FARA: આખરે,ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામના ટ્રમ્પના દાવાનું સત્ય સામે આવીજ ગયું ; યુએસ રિપોર્ટમાં થયો ખુલાસો! જાણીને ચોંકી જશો!

  • World
  • January 7, 2026
  • 0 Comments

■અમેરિકાના Foreign Agents Registration Actના રિપોર્ટમાં થયો ખુલાસો

FARA: ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા સંઘર્ષ દરમિયાન બન્ને દેશ વચ્ચે સિઝ ફાયર કરાવવામાં પોતે મધ્યસ્થી કરી હોવાનું ટ્રમ્પ દુનિયામાં વારંવાર કહી રહયા છે ત્યારે મોદી સાહેબ પોતે ક્યારેય આ વાત પોતાના મોઢેથી બોલ્યા નથી કે ‘ટ્રમ્પ કહે છે તે ખોટું છે!’પરંતુ હવે આ બધા વચ્ચે ખુદ અમેરિકાના રિપોર્ટમાં સત્ય બહાર આવી ગયું છે.

તાજેતરમાં જ બહાર આવેલા સરકારી દસ્તાવેજોમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવા સામે સવાલો ઉભા કર્યા છે કે તેઓએ (ટ્રમ્પે) ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરી હતી.આ દસ્તાવેજો એવા કોઈ સંકેત આપતા નથી કે ભારતે આ મુદ્દા પર અમેરિકાની કોઈ મધ્યસ્થી માંગી હતી.

યુએસ ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટ (FARA) હેઠળ દાખલ કરાયેલા રેકોર્ડમાં ભારત સરકાર તરફથી યુદ્ધવિરામ અથવા અમેરિકા પાસેથી તૃતીય પક્ષની ભૂમિકાની માંગ કરતી કોઈપણ વાટાઘાટો અથવા માંગણીઓનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ દસ્તાવેજો જાહેરમાં ઉપલબ્ધ છે.આ ખુલાસો એવા સમયે થયો છે કે જ્યારે ટ્રમ્પ વારંવાર દાવો કરી રહ્યા છે કે મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત-પાકિસ્તાન સંઘર્ષ ટાળવા અમેરિકાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.જોકે,ભારત સરકારે પહેલાથી જ આ દાવાઓને નકારી કાઢ્યા છે.

■ FARA દસ્તાવેજો શું દર્શાવે છે?

આ ત્રણ પાનાની FARA ફાઇલિંગ એપ્રિલ અને ડિસેમ્બર 2025 વચ્ચેની દરેક પ્રવૃત્તિઓની વિગતો દર્શાવે છે.તે વોશિંગ્ટન સ્થિત લોબિંગ ફર્મ SHW પાર્ટનર્સ LLC ની ભૂમિકાનું દસ્તાવેજીકરણ કરે છે, જેનું નેતૃત્વ ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર જેસન મિલરે કર્યું છે.

પહેલગામ આતંકવાદી હુમલાના બે દિવસ પછી, 22 એપ્રિલના રોજ ભારતીય દૂતાવાસે આ ફર્મને ભાડે રાખી હતી,તેનો હેતુ ઉચ્ચ-સ્તરીય મુલાકાતોની તૈયારી, વેપાર વાટાઘાટો અને યુએસ એજન્સીઓ સાથે સંકલન જેવા નિયમિત રાજદ્વારી કાર્યોમાં મદદ કરવાનો હતો.

દસ્તાવેજોમાં કોલ્સ, ઇમેઇલ્સ અને મીટિંગ્સની તમામ પ્રકારની નાનામાં નાની વિગતોની યાદી છે, પરંતુ ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં યુદ્ધવિરામ,મધ્યસ્થી અથવા યુએસ હસ્તક્ષેપનો કોઈ ઉલ્લેખ થયો નથી.

■ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની પ્રાથમિકતાઓ

●યુએસ મીડિયામાં ઓપરેશન સંબંધિત સમાચારનું સંચાલન

●ભારત-યુએસ વેપાર વાટાઘાટોની સ્થિતિનું નિરીક્ષણ

●યુએસમાં મુલાકાતે આવેલા ભારતીય સાંસદો અને મંત્રીઓ માટે બેઠકોનું આયોજન

કેટલીક એન્ટ્રીઓમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય રાજદૂત યુએસ મીડિયા સાથે વાત કરવા તૈયાર હતા. જોકે, ક્યાંય એવું દેખાતું નથી કે ભારતે અમેરિકાને પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરવા કહ્યું હોય.આમ,આ રિપોર્ટમાં નોંધાયેલી વિગતો ટ્રમ્પના જાહેર નિવેદનો સાથે વિરોધાભાસ ઉભો કરે છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાતચીતમાં વ્યક્તિગત રીતે મદદ કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે 65 થી વધુ વખત દાવો કર્યો છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન યુદ્ધવિરામ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હોવાની વાત કરી ચુક્યા છે અને ભારતે દર વખતે આ વાતનો ઇનકાર કર્યો છે,જોકે ટ્રમ્પના દાવા સામે પીએમ મોદી એકવાર પણ નથી બોલ્યા કે ટ્રમ્પ ખોટું બોલી રહયા છે પણ ભારતના મંત્રાલય દ્વારા જવાબ અપાય છે કે સીઝ ફાયરમાં અમેરિકા કે અન્ય કોઈ દેશની મધ્યસ્થી નથી.

