Anand: પતિ સાથે આડા સંબંધનો વહેમ, પત્નીએ જ વિધવાને ચપ્પાના ઘા મારી આંતરડા કાઢી નાખ્યા, 3 બાળકો નોંધારા

  • Gujarat
  • September 19, 2025
  • 0 Comments

Anand Crime News: આણંદ જીલ્લામાં વારંવાર અપરાધિક ઘટના બની રહી છે. ત્યારે હવે વધુ એક હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આણંદ તાલુકાના કણભઈપુરા ગામમાં  આ હચમચાવી નાખતી ઘટના બની છે. જેમાં ગાયત્રીબેન અશોકભાઈ ઠાકોર નામની મહિલાએ પોતાના પતિની કથિત પ્રેમિકા મીનાબેન ઠાકોરની ચપ્પાના ઘા મારી હત્યા કરી નાખી છે. આ ઘટનામાં મીનાબેનના સસરા ગોરધનભાઈ અને તેમની 7 વર્ષીય પુત્રી પણ ઈજાઓની ભોગ બની છે. ખંભોળજ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાનું મોત થતાં તેના ત્રણ બાળકો નોંધારા થયા છે.

પતિના આડા સંબંધના વહેમથી ઝઘડા

ખંભોળજ પોલીસ મથકના જણાવ્યા અનુસાર કણભઈપુરા ગામના દૂધની ડેરી પાસે રહેતા ગાયત્રીબેનનો પતિ અશોકભાઈ ઠાકોર ખેતરમાં ગુલાબ વીણવાની મજૂરી કરવા જતો હતો. આ ખેતરમાં ફળિયામાં રહેતા મીનાબેન ઠાકોર સહિત અન્ય મહિલાઓ પણ મજૂરી માટે જતી હતી. આ દરમિયાન ગાયત્રીબેનને વહેમ થયો હતો કે, તેમના પતિ અશોકભાઈનો મીનાબેન સાથે આડો સંબંધ છે. આ બાબતે બંને વચ્ચે વારંવાર ઝઘડાઓ પણ થતા હતા.

ગઈકાલે રાત્રે ગાયત્રીબેન ચપ્પુ લઈને અચાનક મીનાબેનના ઘરે પહોંચી ગયા. વહેમના આધારે તેમણે મીનાબેન પર ચપ્પાથી હુમલો કર્યો. પ્રથમ ઘા મીનાબેનના પેટમાં માર્યો, જેનાથી તેમના આંતરડા બહાર નીકળી ગયા. બીજો ઘા છાતીના ભાગે માર્યો, જેના કારણે મીનાબેન લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયા. બૂમાબૂમ સાંભળીને મીનાબેનના સસરા ગોરધનભાઈ અને 7 વર્ષીય પુત્રી વચ્ચે પડ્યા, પરંતુ ઝપાઝપીમાં તેમને પણ ચપ્પાના ઘા વાગ્યા અને તેઓ ઘાયલ થયા.

હોસ્પિટલમાં સારવાર અને મૃત્યુ

ઘટનાની જાણ થતાં પરિવારજનો અને આસપાસના રહીશો સ્થળ પર દોડી આવ્યા. ઘાયલ મીનાબેન, તેમની પુત્રી અને સસરાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મીનાબેનની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા. ગોરધનભાઈ અને મીનાબેનની પુત્રીની સારવાર ચાલુ છે.

પોલીસ કાર્યવાહી

મીનાબેનના સાસુની ફરિયાદના આધારે ખંભોળજ પોલીસે ગાયત્રીબેન અશોકભાઈ ઠાકોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને ઘટનાના સંજોગોની તપાસ કરી રહી છે.

મૃતકના દિયરનું નિવેદન

મૃતક મીનાબેનના દિયર ગોપાલભાઈ ઠાકોરે જણાવ્યું, “મારા કાકા ખાવા બેઠા હતા અને ભાભી ઘરની બહાર છોકરા રમાડતા હતા. તે વખતે ગાયત્રીબેન આવીને ભાભીને ચપ્પુ મારી દીધું. કાકા છોડાવવા વચ્ચે પડ્યા તો તેમને પણ ચપ્પુનો ઘા વાગ્યો. આ ઘટનાથી અમારો પરિવાર નિરાધાર બની ગયો છે.”

ગામમાં શોક અને રોષ

આ ઘટનાથી કણભઈપુરા ગામમાં શોકનો માહોલ છવાયો છે, સાથે જ રોષની લાગણી પણ જોવા મળી રહી છે. મીનાબેન વિધવા હતાં અને મજૂરી કરીને પોતાના ત્રણ સંતાનોનું ગુજરાન ચલાવતાં હતાં. તેમના અવસાનથી તેમના ત્રણેય સંતાનો નિરાધાર બન્યા છે, જેનાથી ગામમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.

આ ઘટનાને પગલે પોલીસ તપાસ ચાલુ છે, અને ગામના લોકો આ દુઃખદ ઘટનામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મીનાબેનના નિરાધાર બાળકોના ભવિષ્ય માટે સમાજના લોકો અને સંગઠનો દ્વારા મદદની અપેક્ષા રાખવામાં આવે છે.

 

આ પણ વાંચો:

Anand Child kidnapping: ‘મારાથી બાળકી સાથે ખોટું કામ થઈ ગયું, પછી મેં મારી નાખી’, આરોપીના ગોળ ગોળ જવાબ

Anand: ‘હું સવારથી લઈ સાંજ સુધી નશામાં જ છું, તારી તાકાત હોઈ એ કરી લે’, નશામાં ધૂત વકીલ નીકળ્યો પછી…

17 વર્ષે પણ છોકરીને પીરિયડ્સ ના આવ્યા, તપાસ કરાવતાં પરિવાર દંગ રહી ગયો!, ડોક્ટરે શું કહ્યું? | Menstruation

Menstruation Checkup: ગુરુઓની ગંદી કરતૂત, શાળામાં માસિક ધર્મ તપાસવા છોકરીઓના કપડાં કાઢ્યા, પ્રિન્સિપાલ અને 4 શિક્ષકોની ધરપકડ

એક પર હુમલો બંને દેશો પર ગણાશે, પાકિસ્તાન અને સાઉદી અરેબિયાની ડીલ કે ચાલ! | Pakistan | Saudi Arabia

‘બસ ચોરી કરવાનું બંધ કરો વડાપ્રધાન’, એક સભામાં 1 હજાર બસ રોકતાં લોકોને મુશ્કેલી | Modi | Gujarat

 

 

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 1 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 2 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 7 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 8 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 9 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!