India-Pakistan Tension: સિંધુ બાદ હવે ભારતે ચેનાબનું પાણી રોક્યું, આ રીતે લડશે આતંકીઓ સામે?

  • India
  • May 4, 2025
  • 5 Comments

India-Pakistan Tension: પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા પછી ભારતે પાકિસ્તાન સામે વધુ એક કાર્યવાહી કરી છે. હવે ભારતે બગલીહાર ડેમ દ્વારા ચિનાબ નદીનું પાણી રોકી દીધું છે. તે જ જેલમ નદી પર બનેલા કિશનગંગા બંધ અંગે કડક કાર્યવાહી કરવાની યોજના ભારત બનાવી રહ્યું છે.

પહેલગામ આતંકી હુમલામાં 26 વધુ પ્રવાસીઓના મોત બાદ એક બાદ એક પાકિસ્તાન વિરુદ્ધ ભારત પગલા ભરી રહ્યું છે. ખાસ કરીને પાણી મુદ્દે. પહેલા ભારતે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિ સ્થગિત કરી, હવે ચિનાબનું પાણી રોક્યું છે. જેલમનું પાણી રોકવા પણ યોજના ભારત ઘડી રહ્યું હોવાનું મિડિયા રિપોર્ટ્સમાંથી માહિતી મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે સિંધુ, ઝેલમ, અને ચિનાબ નદીઓનો ઉદ્ગમ હિમાલયમાં થાય છે, અને તે ભારતના જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાંથી વહે છે. ભારતનો ઊંચો ભાગ છે. જ્યારે પાકિસ્તાનનો નીચો. જેથી ભારત પાણી રોકી શકે છે, પણ તાત્કાલિક નહીં.

નિષ્ણાંતો માને છે કે ભારતને સિંધુ જેવી નદીનું પાણી પાકિસ્તાનમાં જતાં રોકવા 20 વર્ષ લાગી શકે છે. કારણ કે ભારત પાસે પાણી રોકી શકાય તેવા ડેમ નથી. જે ડેમ છે તેનાથી માત્ર વીજળી ઉત્પન થઈ શકે છે. પણ પાણી રોકી શકે નહીં. જો ભારત ડેમોનો વિકાસ કરે તો 20 વર્ષ જેટલો સમય લાગી શકે છે. તેમાં પણ કુરતી વાતાવરણને માઠી અસર થવાની સંભાવના રહેલી છે.

બગલીહાર ડેમ પર વિવાદ

ચિનાબ નદી પર આવેલો બગલીહાર ડેમ લાંબા સમયથી બંને પડોશી દેશો વચ્ચે વિવાદનો વિષય રહ્યો છે. પાકિસ્તાને આ મામલે વિશ્વ બેંકની મધ્યસ્થી માંગી છે. પાકિસ્તાનને કિશનગંગા બંધ સામે પણ વાંધો છે, ખાસ કરીને જેલમની ઉપનદી નીલમ નદી પર તેની અસરને કારણે. જોકે ભારત એકાએક પાણી મુદ્દે પગલાં લઈ રહ્યું છે. સીધી રીતે આતંકીઓ પ્રયાસો નાથવાનો પ્રયાસ કર્યો નથી. કે આતંકીઓને જવાબ આપ્યો નથી. પહેલગામ હુમલાને આજે 12 દિવસથી વધુનો સમય વીતી ગયો છે. તેમ છતાં ભારત તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર પાકિસ્તાન સામે કેટલાંક પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.

સિંધુ જળ સંધિનો ઇતિહાસ

1960માં ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન દ્વારા સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એક ઐતિહાસિક કરાર હતો. જે વિશ્વ બેંક દ્વારા મધ્યસ્થી કરવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય ભારત અને પાકિસ્તાન વચ્ચે જળ સંસાધનોને લઈને ભવિષ્યમાં થતા સંઘર્ષોને ટાળવાનો હતો. આ સંધિ હેઠળ, ભારતને રાવી, સતલજ અને બિયાસ પર અધિકાર મળ્યો. સિંધુ, ચિનાબ, ઝેલમનું નિયંત્રણ પાકિસ્તાનને સોંપવામાં આવ્યું. જોકે, ભારતને મર્યાદિત સિંચાઈ, વીજળી ઉત્પાદન અને ઘરેલું ઉપયોગ માટે મુક્તિ મળી હતી.

સિંધુ પાકિસ્તાનની જીવાદોરી છે?

સિંધુ નદી પ્રણાલી પાકિસ્તાનના પાણી આધારિત અર્થતંત્રનો મુખ્ય આધાર છે. તેની મદદથી પાકિસ્તાન પશ્ચિમી નદીઓના 93% પાણીનો ઉપયોગ કરે છે.80% ખેતીની જમીન આ પાણી પર આધારિત છે. લાખો લોકોની આજીવિકા, શહેરોનું પાણી પુરવઠા નેટવર્ક અને જળવિદ્યુત ઉત્પાદન આ સિસ્ટમ પર આધારિત છે. તેથી, જ્યારે ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો સંકેત આપ્યો, ત્યારે પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી નેતૃત્વમાં ગભરાટ અને ગુસ્સે ભરાયું હતુ.

 

સુરેન્દ્રનગરના યુવકે સીમાને નોઈડામાં જઈ ફટકારી!, ગળું દબાવવાનો પ્રયાસ | Seema Haider

 

પણ વાંચોઃ

Amreli: ધારીમાંથી મૌલાનાની ધરપકડ, મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગૃપ મળ્યા

Gondal: ગણેશ જાડેજા સામે હત્યાનો આરોપ, તેના પિતા સામે બીજો હત્યાનો આરોપ

Punjab: પંજાબ પોલીસે 2 પાકિસ્તાની જાસૂસને દબોચ્યા, સેના છાવણીઓ અને એરબેઝના ફોટા મોકલતાં

શિવાનંદ બાબાનું 128 વર્ષની વયે અવસાન, પદ્મશ્રી મેળવનારા દેશના સૌથી વૃદ્ધ વ્યક્તિ! | Shivanand baba

US Plane Crash: ઘરો પર એકાએક વિમાન પડતાં આગ, પાયલોટનું મોત, વાંચો વધુ

રાજસ્થાન બોર્ડર પરથી પાકિસ્તાની રેન્જર ઝડપાયો, જાસૂસી કરતો હોવાના આરોપ | Rajasthan

 

  • Related Posts

    Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી
    • May 11, 2026

    Congress on New Labour Code: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ચાર નવા લેબર કોડ સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે…

    Continue reading
    Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા
    • May 11, 2026

    Rahul Gandhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તેલંગાણાના હૈદરાબાદ અને સિકંદરાબાદમાં આયોજિત જનસભાઓ દરમિયાન દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા માટે નમ્ર વિનંતી કરી છે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

    • May 11, 2026
    • 3 views
    Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

    Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

    • May 11, 2026
    • 3 views
    Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

    INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

    • May 11, 2026
    • 4 views
    INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

    Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

    • May 11, 2026
    • 9 views
    Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

    Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

    • May 10, 2026
    • 11 views
    Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

    Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

    • May 10, 2026
    • 10 views
    Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં