ભરૂચમાં વધુ એક શરમજનક ઘટના: 72 વર્ષની વૃદ્ધા પર 35 વર્ષના નરાધમે આચર્યું દુષ્કર્મ

  • Gujarat
  • December 24, 2024
  • 0 Comments

આમોદ, ભરૂચ: નિર્ભયાના મોત બાદ રાજ્યમાંથી વધુ એક શરમજનક બનાવ સામે આવ્યો છે. ઝઘડિયામાં દુષ્કર્મ કેસના પડઘા હજુ શમ્યા નથી, ત્યાં ભરૂચમાં વધુ એક દુષ્કર્મનો બનાવ બન્યો છે. 72 વર્ષના વૃદ્ધા પર 35 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું છે. આમોદ પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. ગુજરાતની નિર્ભયાનું દર્દ હજું ભૂલાયું નથી ત્યાં તો આમોદમાં વૃદ્ધા ઉપર દુષ્કર્મનો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી અનુસાર, અગાઉ પણ આ જ નરાધમે વૃદ્ધા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે ગુજરાતની નિર્ભયાના મૃત્યુ બાદ વધુ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. આમોદમાં વૃદ્ધા સાથે દુષ્કર્મના મામલે ગુનો નોંધીને આમોદ પોલીસે તપાસ હાથ ધરી છે. આમોદ તાલુકામાં દુષ્કર્મના કેસમાં સજા ભોગવી ચુકેલા નરાધમે ફરીથી એ જ ગુનો આચરતા ભરૂચ જિલ્લા SP સહિત LCB અને SOG ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. માહિતી અનુસાર, આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધ પર 35 વર્ષના નરાધમે 15 અને 22 ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું.

માહિતી અનુસાર, આ નરાધમે લગભગ દોઢ વર્ષ પહેલા પણ આ જ વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એ સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી. થોડા દિવસો પહેલા આરોપી જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો અને તેણે વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું. આ ખૂબ જ શરમજનક બાબત છે. હાલ આમોદ પોલીસે વિવિધ ટીમ બનાવી દુષ્કર્મના ફરાર આરોપીને પકડવા માટે કવાયત હાથ ધરી છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને SOG ની ટીમ પણ આ કેસની તપાસમાં જોડાઈ છે. ત્યારે હજુ કેટલી મહિલાઓ અને દીકરીઓ નરાધમોની માનસિક વિકૃતિનો ભોગ બનશે તેવા સવાલ ઉઠી રહ્યા છે.

Related Posts

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 3 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 3 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 12 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 8 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 17 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 9 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!