
Ahmedabad: ગુજરાતના હવામાનમાં આજે એકાએક પલટો આવ્યો છે. અમદાવાદ સહિતના જીલ્લામાં ઘોર વાદળો ઘેરાયા છે. શહેરના ઘણા વિસ્તારમાં વરસાદી છાટા પડ્યા છે. જ્યારે મહિસાગર, બનાસકાંઠા જેવા જીલ્લાઓમાં વીજળીના કાડકા ભડકા સાથે વરસાદ પડ્યો છે. એવામાં અમદાવાદના વિરમગામમાં વીજળી પડતાં એક ખેડૂતનું મોત થયું છે. જેથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જ્યારે મહિસાગરમાં બે ભેંસ પર વીજળી પડતાં તેમના મોત થયા છે.
વિરમગામ તાલુકાના ભોજીયાપુરા ગામની સીમમા વીજળી પડતા ખેડૂતનું મોત થયું છે, વરસાદ ચાલુ થતાં ખેડૂત ખેતરમાં પાક પર તાડપત્રી ઢાંકવા ગયા તે વખતે વીજળી પડતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું છે, ત્યારે ખેડૂત મંગાજી ઠાકોરના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. પરિવારના સભ્યો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને પોલીસે તેમનું નિવેદન પણ નોંધ્યું છે. પરિવારે મોભી ગુમાવતાં ભારે શોકમાં છે.
મહિસાગરમાં બે પશુઓના મોત
મહિસાગર જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ ભારે વરસાદ પડ્યો છે. વરસાતાં વરસાદમાં વીજળી પડતાં બે ભેંસના મોત થઈ ગયા છે. આ ઘટના જીલ્લાના કડાણા તાલુકાના ડિટવાસ ગામે આ ઘટના બની છે. કડાણાના ગ્રામજનોએ તંત્રને આ બાબતે જાણ કરી છે.
બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારે ગાજવીજ અને પવન સાથે માલપુર, મોડાસા, મેઘરજ, ભિલોડા પંથકમાં વરસાદ પડ્યો છે.
આજે ગુજરાતમાં એકાએક પડેલા વરસાદે ખેડૂતોની ઉંઘ બગાડી છે. એકાએક કમસોમી વરસાદથી ખેડૂતોનો પાક ભીંજાયો છે. જેથી તેઓ ચિંતાતૂર બન્યા છે. કેરીના પાકને પણ નુકસાન થયું છે. ઘણી જગ્યાએ પવનની ઝડપ વધુ હોવાથી કેરીઓ ઉલળી પડી છે. પવનના સૂસવાટા સાથે કેરીઓ આંબા પરથી ખરી પડી છે. જેથી ખેડૂતોને નુકસાન થયું છે. ગુજરાતમાં હજુ પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
પણ વાંચોઃ
દિલ્હીથી ઈઝરાઈલ જતુ વિમાન અબુ ધાબી તરફ ડાઈવર્ટ, દિલ્હી પાછુ આવશે, મિસાઈ હુમલા બાદ નિર્ણય
India-Pakistan Tension: સિંધુ બાદ હવે ભારતે ચેનાબનું પાણી રોક્યું, આ રીતે લડશે આતંકીઓ સામે?
સુરેન્દ્રનગરના યુવકે સીમાને નોઈડામાં જઈ ફટકારી!, ગળું દબાવવાનો પ્રયાસ | Seema Haider
Amreli: ધારીમાંથી મૌલાનાની ધરપકડ, મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગૃપ મળ્યા
Gondal: ગણેશ જાડેજા સામે હત્યાનો આરોપ, તેના પિતા સામે બીજો હત્યાનો આરોપ
