકેશ જોષીની પ્રતિક્રિયા

આ સમગ્ર બાબતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ રાકેશ જોષીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે, મેડિસિટી ડેવલપમેન્ટના ભાગ રૂપે નવો પીએમ રૂમ તૈયાર થયો છે. પીએમ રૂમનો ઉપયોગ પ્લેન ક્રેશ સમયે થયો હતો, સાથે રેન બસેરા પણ તૈયાર છે. નવા ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં 0 થી D બ્લોક સુધી ડિમોલિશન કરવાનો છે.તે જગ્યાએ નવી અત્યાધુનિક સુવિધાઓ સાથે 1800 બેડની હોસ્પિટલ તૈયાર થશે. 300 બેડના ICU સાથે હશે OPD વિભાગ, 50 બેડનો આઇસોલેશન વોર્ડ પણ હશે

નવી બિલ્ડિંગ બનાવવાની જગ્યાએ જૂનું ખોડિયાર માતાનું મંદિર છે અને ઘણા લોકોની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે જેથી ટ્રસ્ટી અને પૂજારી સાથે વાત કરી હતી. રવિવારે સાથે મળીને આ બાબતનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવા મંદિર ગયા હતા અને નવા પ્રોજેક્ટ વિષે ટ્રસ્ટી અને પૂજારીને માહિતી આપવા મંદિરની મુલાકત લીધી હોવાનું ડૉ રાકેશ જોષીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: 
 
 
 
 
 
 
 
  • Related Posts

    Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ
    • May 8, 2026

    Gir Forest Land Allocation Controversy: નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે સમયે ગીરના જંગલ વિસ્તારમાં જમીન ફાળવણીનો એક બહુ મોટો વિવાદ ઊભો થયો હતો. આ વિવાદ માત્ર સામાન્ય જમીનનો…

    Continue reading
    Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ
    • May 8, 2026

    Gift City Data Center Fraud: ગુજરાત હંમેશા સાહસિક અને વ્યાપારી પ્રજા તરીકે વિશ્વભરમાં જાણીતું રહ્યું છે. આ એ ભૂમિ છે જેણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રવિશંકર મહારાજ અને ઝવેરચંદ મેઘાણી જેવી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

    • May 8, 2026
    • 4 views
    West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

    Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

    • May 8, 2026
    • 6 views
    Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

    Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

    • May 8, 2026
    • 8 views
    Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

    Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

    • May 8, 2026
    • 9 views
    Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

    Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

    • May 8, 2026
    • 9 views
    Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

    S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે

    • May 8, 2026
    • 6 views
    S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે