Surat માં વધુ એક યુવા મોડલનો આપઘાત, 23 વર્ષીય અંજલિ વરમોરાએ ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

Surat: રાજ્યમાં આપઘાતની કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને યુવાઓ કોઈને કોઈ કારણે આ પગલું ભરી લેતા હોય છે. તેવામાં સુરતમાં વધુ એક મોડલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સુરતમાં રહેતી 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાએ 7 જૂનની મોડી રાત્રે 2 વાગ્યે પંખા સાથે દુપટ્ટો બાંધી ગાળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે. જો કે આ મોડલે કેમ આ પગલું તેનું કારણ હજુ સામે આવ્યું નથી આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

સુરતમાં ફરી એક યુવા મોડલનો આપઘાત

સુરત શહેરમાં 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાએ 7 જૂનની મધરાતે લગભગ 2 વાગ્યે પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં માનસિક તણાવને આ દુઃખદ નિર્ણયનું કારણ માનવામાં આવી રહ્યું છે. અઠવા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યો છે.

અંજલિની ઇન્સ્ટાગ્રામ રીલ બની ચર્ચાનો વિષય

આપઘાતના એક દિવસ પહેલા અંજલિએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે રીલ પોસ્ટ કરી હતી, જે હવે ચર્ચાનું કેન્દ્ર બની છે. એક રીલમાં તેણે લખ્યું હતું, “બધા જ વયા ગયા હોત તો વાંધો નહોતો, પણ વહાલા હતા એ વયા ગયા ને એ ખટકે છે.” જ્યારે તેની અંતિમ રીલમાં હૃદયસ્પર્શી શબ્દો હતા, “આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કંઇજ નથી તારા માટે.” આ રીલ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ મૂકવામાં આવી હતી, જે તેની માનસિક સ્થિતિનો સંકેત આપે છે.

પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

અંજલિ સુરતના નવસારી બજાર વિસ્તારમાં આવેલા કાર્તિક એપાર્ટમેન્ટમાં તેના પરિવાર—માતા, ભાઈ અને બહેન—સાથે રહેતી હતી. તે એક મોડલ તરીકે વિવિધ કંપનીઓ સાથે કામ કરતી હતી અને તાજેતરમાં રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે જોડાઈ હતી. 7 જૂનની મોડી રાત્રે તેણે પોતાના રૂમમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાધો. પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈ જવાબ ન મળતા દરવાજો તોડી અંદર પ્રવેશ્યા, જ્યાં અંજલિ લટકતી હાલતમાં મળી. આ ઘટનાએ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

માનસિક તણાવની આશંકા

અઠવા પોલીસે પરિવારજનોના નિવેદનો નોંધ્યા છે અને આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. અંજલિની બે વર્ષ પહેલાં સગાઈ થઈ હતી, અને તે સુરત તેમજ અમદાવાદમાં મોડલિંગના પ્રોજેક્ટ્સ માટે કામ કરતી હતી. પોલીસનું માનવું છે કે માનસિક તણાવે તેને આ આકરું પગલું ભરવા પ્રેરી હોઈ શકે, જોકે આ મામલે વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો:

Viral Video: પેટ ભરવા માટે નાચતી રહી મા, રડતા માસૂમને હૃદય પર પથ્થર રાખી અવગણ્યું

Bihar Election 2025: ભાજપને મોટો ફટકો, યુટ્યુબર મનીષ કશ્યપે રાજીનામું આપ્યું

America માં મોટા પાયે વિરોધ પ્રદર્શનો, ટ્રમ્પે 2000 નેશનલ ગાર્ડ કર્યા તૈનાત

કેટલાક દેશોને ગમશે નહીં, પરંતુ પાકિસ્તાન પાસે ખૂબ જ મજબૂત નેતૃત્વ છે : Donald Trump

Arnab Goswami ના પત્રકારત્વની પોલ ખુલી, ભારત વિરુદ્ધ બોલવા માટે પાકિસ્તાનીઓને આપ્યા પૈસા?

India-Canada Relations: મોદીને G-7 સમિટમાં કેમ આપ્યું આમંત્રણ? કેનેડાના પીએમ સામે ઉઠ્યા સવાલો

Colombia ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો, આરોપીની ધરપકડ

Manipur Violence: મણિપુરમાં ફરી ભડકી હિંસા, 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

  • Related Posts

    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
    • March 23, 2026

    Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

    Continue reading
    Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
    • March 23, 2026

    Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

    • March 23, 2026
    • 4 views
    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

    Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

    • March 23, 2026
    • 6 views
    Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    • March 23, 2026
    • 13 views
    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    • March 23, 2026
    • 10 views
    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

    • March 23, 2026
    • 11 views
    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

    • March 23, 2026
    • 12 views
    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર