Anand: પતિ સાથે આડા સંબંધનો વહેમ, પત્નીએ જ વિધવાને ચપ્પાના ઘા મારી આંતરડા કાઢી નાખ્યા, 3 બાળકો નોંધારા

  • Gujarat
  • September 19, 2025
  • 0 Comments

Anand Crime News: આણંદ જીલ્લામાં વારંવાર અપરાધિક ઘટના બની રહી છે. ત્યારે હવે વધુ એક હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આણંદ તાલુકાના કણભઈપુરા ગામમાં  આ હચમચાવી નાખતી ઘટના બની છે. જેમાં ગાયત્રીબેન અશોકભાઈ ઠાકોર નામની મહિલાએ પોતાના પતિની કથિત પ્રેમિકા મીનાબેન ઠાકોરની ચપ્પાના ઘા મારી હત્યા કરી નાખી છે. આ ઘટનામાં મીનાબેનના સસરા ગોરધનભાઈ અને તેમની 7 વર્ષીય પુત્રી પણ ઈજાઓની ભોગ બની છે. ખંભોળજ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાનું મોત થતાં તેના ત્રણ બાળકો નોંધારા થયા છે.

પતિના આડા સંબંધના વહેમથી ઝઘડા

ખંભોળજ પોલીસ મથકના જણાવ્યા અનુસાર કણભઈપુરા ગામના દૂધની ડેરી પાસે રહેતા ગાયત્રીબેનનો પતિ અશોકભાઈ ઠાકોર ખેતરમાં ગુલાબ વીણવાની મજૂરી કરવા જતો હતો. આ ખેતરમાં ફળિયામાં રહેતા મીનાબેન ઠાકોર સહિત અન્ય મહિલાઓ પણ મજૂરી માટે જતી હતી. આ દરમિયાન ગાયત્રીબેનને વહેમ થયો હતો કે, તેમના પતિ અશોકભાઈનો મીનાબેન સાથે આડો સંબંધ છે. આ બાબતે બંને વચ્ચે વારંવાર ઝઘડાઓ પણ થતા હતા.

ગઈકાલે રાત્રે ગાયત્રીબેન ચપ્પુ લઈને અચાનક મીનાબેનના ઘરે પહોંચી ગયા. વહેમના આધારે તેમણે મીનાબેન પર ચપ્પાથી હુમલો કર્યો. પ્રથમ ઘા મીનાબેનના પેટમાં માર્યો, જેનાથી તેમના આંતરડા બહાર નીકળી ગયા. બીજો ઘા છાતીના ભાગે માર્યો, જેના કારણે મીનાબેન લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયા. બૂમાબૂમ સાંભળીને મીનાબેનના સસરા ગોરધનભાઈ અને 7 વર્ષીય પુત્રી વચ્ચે પડ્યા, પરંતુ ઝપાઝપીમાં તેમને પણ ચપ્પાના ઘા વાગ્યા અને તેઓ ઘાયલ થયા.

હોસ્પિટલમાં સારવાર અને મૃત્યુ

ઘટનાની જાણ થતાં પરિવારજનો અને આસપાસના રહીશો સ્થળ પર દોડી આવ્યા. ઘાયલ મીનાબેન, તેમની પુત્રી અને સસરાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મીનાબેનની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા. ગોરધનભાઈ અને મીનાબેનની પુત્રીની સારવાર ચાલુ છે.

પોલીસ કાર્યવાહી

મીનાબેનના સાસુની ફરિયાદના આધારે ખંભોળજ પોલીસે ગાયત્રીબેન અશોકભાઈ ઠાકોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને ઘટનાના સંજોગોની તપાસ કરી રહી છે.

મૃતકના દિયરનું નિવેદન

મૃતક મીનાબેનના દિયર ગોપાલભાઈ ઠાકોરે જણાવ્યું, “મારા કાકા ખાવા બેઠા હતા અને ભાભી ઘરની બહાર છોકરા રમાડતા હતા. તે વખતે ગાયત્રીબેન આવીને ભાભીને ચપ્પુ મારી દીધું. કાકા છોડાવવા વચ્ચે પડ્યા તો તેમને પણ ચપ્પુનો ઘા વાગ્યો. આ ઘટનાથી અમારો પરિવાર નિરાધાર બની ગયો છે.”

ગામમાં શોક અને રોષ

આ ઘટનાથી કણભઈપુરા ગામમાં શોકનો માહોલ છવાયો છે, સાથે જ રોષની લાગણી પણ જોવા મળી રહી છે. મીનાબેન વિધવા હતાં અને મજૂરી કરીને પોતાના ત્રણ સંતાનોનું ગુજરાન ચલાવતાં હતાં. તેમના અવસાનથી તેમના ત્રણેય સંતાનો નિરાધાર બન્યા છે, જેનાથી ગામમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.

આ ઘટનાને પગલે પોલીસ તપાસ ચાલુ છે, અને ગામના લોકો આ દુઃખદ ઘટનામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મીનાબેનના નિરાધાર બાળકોના ભવિષ્ય માટે સમાજના લોકો અને સંગઠનો દ્વારા મદદની અપેક્ષા રાખવામાં આવે છે.

 

આ પણ વાંચો:

Anand Child kidnapping: ‘મારાથી બાળકી સાથે ખોટું કામ થઈ ગયું, પછી મેં મારી નાખી’, આરોપીના ગોળ ગોળ જવાબ

Anand: ‘હું સવારથી લઈ સાંજ સુધી નશામાં જ છું, તારી તાકાત હોઈ એ કરી લે’, નશામાં ધૂત વકીલ નીકળ્યો પછી…

17 વર્ષે પણ છોકરીને પીરિયડ્સ ના આવ્યા, તપાસ કરાવતાં પરિવાર દંગ રહી ગયો!, ડોક્ટરે શું કહ્યું? | Menstruation

Menstruation Checkup: ગુરુઓની ગંદી કરતૂત, શાળામાં માસિક ધર્મ તપાસવા છોકરીઓના કપડાં કાઢ્યા, પ્રિન્સિપાલ અને 4 શિક્ષકોની ધરપકડ

એક પર હુમલો બંને દેશો પર ગણાશે, પાકિસ્તાન અને સાઉદી અરેબિયાની ડીલ કે ચાલ! | Pakistan | Saudi Arabia

‘બસ ચોરી કરવાનું બંધ કરો વડાપ્રધાન’, એક સભામાં 1 હજાર બસ રોકતાં લોકોને મુશ્કેલી | Modi | Gujarat

 

 

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 9 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 8 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 8 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 14 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?