ભારત સ્પષ્ટપણે જણાવે છે કે લશ્કરી કાર્યવાહી રોકવાની વિનંતી પાકિસ્તાનના લશ્કરી નેતૃત્વ તરફથી આવી હતી અને વાટાઘાટો ત્રીજા દેશની મધ્યસ્થી દ્વારા નહીં, પરંતુ સ્થાપિત લશ્કરી ચેનલો દ્વારા કરવામાં આવી હતી.નવી દિલ્હીના અધિકારીઓ કહે છે કે FARA ફાઇલિંગ યુનાઇટેડ સ્ટેટ્સમાં એક સામાન્ય અને કાનૂની પ્રક્રિયા છે. એક વરિષ્ઠ સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે, “યુનાઇટેડ સ્ટેટ્સમાં લોબિંગ એ સંપૂર્ણપણે કાયદેસર અને પારદર્શક પ્રક્રિયા છે. મોટાભાગના દેશો આ કરે છે. તેમાં કંઈ ગુપ્ત હોતું નથી.”

■લોબિંગ ફર્મની વાસ્તવિક ભૂમિકા શું હતી?

●યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સાથે સંપર્ક

●ભારતીય રાજદૂત અને રાજદ્વારીઓ સાથે બેઠકોનું આયોજન

●2025 સુધી વેપાર અને વ્યૂહાત્મક સહયોગ સંબંધિત મુદ્દાઓ પર સહકાર

આમ,અમેરિકાના Foreign Agents Registration Actના રિપોર્ટમાં આ પ્રકારનો ખુલાસો થતાં ટ્રમ્પના દાવા સામે સવાલો ઉભા થઇ રહયા છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?
  • May 10, 2026

Indus Waters Treaty: પાકિસ્તાન અને ભારત વચ્ચે વર્ષો જૂની સિંધુ જળ સંધિ (IWT) ને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ભારતને ચીમકી આપતા જણાવ્યું છે…

Continue reading
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર
  • May 10, 2026

Vijay Tamil Nadu CM: તમિલનાડુના રાજકારણમાં એક નવો અને ઐતિહાસિક વળાંક આવ્યો છે. લોકપ્રિય અભિનેતા અને ‘તમિલગા વેટ્રી કઝગમ’ (TVK) ના પ્રમુખ સી. જોસેફ વિજયે આજે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rajkot Congress Onion Protest: ઉપલેટામાં કોંગ્રેસનો ખેડૂત સમર્થન કાર્યક્રમ, 1 રૂપિયે ડુંગળી વેચી સરકારની નીતિઓ સામે કર્યો વિરોધ

  • May 15, 2026
  • 3 views
Rajkot Congress Onion Protest: ઉપલેટામાં કોંગ્રેસનો ખેડૂત સમર્થન કાર્યક્રમ, 1 રૂપિયે ડુંગળી વેચી સરકારની નીતિઓ સામે કર્યો વિરોધ

Gujarat University Swimming Pool: ગુજરાત યુનિવર્સિટીની લાલીયાવાડી, કરોડોના સ્વિમિંગ પુલનો 7 વર્ષથી ઉપયોગ નહીં, મશીનરી ખંડેર બની

  • May 15, 2026
  • 4 views
Gujarat University Swimming Pool: ગુજરાત યુનિવર્સિટીની લાલીયાવાડી, કરોડોના સ્વિમિંગ પુલનો 7 વર્ષથી ઉપયોગ નહીં, મશીનરી ખંડેર બની

Gujarat Inflation: ગુજરાતમાં મોંઘવારીનો માર: દૂધ, શાકભાજી, ગેસ અને ખાતરના ભાવ વધતાં સામાન્ય જનતા અને ખેડૂતો પર બોજ

  • May 15, 2026
  • 10 views
Gujarat Inflation: ગુજરાતમાં મોંઘવારીનો માર: દૂધ, શાકભાજી, ગેસ અને ખાતરના ભાવ વધતાં સામાન્ય જનતા અને ખેડૂતો પર બોજ

Khedbrahma Chikhla water crisis: નળ છે પણ જળ ક્યાં? ખેડબ્રહ્મામાં કરોડોની પાણી યોજના ‘કોન્ટ્રાક્ટરો’ માટે કમાણીનું સાધન બની હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

  • May 15, 2026
  • 5 views
Khedbrahma Chikhla water crisis: નળ છે પણ જળ ક્યાં? ખેડબ્રહ્મામાં કરોડોની પાણી યોજના ‘કોન્ટ્રાક્ટરો’ માટે કમાણીનું સાધન બની હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

Amreli fertilizer shortage: અમરેલીમાં ખાતર માટે આક્રંદ: સવારે ૫ વાગ્યાથી કતારો, ખેડૂતો બોલ્યા- “આવા ભાવ વધારામાં ખેતી કેમ કરવી?”

  • May 15, 2026
  • 5 views
Amreli fertilizer shortage: અમરેલીમાં ખાતર માટે આક્રંદ: સવારે ૫ વાગ્યાથી કતારો, ખેડૂતો બોલ્યા- “આવા ભાવ વધારામાં ખેતી કેમ કરવી?”

Inter State Cyber Fraud Mehsana: મહેસાણામાં આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, બેંક ખાતા વેચતી ટોળકીના બે શખ્સો ઝડપાયા

  • May 15, 2026
  • 11 views
Inter State Cyber Fraud Mehsana: મહેસાણામાં આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, બેંક ખાતા વેચતી ટોળકીના બે શખ્સો ઝડપાયા