Sabarkantha: the gujarat report ના અહેવાલની અસર, મહેસાણા હાઇવે પરનો 60 વર્ષ જુનો અને જર્જરિત ડેરોલી પુલ ભારે વાહનો માટે બંધ

Sabarkantha: સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની સરહદ પર સાબરમતી નદી પર આવેલો ડેરોલી ઓવરબ્રિજ જર્જરિત અને સાંકડો હોવાને કારણે વાહનચાલકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. આ ઓવરબ્રિજ, જે લગભગ 60 વર્ષ જૂનો છે તે 250 મીટરથી વધુ લાંબો તેમજ માત્ર 7 મીટર પહોળો છે, તેની હાલત ખૂબ જ ખરાબ છે. બ્રિજ પર ખાડાઓ અને બંને બાજુના પેરાફીટના સડી ગયેલા લોખંડ જોવા મળે છે, જેના કારણે વાહનચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો, ભયભીત થઈ જાય છે. બે ભારે વાહનો એકસાથે પસાર થાય ત્યારે અન્ય વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડે છે, જેનાથી અકસ્માતનું જોખમ વધે છે. ત્યારે બે દિવસ પહેલા જ ધ ગુજરાત રિપોર્ટના રિપોર્ટે આ પુલનું રિયાલિટી ચેક કર્યું હતુ અને આ અંગે તંત્રનું ધ્યાન દોર્યું હતુ ત્યારે હવે ધ ગુજરાત રિપોર્ટના અહેવાલની અસર જોવા મળી છે. હિંમતનગર-મહેસાણા હાઇવે પરનો ડેરોલી પુલ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

the gujarat report અહેવાલની અસર, પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ

વડોદરા નજીક ગંભીરા ઓવરબ્રિજ ધરાશાયી થવાની ઘટના બાદ ડેરોલી પુલની તપાસ કરવામાં આવી, જેમાં તેની જર્જરિત હાલત સામે આવી. the gujarat report જર્જરિત અને જૂના પુલ અંગે અહેવાલ આપ્યો હતો. વાહનચાલકોના જણાવ્યા પ્રમાણે, પુલ પરથી પસાર થતી વખતે વાહનોના હલચલથી ભય લાગે છે. પુલની બંને બાજુના પેરાફીટ તૂટેલા છે, અને તેની જાણકારી આપતી કોઈ સૂચના પણ મૂકવામાં આવી નથી. વાહનચાલકોએ માંગ કરી હતી કે આ પુલનું તાત્કાલિક નવીનીકરણ અથવા સમારકામ કરવું જરૂરી છે, જેથી ગંભીરા જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય.

સાબરકાંઠા કલેક્ટરનું જાહેરનામું

the gujarat report અહેવાલ બાદ સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે ડેરોલી પુલને ભારે વાહનો માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ જાહેરનામું બીજાપુરથી મહુડી, અનોડિયા, પ્રાંતિજ અને હિંમતનગર જતા માર્ગ પર લાગુ કરવામાં આવ્યું છે. પુલનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે, અને જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

“the gujarat report ” અહેવાલની અસર

“the gujarat report”ના અહેવાલે આ જર્જરિત પુલની સ્થિતિને પ્રકાશમાં લાવી, જેના પરિણામે તંત્રએ આ પગલું ભર્યું. હિંમતનગર-મહેસાણા હાઈવે પર આવેલા આ પુલ પર ભારે વાહનોની સતત અવરજવરને કારણે તેની હાલત વધુ ખરાબ થઈ છે. આ પગલાંથી અકસ્માતનું જોખમ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડેરોલી પુલની જર્જરિત હાલત અને તેના સાંકડા બાંધકામને કારણે વાહનચાલકોનો જીવ જોખમમાં છે. તંત્રએ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકીને પ્રાથમિક પગલાં ભર્યા છે, પરંતુ નવા પુલનું નિર્માણ અથવા હાલના પુલનું વ્યાપક સમારકામ ઝડપથી કરવું અનિવાર્ય બન્યું છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

અહેવાલ : ઉમંગ રાવલ

આ પણ વાંચો: 
 
 
 
 
 
 
 

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SIR Voter List Revision: SIR બાદ પણ ચૂંટણી પંચ ‘ગેરકાયદેસર પ્રવાસીઓ’ની સંખ્યા જાહેર કરવામાં નિષ્ફળ

  • June 30, 2026
  • 4 views
SIR Voter List Revision: SIR બાદ પણ ચૂંટણી પંચ ‘ગેરકાયદેસર પ્રવાસીઓ’ની સંખ્યા જાહેર કરવામાં નિષ્ફળ

IIT Faculty Shortage: પ્રતિષ્ઠિત સંસ્થાઓનું કડવું સત્ય, આઈઆઈટીમાં કેમ નથી ભરાઈ રહ્યા આરક્ષિત વર્ગોના પદો?

  • June 30, 2026
  • 7 views
IIT Faculty Shortage: પ્રતિષ્ઠિત સંસ્થાઓનું કડવું સત્ય, આઈઆઈટીમાં કેમ નથી ભરાઈ રહ્યા આરક્ષિત વર્ગોના પદો?

Sujalam Sufalam Canal Deodar Farmers Protest: 3 હજાર ક્યુસેકની સુજલામ સુફલામ નહેર કોરી, ખાલી નહેરમાં આંદોલન, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી પાણી ન આપ્યું

  • June 30, 2026
  • 7 views
Sujalam Sufalam Canal Deodar Farmers Protest: 3 હજાર ક્યુસેકની સુજલામ સુફલામ નહેર કોરી, ખાલી નહેરમાં આંદોલન, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી પાણી ન આપ્યું

Akal Takht Ultimatum: અકાલ તખ્તનો આદેશ, પંજાબ સરકારને બેઅદબી વિરોધી કાયદામાં સુધારા કરવા માટે એક મહિનાની મહોલત

  • June 30, 2026
  • 9 views
Akal Takht Ultimatum: અકાલ તખ્તનો આદેશ, પંજાબ સરકારને બેઅદબી વિરોધી કાયદામાં સુધારા કરવા માટે એક મહિનાની મહોલત

Tamil Nadu Politics: વિધાનસભામાં TVK નો દબદબો વધારવા વિજયની નવી વ્યૂહરચના, ગઠબંધન સહયોગીઓ પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી

  • June 30, 2026
  • 5 views
Tamil Nadu Politics: વિધાનસભામાં TVK નો દબદબો વધારવા વિજયની નવી વ્યૂહરચના, ગઠબંધન સહયોગીઓ પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી

Ram Mandir Donation Scam: રામ મંદિર દાનમાં કરોડોનું કૌભાંડ, ટ્રસ્ટની આંતરિક લડાઈએ ખોલી ભ્રષ્ટાચારની પોલ!

  • June 30, 2026
  • 11 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાનમાં કરોડોનું કૌભાંડ, ટ્રસ્ટની આંતરિક લડાઈએ ખોલી ભ્રષ્ટાચારની પોલ!